AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૈતર વસાવા તો ભોળા છે, AAP તેમને મ્હોરુ બનાવે છે, સંકટમાં હતા ત્યારે કેમ કોઈ દોડી ના આવ્યુંઃ ભાજપ સાંસદ મનસુખ વસાવા

મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, હવે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે, પરંતુ કેસ ચાલી રહ્યો હતો ત્યારે તેમની તરફ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમણે વધુમાં દાવો કર્યો કે ચૈતર વસાવા રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ અને નેતાઓ સાથે સંપર્કમાં રહેતા હતા તથા તેમના વિકાસકાર્યો અંગે સરકાર સાથે સંવાદ કરતા હતા.

ચૈતર વસાવા તો ભોળા છે, AAP તેમને મ્હોરુ બનાવે છે, સંકટમાં હતા ત્યારે કેમ કોઈ દોડી ના આવ્યુંઃ ભાજપ સાંસદ મનસુખ વસાવા
| Updated on: Jun 26, 2026 | 3:59 PM
Share

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવાના મામલે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાનો ઉપયોગ રાજકીય હિત માટે કરી રહ્યા છે.

મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવા સહિત કુલ આઠ લોકોને સજા થઈ છે, જેમાં એક એવી મહિલાનો પણ સમાવેશ થાય છે જેને 16 મહિનાની નાની બાળકી છે. આ બાબત દુઃખદ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવા માટે સારા વકીલની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી અને તેમની કાનૂની લડતમાં યોગ્ય સહયોગ કેમ આપવામાં આવ્યો નહોતો.

મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, હવે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે, પરંતુ કેસ ચાલી રહ્યો હતો ત્યારે તેમની તરફ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમણે વધુમાં દાવો કર્યો કે ચૈતર વસાવા રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ અને નેતાઓ સાથે સંપર્કમાં રહેતા હતા તથા તેમના વિકાસકાર્યો અંગે સરકાર સાથે સંવાદ કરતા હતા. તેમણે જણાવ્યું કે થોડા સમય પહેલાં એક જાહેર મંચ પર તેમની ચૈતર વસાવા સાથે મુલાકાત પણ થઈ હતી અને તે સમયે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે, હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રાજકીય સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે અને ચૈતર વસાવાના મુદ્દાને રાજકીય રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે હવે દિલ્હી અને ગુજરાતના વકીલો કેસ લડવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ કેસની સુનાવણી દરમિયાન આ સહયોગ કેમ આપવામાં આવ્યો નહોતો તે સવાલ યથાવત છે. સાંસદે વધુમાં દાવો કર્યો કે ચૈતર વસાવા એક સરળ અને ભોળા સ્વભાવના વ્યક્તિ છે અને કેટલાક લોકો તેમને રાજકીય રીતે મોહરા તરીકે ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા ‘AAP’ની તૈયારી, હાઇકોર્ટમાં લડાશે કાનૂની જંગ

Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">