બ્રિટિશ એરવેઝની અનીયમિતતાને કારણે જાણીતા લેખિકા-વક્તાનો લંડન ખાતેનો કાર્યક્રમ ખોરવાયો
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, બ્રિટીશ એરવેઝ એક સારી અને જવાબદાર એરલાઈન છે. એમાં પણ જ્યારે બિઝનેસ ક્લાસની ટિકિટ હોય ત્યારે પ્રવાસી પોતાની સગવડ અને સમયપાલન વિશે એકદમ નિશ્ચિંત હોય એ સ્વાભાવિક છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, બ્રિટીશ એરવેઝ એક સારી અને જવાબદાર એરલાઈન છે. એમાં પણ જ્યારે બિઝનેસ ક્લાસની ટિકિટ હોય ત્યારે પ્રવાસી પોતાની સગવડ અને સમયપાલન વિશે એકદમ નિશ્ચિંત હોય એ સ્વાભાવિક છે.
મુંબઈથી લંડનની ફ્લાઈટ કેન્સલ થઈ
તારીખ 23મીએ મુંબઈથી રવાના થનારી બ્રિટીશ એરવેઝની ફ્લાઈટ નં.BA 134 મુંબઈ-લંડન-સવારે સાડા નવ વાગ્યે ઉપડવાની હતી. અમદાવાદથી જનારા પેસેન્જર્સ માટે વિસ્તારાનું કનેક્શન ઉપલબ્ધ હતું. એટલે સવારે 4.50ની વિસ્તારાની ફ્લાઈટ બોર્ડ કરવા માટે જ્યારે પ્રવાસીઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ખબર પડી કે મુંબઈથી લંડનની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. જેના કારણે અનેક પ્રવાસીઓ અટવાયા હતા. જેમાં જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય પણ અટવાઇ ગયા હતા.
બ્રિટીશ એરવેઝની અનિયમીતતાના કારણે કેન્સલ થયો પ્રવાસ
જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યનો પ્રવાસ પણ બ્રિટીશ એરવેઝની અનિયમીતતાના કારણે કેન્સલ થયો હતો. બીજે દિવસે એટલે કે બુધવારે રિચમંડ-વર્જિનિયામાં એમનો કાર્યક્રમ હતો. જે હોસ્ટ-જેમણે આમંત્રણ આપ્યું હતું એ હિતેશભાઈ જોશીએ એમની બિઝનેસ ક્લાસની ટિકિટ માટે રૂપિયા 5 લાખ 70 હજાર ખર્ચ્યા હતા. વચ્ચે એક આખો દિવસ વધારાનો હતો એટલે કોઈ ચિંતા નહોતી, પરંતુ હવે બ્રિટીશ એરવેઝની આ ફ્લાઈટ કેન્સલ થવાને કારણે અમેરિકાનો કાર્યક્રમ પણ રદ કરવો પડ્યો છે.
આમંત્રિત મહેમાનોને કાર્યક્રમ કેન્સલ થવાની જાણ કરવી પડી
શ્રી હિતેશ જોશીને આર્થિક નુકસાન તો થયું જ, પરંતુ આમંત્રિત મહેમાનોને કાર્યક્રમ કેન્સલ થયો છે એ જણાવવા માટે સમય બગાડવો પડ્યો અને માનસિક હેરાનગતિ પણ થઇ. એક વ્યક્તિ માટે આ માનહાનિ જેવી પરિસ્થિતિ પણ થઈ શકે. કારણ કે, અમેરિકા જેવા દેશમાં કેટલાય દિવસોથી ‘સેવ ધ ડેટ’ મોકલી હોય.
એમના જુદા જુદા રાજ્યોમાં વસતા સગા-સંબંધી-મિત્રો પણ ફ્લાઈટ લઈને રિચમંડ પહોંચ્યા હતા. એમને પણ એમની ટિકિટો માથે પડી. આ બધા માટે બ્રિટીશ એરવેઝ જવાબદાર છે કારણ કે, કોઈ પ્રાયર નોટિસ કે આગોતરી જાણ વગર એમણે અચાનક ફ્લાઈટ કેન્સલ કરીને એક મહત્વનો કાર્યક્રમ રદ કરવાની ફરજ પાડી છે.