Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જૂનાગઢના કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે 4થી વધુ લોકો દટાયા, JCB દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ, જૂઓ Video

જૂનાગઢના કડિયાવાડ પાસે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતા તેના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.

Breaking News : જૂનાગઢના કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે 4થી વધુ લોકો દટાયા, JCB દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ, જૂઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 2:34 PM

Junagadh  : ચોમાસામાં (Monsoon 2023) ભારે વરસાદ પડ્યા બાદ દુર્ઘટનાઓ વધી જતી હોય છે. ખાસ કરીને કાચા મકાનો પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વાર જાનહાની પણ બનતી હોય છે. જૂનાગઢમાં પણ આવી જ એક દુર્ઘટના સામે આવી છે. જૂનાગઢના કડિયાવાડ પાસે એક મકાન ધરાશાયી (building collapsed) થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતા તેના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા.

આ પણ વાંચો- ડાંગમાં વરસાદના કારણે સોળે કળાએ ખીલી પ્રકૃતિ, ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video

જૂનાગઢમાં બે દિવસ પહેલા ભારે વરસાદના કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઇ હતી. ગીરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યા બાદ તેના પાણી જૂનાગઢમાં આવી ગયા હતા. જૂનાગઢના દાતાર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. દાતાર રોડ જૂનાગઢનો સૌથી જૂનો વિસ્તાર છે. જેથી તેમાં મોટી સંખ્યામાં જૂના અને જર્જરિત મકાનો આવેલા છે.ત્યારે આ પૈકીનું એક મકાન આજે ધરાશાયી થયુ હતુ.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

જૂનાગઢમાં 200 જેટલા જર્જરિત મકાન

સમગ્ર જૂનાગઢમાં 200 જેટલા જર્જરિત મકાનો આવેલા છે. ત્યારે દાતાર રોડ પર જ ત્રણ માળનું મકાન આવેલુ હતુ જે ધરાશાયી થયુ છે. કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા તેની નીચે ચારથી વધુ વ્યક્તિ દટાયા હોવાની માહિતી સામે આવી છે.

ચાર JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. સાથે જ સ્થાનિક લોકો પણ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે મદદમાં જોડાયા છે. ઘટના અંગે જૂનાગઢના ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાએ TV9 સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે દાતાર વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે. જેમને મકાન ઉતારી લેવા અગાઉ નોટિસ આપવામાં આવેલી છે. જો કે મકાન માલિકો દ્વારા આ નોટિસને ગણકારવામાં આવી નથી. જેના કારણે આજે એક દુર્ઘટના બની છે.

ઘટના સ્થળે હાલ પોલીસ પણ પહોંચી ગઇ છે અને ચારથી વધુ જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર બોલાવી દેવામાં આવી છે. હાલ તો ચારથી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું અનુમાન છે.

(વિથ ઇનપુટ- વિજયસિંહ પરમાર, જૂનાગઢ)

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">