AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જૂનાગઢના કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે 4થી વધુ લોકો દટાયા, JCB દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ, જૂઓ Video

જૂનાગઢના કડિયાવાડ પાસે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતા તેના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.

Breaking News : જૂનાગઢના કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે 4થી વધુ લોકો દટાયા, JCB દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ, જૂઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 2:34 PM
Share

Junagadh  : ચોમાસામાં (Monsoon 2023) ભારે વરસાદ પડ્યા બાદ દુર્ઘટનાઓ વધી જતી હોય છે. ખાસ કરીને કાચા મકાનો પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વાર જાનહાની પણ બનતી હોય છે. જૂનાગઢમાં પણ આવી જ એક દુર્ઘટના સામે આવી છે. જૂનાગઢના કડિયાવાડ પાસે એક મકાન ધરાશાયી (building collapsed) થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતા તેના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા.

આ પણ વાંચો- ડાંગમાં વરસાદના કારણે સોળે કળાએ ખીલી પ્રકૃતિ, ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video

જૂનાગઢમાં બે દિવસ પહેલા ભારે વરસાદના કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઇ હતી. ગીરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યા બાદ તેના પાણી જૂનાગઢમાં આવી ગયા હતા. જૂનાગઢના દાતાર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. દાતાર રોડ જૂનાગઢનો સૌથી જૂનો વિસ્તાર છે. જેથી તેમાં મોટી સંખ્યામાં જૂના અને જર્જરિત મકાનો આવેલા છે.ત્યારે આ પૈકીનું એક મકાન આજે ધરાશાયી થયુ હતુ.

જૂનાગઢમાં 200 જેટલા જર્જરિત મકાન

સમગ્ર જૂનાગઢમાં 200 જેટલા જર્જરિત મકાનો આવેલા છે. ત્યારે દાતાર રોડ પર જ ત્રણ માળનું મકાન આવેલુ હતુ જે ધરાશાયી થયુ છે. કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા તેની નીચે ચારથી વધુ વ્યક્તિ દટાયા હોવાની માહિતી સામે આવી છે.

ચાર JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. સાથે જ સ્થાનિક લોકો પણ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે મદદમાં જોડાયા છે. ઘટના અંગે જૂનાગઢના ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાએ TV9 સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે દાતાર વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે. જેમને મકાન ઉતારી લેવા અગાઉ નોટિસ આપવામાં આવેલી છે. જો કે મકાન માલિકો દ્વારા આ નોટિસને ગણકારવામાં આવી નથી. જેના કારણે આજે એક દુર્ઘટના બની છે.

ઘટના સ્થળે હાલ પોલીસ પણ પહોંચી ગઇ છે અને ચારથી વધુ જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર બોલાવી દેવામાં આવી છે. હાલ તો ચારથી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું અનુમાન છે.

(વિથ ઇનપુટ- વિજયસિંહ પરમાર, જૂનાગઢ)

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">