AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ થયો મોકળો, ગુજરાત હાઇકોર્ટે ફગાવી અરજી

ચોટીલા ડુંગર પર તૈયાર થઈ રહેલા રોપ વે પ્રોજેક્ટને લઈને અરજદારે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે ગુજરાત હાઇકોર્ટે અરજદારની તમામ માગણીઓ ફગાવી છે.

Breaking News : ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ થયો મોકળો, ગુજરાત હાઇકોર્ટે ફગાવી અરજી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 12:38 PM
Share

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ હવે મોકળો થયો છે. ગુજરાત હાઇકોર્ટે રોપ-વે કાર્યવાહી મામલે રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી છે. ચોટીલા ડુંગર પર તૈયાર થઈ રહેલા રોપ વે પ્રોજેક્ટને લઈને અરજદારે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે ગુજરાત હાઇકોર્ટે અરજદારની તમામ માગણીઓ ફગાવી છે.

સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે જવા માટે ચોટીલા ડુંગર પર રોપ-વે શરૂ કરવા અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી છે. આ અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જો કે અરજદાર દ્વારા આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપ-વેની મંજૂરી સામે દહેશત વ્યક્ત કરવામાં આવી હતી.

અરજદારે કરેલી પીટીશનમાં રજુઆત કરવામાં આવી હતી કે રોપ વેનું કામ જેને આપવામાં આવ્યું છે તેને આ પ્રકારનો કોઈ પણ અનુભવ નથી. જેથી આ પ્રોજેક્ટ તેને ન મળવો જોઇએ. જો કે ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવતા રોપ વે પ્રોજેક્ટનો માર્ગ મોકળો બન્યો છે.

 અરજદારની શું રજૂઆત હતી ?

રોપ વે બનાવવા માટે જે રજૂઆત કરવામાં આવી હતી. તેમાં અરજદાર દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી.  અરજદારે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જો રોપ વેને આઉટડેટેડ ટેકનોલોજી વાળા લાવવામાં આવશે તો મોરબી બ્રિજ જેવી દુર્ઘટના પણ બની શકે છે. ચામુંડા માતા મંદિરની મુલાકાત રોજ લાખો અને હજારોની સંખ્યામાં મુલાકાતીઓ દર્શનાર્થે આવતા હોય છે. એવા સમયમાં જો આઉટડેટેડ ટેકનોલોજી વાળા રોપ વે હશે તો મોરબી જેવી દુર્ઘટના પણ બની શકે છે.

આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં ગીરનાર ડુંગર પર રોપ-વેને મંજૂરી મળી ત્યારથી ચોટીલા ડુંગર પર રોપ-વેને લગાવવા માટેની ચર્ચા ચાલી રહી હતી. આ અંગે કેબિનેટ દ્વારા પ્રસ્તાવિત મંજૂરી પણ આપી દેવાઈ હતી. જો કે બાદમાં આ રોપ-વે બનાવવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે તેને લઈને વિવાદ થયો હતો અને સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેને લઈને હાલ ચોટીલા રોપ-વે પ્રોજેક્ટ અદ્ધરતાલ મુકાયો હતો.જો કે હવે હાઇકોર્ટે અરજી ફગાવતા ચોટીલામાં રોપ-વે બની શકશે.

ઉલ્લેખનીય છે કે અનેક લોકોના આસ્થાના કેન્દ્ર સમાન ચોટીલા માતાજીના મંદિરે જવા ભાવિકોની સુવિધા માટે રોપ-વેની ખાસ જરૂર છે. આ અંગે ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ રોપ-વેની માગ કરાઈ છે. જો કે સરકારના એક કોન્ટ્રાક્ટરની ફેવર કરી કોન્ટાક્ટ આપવાના ઈરાદા સામે હાલ સવાલ ઉઠ્યા છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ ટેન્ડર પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા હતા.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">