Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો, નવા 88 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં કોરોનાના નવા 88 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 854 એ પહોંચ્યા છે.

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 03 મેના રોજ કોરોનાના નવા 88 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 854 એ પહોંચ્યા છે.અમદાવાદમાં 24, સુરતમાં ગ્રામ્યમાં 07, વડોદરામાં 07, સાબરકાંઠામાં 06, સુરતમાં 06, વલસાડમાં 06, ભરૂચમાં 05, મહેસાણામાં 03, નવસારીમાં 03, રાજકોટમાં 03, વડોદરા ગ્રામ્યમાં 03, આણંદમાં 02, ગાંધીનગરમાં 02, કચ્છમાં 02, અમદાવાદ ગ્રામ્યમાં 01,ભાવનગરમાં 01, બોટાદમાં 01, ગાંધીનગર ગ્રામ્યમાં 01, જામનગરમાં 01, મહીસાગરમાં 01, પંચમહાલમાં 01,પાટણમાં 01 અને રાજકોટ ગ્રામ્યમાં 01 કેસ નોંધાયો છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.08 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 180 દર્દી સાજા થયા છે.
88 New #Covid19 cases reported in #Gujarat ; active cases tally reaches 854#GujaratCoronaUpdate #CoronaUpdate #TV9News pic.twitter.com/p5PSwWA9Ek
— Tv9 Gujarati (@tv9gujarati) May 3, 2023
કેન્દ્ર એક્શનમાં, 8 રાજ્યોને પત્ર લખીને આપી સૂચના
કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે સર્વેલન્સ વધારવા, ILI અને SARI દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આપ્યા છે.
આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે, અહીં વાંચો…
- એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
- તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. તેનાથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
- મંત્રાલયે કહ્યું છે કે માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ જરૂર કરો.
- એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો.
- એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. એવી સલાહ આપવામાં આવી છે કે જો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
- એડવાઈઝરીમાં સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
- એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો.
- મંત્રાલયે કહ્યું છે કે જો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…