AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા “નો પરચેઝ ડે”નું એલાન પાછું ખેંચાયું, ગાંધીનગર ખાતે મળેલી મિટીંગ બાદ લેવાયો નિર્ણય

ગાંધીનગર ખાતે થયેલી મિટીંગમાં સંતોષકારક જવાબ મળતાં "નો પરચેઝ ડે"નું એલાન પરત ખેંચાયું છે. આ અંગે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા જાહેર જનતા જોગ જાહેરાત કરાઈ છે. પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનને 15 સપ્ટેમ્બરે ‘નો પર્ચેસ ડે’ જાહેર કર્યો હતો. પરંતુ હવે આ નિર્ણય પરત ખેંચાયો છે.

Breaking News : પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા નો પરચેઝ ડેનું એલાન પાછું ખેંચાયું, ગાંધીનગર ખાતે મળેલી મિટીંગ બાદ લેવાયો નિર્ણય
petrol pump
Sachin Kolte
| Edited By: | Updated on: Sep 14, 2023 | 7:39 PM
Share

પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનને 15 સપ્ટેમ્બરે ‘નો પર્ચેસ ડે’ જાહેર કર્યો હતો. પેટ્રોલ પંપ (Petrol Pump) સંચાલકોનું કમિશન છેલ્લા 6 વર્ષથી વધ્યું ન હોવાથી પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઇલ કંપનીથી નારાજ પેટ્રોલપંપ સંચાલકોએ 15 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલ ન ખરીદી સાંકેતિક વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. જે અંગે ગાંધીનગર ખાતે થયેલી મિટીંગમાં સંતોષકારક જવાબ મળતાં “નો પરચેઝ ડે”નું એલાન પરત ખેંચાયું છે. આ અંગે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા જાહેર જનતા જોગ જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો Gujarati Video: ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો 15 સપ્ટેમ્બરે નહીં ખરીદે પેટ્રોલ અને ડીઝલ, જાણો કેમ ?

પંપ સંચાલકોની માગ હતી કે પેટ્રોલિયમ મંત્રાલયની લેખિત બાંહેધરી મુજબ કમિશનમાં વધારો કરવામાં આવે. 6 વર્ષથી કમિશનમાં કોઈ જ વધારો કરાયો ન હોતો. ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ સામે પેટ્રોલ પમ્પ સંચાલકોમાં રોષ ફેલાયો હતો. જોકે, ગાંધીનગર ખાતે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનની મળેલી બેઠક બાદ સુખદ સમાધાન થયું છે અને આંદોલન પરત ખેંચ્યું છે.

હાલ પંપ સંચાલકોને પેટ્રોલ પર 3.10 પૈસા અને ડીઝલ પર 2.3 પૈસા કમિશન મળે છે. આ કમિશનનો ભાવ 1 ઓગસ્ટ 2017એ અપાયો હતો. પેટ્રોલિયમ મંત્રાલયે વર્ષ 2016માં લેખિત બાંહેધરી આપી હતી, કે દર 6 મહિને જાન્યુઆરી અને જૂનમાં કમિશનમાં વધારો અપાશે, પરંતુ તેનો કોઇ અમલ ઓઇલ કંપનીઓ દ્વારા કરાયો નથી.

ઓઇલ કંપનીઓ દ્વારા કમિશન વધારો ન કરાતા આખરે પંપ સંચાલકોએ 15મી સપ્ટેમ્બરે ‘નો પર્ચેસ ડે’ જાહેર કર્યો હતો અને કમિશનમાં વધારો કરવાની માગ કરી હતી. આ અંગે આજે ગાંધીનગર ખાતે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનની બેઠક મળી હતી. જે બાદ “નો પરચેઝ ડે”નું એલાન પરત ખેંચવામાં આવ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">