Breaking News : જામનગરના તમાચણ ગામે બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી, રેસ્ક્યૂની કામગીરી પૂરજોશમાં

બાળકી આશરે 35 થી 40 ફૂટ ઊંડા બોરમાં ફસાઈ છે. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂની કામગીરી શરુ કરવામાં આવી છે.

Breaking News : જામનગરના તમાચણ ગામે બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી, રેસ્ક્યૂની કામગીરી પૂરજોશમાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 2:37 PM

Jamnagar : ફરી એકવાર બોરવેલમાં (Borewell) બાળક પડી જવાની રૂવાટા ઉભા થઈ જાય તેવી ઘટના ગુજરાતમાં બની છે. આ વખતે જામનગર જીલ્લામાં તમાચણ ગામમાં એક બાળકી બોરવેલમાં પડી ગઇ છે. જામનગર જિલ્લામાં તમાચણ ગામે બાળકી ઊંડા બોરવેલમાં રમતા રમતા ખાબકી છે. ગોવિંદભાઈની વાડીમાં આદિવાસી મજુરની બે વર્ષની દીકરી રમતા રમતા બોરવેલમાં પડી ગઇ છે. બાળકી આશરે 35 થી 40 ફૂટ ઊંડા બોરમાં ફસાઈ છે. આ ઘટના અંગે ફાયર વિભાગને (Fire Department) જાણ કરતા જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂની કામગીરી શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો-  Vadodara : ગુજરાતમાં પ્રથમ વાર પોલીસે જપ્ત કરેલા જૂના અને ભંગાર વાહનોની હરાજી થ્રી સ્ટાર હોટેલમાં થશે, જાણો કઇ તારીખે થશે કામગીરી

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

જામનગરના તમાચણ ગામે વાડીમાં મજુરી કરતા પરિવારની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી છે.વાડી વિસ્તારમાં બોરવેલમાં બાળકી ફસાઈ જતા આસપાસના લોકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યાં હતા. ફાયરની ટીમની સાથે 108ની ટીમ પણ બાળકીને બચાવવા તાત્કાલીક દોડી આવી હતી. ટીમોએ હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ શાખા અને ગ્રામજનો સહિતના લોકો જોડાયા છે.

આ પણ વાંચો-સુરતમાં ભાગળ ચાર રસ્તા પર ફિલ્મનું શૂટિંગ થયુ, મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી

મહત્વનું છે કે ગુજરાતમાં કોઇપણ સ્થળે બોરવેલનું ખોદકામ કરતા પહેલા જિલ્લા કલેક્ટર અને ડીએસપીને જાણ કરવી પડે તેવો નિયમ છે. સક્ષમ અધિકારીઓ તે સ્થળનું નિરીક્ષણ કરે તે પછી જ બોરવેલનું ખોદકામ કરી શકાશે તેવા આદેશ સરકાર દ્વારા કરાયેલા છે. આ મામલે દરેક જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને જાહેરનામું બહાર પાડી સત્વરે અમલ શરૂ કરાવવા સૂચના આપેલી છે. વર્ષો પહેલા જામનગરના જ ધ્રોલમાં એક બાળક પડી જવાની ઘટનાના પગલે ગૃહ વિભાગ દ્વારા આ સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી.

જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">