AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhota udepur: ભ્રષ્ટાચારની પ્રોટેક્શન વોલ ! પ્રથમ વરસાદમાં કરોડોનો ખર્ચ પાણીમાં ગયો, આડબંધ તૂટતા આસપાસ પૂરની સ્થિતિ

સરકારે 22 કરોડના ખર્ચે બનાવેલા આડબંધના (Protection Wall) સળીયા દેખાવા લાગ્યા છે. તમામ દીવાલો ધરાશાયી થઈ છે. એટલું જ નહીં આડબંધમાં નાખવામાં આવેલા પથ્થરો પણ તણાઈ ગયા છે.

Chhota udepur: ભ્રષ્ટાચારની પ્રોટેક્શન વોલ ! પ્રથમ વરસાદમાં કરોડોનો ખર્ચ પાણીમાં ગયો, આડબંધ તૂટતા આસપાસ પૂરની સ્થિતિ
કૃષિવિભાગે નુકસાનીના સર્વેના આપ્યા આદેશ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 2:40 PM
Share

છોટા ઉદેપુરના (Chhota udepur) બોડેલી તાલુકામાં ઓરસંગ નદી (Orsang River) ઉપર સરકાર દ્વારા પ્રોટેક્શન વોલ તો બનાવવામાં આવી છે. પરંતુ પહેલા જ વરસાદમાં (Rain) ધોવાણ થતા આ કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. સરકારનો આ અભિગમ સર તો ના થયો પણ સરકારના પૈસા પહેલા જ વરસાદમાં પાણીમાં જતા રહ્યા. લોકો તો આક્ષેપ કરી જ રહ્યા છે સાથો સાથ વિપક્ષ પણ સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતને લઈ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

સરકારનો કરોડોનો ખર્ચ પાણીમાં

છોટાઉદેપુરની ઓરસંગ નદી ઉપર વર્ષો પહેલા બનેલ નર્મદા કેનાલના એકવાડેક્ટના પાયા ખુલ્લા થતા સરકારે ચિંતા કરી પાયાને બચાવવા માટે પ્રોટેક્શન વોલ અને આડબંધ બનાવવાનું નક્કી કર્યું. 22 કરોડના ખર્ચે આ કામગીરીની શરૂઆત ડિસેમ્બર 21માં કરવામાં આવી હતી. જો કે છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં સરકારનો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે. સરકારના 22 કરોડના ખર્ચા પર વરસાદે પાણી ફેરવી નાંખ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલના પાયા ખુલ્લા થતા સરકારે પ્રોટેક્શન વોલ તો બનાવી પણ પહેલા જ વરસાદમાં ધોવાણ થયું છે.

સરકારે 22 કરોડના ખર્ચે બનાવેલા આડબંધના સળીયા દેખાવા લાગ્યા છે. તમામ દીવાલો ધરાશાયી થઈ છે. એટલું જ નહીં આડબંધમાં નાખવામાં આવેલા પથ્થરો પણ તણાઈ ગયા છે. જેને લઇ સરકારની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. વિપક્ષે સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટની મીલીભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લગાવ્યો.

લોકોએ ઘરોમાં પાણી આવતા આડબંધને ગણાવ્યુ કારણ

બોડેલી વિસ્તાર નર્મદાની મુખ્ય કેનાલના એકવાડેકટ નીચે સૌરક્ષણ દીવાલ અને આડબંધ બનતા પાણીના જળસ્તર ઉપર આવશે તેવુ વિચારવામાં આવ્યુ હતુ. પણ બોડેલી ગામના લોકોનો એ વિચાર ખોટો સાબિત થયો છે. પાણીના જળસ્તર તો ઉપર ના આવ્યા, પણ પહેલા જ વરસાદનું પાની લોકોના ઘરોમાં ઘુસી ગયું. બોડેલી ગામમાં દીવાન ફળિયા, રજાનગર, વર્ધમાન નગર વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. લોકોના તમામ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે, પહેલી વાર આ વિસ્તારમાં આટલી માત્રામાં પાણી આવ્યું જેનું કારણ આડબંધ જ છે .

તો બીજી તરફ સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યાં છે આડબંધની કામગારીની હલકી કક્ષાની ગુણવત્તાનું મટિરીયલ વપરાયું છે. સાથે જ સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં ક્યારેય આટલું પાણી ભરાયું નથી કે આવ્યું નથી. પરંતુ આ આડબંધ તૂટવાને કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયું. દીવાન ફળિયા, રજાનગર, વર્ધમાનનગર વિસ્તારો પાણી-પાણી થઈ ગયા.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">