Breaking News : જૂનાગઢના કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે 4થી વધુ લોકો દટાયા, JCB દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ, જૂઓ Video

જૂનાગઢના કડિયાવાડ પાસે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતા તેના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.

Breaking News : જૂનાગઢના કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે 4થી વધુ લોકો દટાયા, JCB દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ, જૂઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 2:34 PM

Junagadh  : ચોમાસામાં (Monsoon 2023) ભારે વરસાદ પડ્યા બાદ દુર્ઘટનાઓ વધી જતી હોય છે. ખાસ કરીને કાચા મકાનો પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વાર જાનહાની પણ બનતી હોય છે. જૂનાગઢમાં પણ આવી જ એક દુર્ઘટના સામે આવી છે. જૂનાગઢના કડિયાવાડ પાસે એક મકાન ધરાશાયી (building collapsed) થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતા તેના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા.

આ પણ વાંચો- ડાંગમાં વરસાદના કારણે સોળે કળાએ ખીલી પ્રકૃતિ, ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video

જૂનાગઢમાં બે દિવસ પહેલા ભારે વરસાદના કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઇ હતી. ગીરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યા બાદ તેના પાણી જૂનાગઢમાં આવી ગયા હતા. જૂનાગઢના દાતાર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. દાતાર રોડ જૂનાગઢનો સૌથી જૂનો વિસ્તાર છે. જેથી તેમાં મોટી સંખ્યામાં જૂના અને જર્જરિત મકાનો આવેલા છે.ત્યારે આ પૈકીનું એક મકાન આજે ધરાશાયી થયુ હતુ.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

જૂનાગઢમાં 200 જેટલા જર્જરિત મકાન

સમગ્ર જૂનાગઢમાં 200 જેટલા જર્જરિત મકાનો આવેલા છે. ત્યારે દાતાર રોડ પર જ ત્રણ માળનું મકાન આવેલુ હતુ જે ધરાશાયી થયુ છે. કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા તેની નીચે ચારથી વધુ વ્યક્તિ દટાયા હોવાની માહિતી સામે આવી છે.

ચાર JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. સાથે જ સ્થાનિક લોકો પણ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે મદદમાં જોડાયા છે. ઘટના અંગે જૂનાગઢના ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાએ TV9 સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે દાતાર વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે. જેમને મકાન ઉતારી લેવા અગાઉ નોટિસ આપવામાં આવેલી છે. જો કે મકાન માલિકો દ્વારા આ નોટિસને ગણકારવામાં આવી નથી. જેના કારણે આજે એક દુર્ઘટના બની છે.

ઘટના સ્થળે હાલ પોલીસ પણ પહોંચી ગઇ છે અને ચારથી વધુ જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર બોલાવી દેવામાં આવી છે. હાલ તો ચારથી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું અનુમાન છે.

(વિથ ઇનપુટ- વિજયસિંહ પરમાર, જૂનાગઢ)

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">