Breaking News : ગીરમાં વધુ 2 સિંહબાળના મોત, સિંહોના ટપોટપ મોતથી વન વિભાગમાં હડકંપ, શું ફરી વળશે CDVનો કહેર? જુઓ Video
અમરેલી ગિર પૂર્વમાં ફેલાયેલી ભેદી બીમારીને કારણે સિંહોનો મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળના બે સિંહ બાળના અવસાન થયાની પુષ્ટિ પીસીસીએફ ભવાની પતિએ કરી છે. બેબેસિયા વાયરસની ગેરહાજરી બાદ સિંહોમાં સીડીવી જેવા ગંભીર રોગની શક્યતા સેવાઈ રહી છે, જેના નમૂના ગાંધીનગર લેબમાં મોકલાયા છે.

અમરેલી જિલ્લામાંથી ફરી એકવાર હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. ગિરના જંગલોમાં સિંહો પર કોઈ અજાણી અને ખતરનાક બીમારી ત્રાટકતાં હવે મોતનો આંકડો 8 સુધી પહોંચી ગયો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રહેલા બે સિંહ બાળના મોત થતાં વન વિભાગમાં હડકંપ મચી ગયો. ગિરના ગૌરવ ગણાતા એશિયાટિક સિંહો એક પછી એક મોતને ભેટી રહ્યા છે, ત્યારે આખો ગુજરાત ચિંતામાં ગરકાવ થયો છે.
સતત સિંહોના મોત
ગિર પૂર્વ અને ગિર પશ્ચિમ બંને વિસ્તારોમાં સતત સિંહોના મોત થતાં વન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ગાંધીનગરથી પહોંચેલી નિષ્ણાતોની ટીમે અલગ-અલગ એનિમલ કેર સેન્ટરોમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ અત્યાર સુધી બેબેસિયા વાયરસનો કોઈ પુરાવો મળ્યો નથી. જેના કારણે હવે આ ભેદી રોગ શું છે તે જાણવા માટે દોડધામ મચી ગઈ છે.
સેમ્પલ તાત્કાલિક ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા
મૃત સિંહ બાળના સેમ્પલ તાત્કાલિક ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિંહોમાં સીડીવી એટલે કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ જેવા ગંભીર રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. જો આ આશંકા સાચી સાબિત થશે તો ગિરના સિંહો માટે આ સૌથી મોટું સંકટ બની શકે છે.
વન વિભાગ હાલ એલર્ટ મોડ પર છે. સંક્રમણ વધુ ન ફેલાય અને વધુ સિંહોના મોત અટકાવી શકાય તે માટે સઘન મોનિટરિંગ અને સારવાર શરૂ કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, ગિરના સિંહોને આ ભેદી બીમારીથી બચાવવામાં વન વિભાગ કેટલું સફળ રહેશે?
બેબેસિયા
સિંહોના વર્તમાન મૃત્યુ પાછળનું મુખ્ય કારણ ‘બેબેસિયા’ (Babesiosis) છે. બેબેસિયા કોઈ વાયરસ નથી, પરંતુ બગાઈ (ticks) દ્વારા ફેલાતો એક પ્રોટોઝોઆન પરોપજીવી (Protozoan parasite) છે. આ રોગ ‘બિન-ચેપી’ છે, એટલે કે તે એક સિંહથી બીજા સિંહમાં સીધો ફેલાતો નથી, પરંતુ બગાઈ તેના વાહક તરીકે કામ કરે છે.
બેબેસિયા પરોપજીવી સિંહના શરીરમાં પ્રવેશીને સીધો જ તેના લાલ રક્તકણો પર હુમલો કરે છે અને તેનો ઝડપથી નાશ કરે છે.
જ્યારે આ પરોપજીવી લાલ રક્તકણો (RBC) પર હુમલો કરે છે, ત્યારે સિંહના શરીરમાં તીવ્ર પાંડુરોગ (Severe Anemia) સર્જાય છે. આના પરિણામે સિંહ શારીરિક રીતે અત્યંત લાચાર બની જાય છે, તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આખરે અંગો નિષ્ફળ જવાથી તેનું મૃત્યુ નીપજે છે.
સહ-સંક્રમણ (Co-infection)
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સ્થિતિ ત્યારે વધુ ઘાતક બને છે જ્યારે બેબેસિયા સાથે ‘કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ’ (CDV) ભળે છે. આફ્રિકાના સેરેનગેટીના અભ્યાસો અને 2018 ની ગીરની દલખાણિયા રેન્જની ઘટના આપણને શીખવે છે કે આ ‘સહ-સંક્રમણ’ સિંહો માટે ડેથ વોરંટ સમાન છે.
CDV વાયરસ સિંહની રોગપ્રતિકારક શક્તિને તોડી પાડે છે (Immunosuppression), જેના કારણે શરીરનું ‘એલાર્મ સિસ્ટમ’ બંધ થઈ જાય છે. આવી નબળી સ્થિતિમાં બેબેસિયા જેવા પરોપજીવીઓ લોહીમાં અસાધારણ ઝડપે વધી જાય છે. આ ‘વન-ટુ પંચ’ હુમલાને કારણે મૃત્યુદર અનેકગણો વધી જાય છે. જોકે હાલના 2026 ના સંક્રમણમાં પ્રાથમિક તપાસમાં CDV નકારાત્મક જણાયો છે, પરંતુ નિષ્ણાતો હજુ પણ ઉચ્ચ સ્તરીય લેબોરેટરી રિપોર્ટની પ્રતીક્ષા કરી રહ્યા છે.
પર્યાવરણીય અને માનવસર્જિત ટ્રિગર્સ
બગાઈઓનો ઉપદ્રવ વધવા પાછળ માત્ર પ્રકૃતિ જ નહીં, પણ માનવીય ચૂક પણ જવાબદાર છે. ગીરના સિંહોની વસ્તીના આશરે 40 ટકા સિંહો હવે જંગલની બહાર મહેસૂલી વિસ્તારો (Revenue zones) માં વસે છે. આ વિસ્તારોમાં સિંહો રખડતા શ્વાનો અને પાલતુ પશુઓના સંપર્કમાં આવે છે.
વન્યજીવ આવાસની સરહદો પર પશુઓના મૃતદેહોનો અયોગ્ય નિકાલ અને ચામડી ઉતારવાની પ્રવૃત્તિ બગાઈઓ માટે આદર્શ સંવર્ધન કેન્દ્ર બને છે. વધતું જતું તાપમાન અને શારીરિક તણાવ (Physiological stress) સિંહોને આ સંક્રમણ સામે વધુ અસુરક્ષિત બનાવે છે. જ્યારે સિંહ આ રેવન્યુ વિસ્તારોમાં શિકાર કરે છે, ત્યારે તે અજાણતા જ આ બગાઈઓના ચક્રમાં ફસાઈ જાય છે.
ચટાકેદાર પકોડી માત્ર જીભનો સ્વાદ નહીં, પેટની તકલીફો પણ કરશે દૂર! જાણો તેના ફાયદા આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
