પાટીદારોના સંગઠન SPGમાં પડ્યા ભાગલા, નારાજ હોદ્દેદારોએ નવી સમિતિ રચી, જાણો શું છે સમગ્ર વિવાદ

લાલજી પટેલે TV9 સાથે વાત કરતા જણાવ્યું હતું કે એસપીજી ગ્રુપમાં ખરેખર કોઇ વિવાદ છે જ નહીં. એસપીજી ગ્રુપમાં કોઇ નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 12:20 PM

પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સરદાર પટેલ સેવાદળ (SPG)માં ભાગલા પડ્યા છે. SPGના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલે (Lalji Patel) અગાઉના હોદ્દેદારોની રદ કરેલી નિમણૂંકના નિર્ણય સામે બળવો થયો છે. SPG પૂર્વ હોદ્દેદારોએ લાલજી પટેલના નિર્ણયના વિરોધમાં એક નવી સમિતિ (New committee) બનાવી દીધી છે.

લાલજી પટેલના નિર્ણય સામે બળવો

પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સરદાર પટેલ સેવાદળમાં હવે રીતસરના ભાગલા પડ્યા પડી ગયા છે. લાલજીએ અટકાવેલી નિમણુકને લઈને વિવાદ વકર્યો છે. અગાઉ SPG ના રાષ્ટીય અધ્યક્ષ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદા રદ કર્યા હતા. જેને લઇને SPG હોદ્દેદારોમાં નારાજગી હતી. ત્યારે SPGના પૂર્વ હોદ્દેદારોએ બળવો કરી દીધો. નારાજ હોદ્દેદારોએ ભેગા મળીને સોમવારે કારોબારીની બેઠક બોલાવી હતી. જેમાં હોદ્દેદારોની નિયુક્તિ પણ કરી દીધી.

નવા હોદ્દેદારોની વરણી

પૂર્વ હોદ્દેદારાએ બોલાવેલી કારોબારી બેઠકમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલે જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ગૌરાંગ પટેલ, મહામંત્રી અને પ્રવક્તા તરીકે પુર્વિન પટેલની વરણી કરવામાં આવી છે.

લાલજી પટેલે TV9 સાથે વાત કરતા જણાવ્યું હતું કે એસપીજી ગ્રુપમાં ખરેખર કોઇ વિવાદ છે જ નહીં. એસપીજી ગ્રુપમાં કોઇ નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી નથી. અમારી ગેરહાજરીમાં એસપીજીના લેટરપેડ અને લોગાનો ઉપયોગ કરી મિટિંગ બોલાવી અધ્યક્ષ બની ગયાં છે. આ મિટિંગમાં હું હાજર નહોતો. એસપીજી ગ્રુપ બે ભાગમાં વહેચાઇ ગયું છે.

આ પણ વાંચોઃ

Kutch: નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1ના કામો મંજૂર ,6 તાલુકાના 77 ગામોને થશે ફાયદો

આ પણ વાંચોઃ

Kheda: ડાકોરના રણછોડરાય મંદિરમાં આરતી સમયે દર્શનાર્થીઓને પ્રવેશ નહીં, મંદિરમાં પ્રતિક્રમા કરવા પર પણ પ્રતિબંધ

 

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">