AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગંભીરા બ્રિજ ધરાશાયી થતા 9 લોકોના મોત, ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ

વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 5થી વધુ ઇજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા છે.

Breaking News : ગંભીરા બ્રિજ ધરાશાયી થતા 9 લોકોના મોત, ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2025 | 2:56 PM
Share

વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 5થી વધુ ઇજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા છે.

આજે વહેલી સવારે 7.30 વાગ્યે બ્રિજ તૂટવાની દુર્ઘટના ઘટી છે. તેમજ 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વર્ષ 1985માં આ બ્રિજ જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકાયો હતો, અને વર્ષો પુરતો જર્જરિત બની ગયેલો હતો. આ ઘટનામાં મોટી બાબત છે કે બ્રિજ પર લાઈટ ન હતી. જેથી જો આ ઘટના સવારની જગ્યાએ રાત્રિના સમયે બની હોત તો મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હોત.જેના પગલે અહીં અનેક સવાલો ઉભા થયા છે.

મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાયી

ઉલ્લેખનીય છે કે આ બ્રિજમાં ખામી હોવા છતા ભારે વાહનો પસાર થતા હતા. જેના પગલે આ દુર્ઘટના બની છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. બ્રિજ તૂટવાથી 7 લોકોના કરુણ મોત નિપજ્યાં છે. ત્યારે નદીનો પટ મોટો છે. આ સાથે જ નદીમાં પાણી હોવાની સાથે કાદવ-કીચડ પણ મોટા પ્રમાણમાં હોવાથી રેસક્યું કામગીરીમાં મુશ્કેલી થઈ રહી છે.

મહીસાગર નદી બ્રિજ દુર્ઘટના મામલે CMએ આપ્યા તપાસના આદેશ

વડોદરાના પાદરામાં આવેલા મહીસાગર નદીના બ્રિજ તૂટવાની ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. તો આરોગ્ય પ્રધાને જણાવ્યુ છે કે 4થી 5 વાહનો પાણીમાં ખાબક્યા હોવાનું જણાવ્યુ.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">