AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૈતર વસાવા તો ભોળા છે, AAP તેમને મ્હોરુ બનાવે છે, સંકટમાં હતા ત્યારે કેમ કોઈ દોડી ના આવ્યુંઃ ભાજપ સાંસદ મનસુખ વસાવા

મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, હવે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે, પરંતુ કેસ ચાલી રહ્યો હતો ત્યારે તેમની તરફ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમણે વધુમાં દાવો કર્યો કે ચૈતર વસાવા રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ અને નેતાઓ સાથે સંપર્કમાં રહેતા હતા તથા તેમના વિકાસકાર્યો અંગે સરકાર સાથે સંવાદ કરતા હતા.

ચૈતર વસાવા તો ભોળા છે, AAP તેમને મ્હોરુ બનાવે છે, સંકટમાં હતા ત્યારે કેમ કોઈ દોડી ના આવ્યુંઃ ભાજપ સાંસદ મનસુખ વસાવા
| Updated on: Jun 26, 2026 | 3:59 PM
Share

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવાના મામલે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાનો ઉપયોગ રાજકીય હિત માટે કરી રહ્યા છે.

મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવા સહિત કુલ આઠ લોકોને સજા થઈ છે, જેમાં એક એવી મહિલાનો પણ સમાવેશ થાય છે જેને 16 મહિનાની નાની બાળકી છે. આ બાબત દુઃખદ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવા માટે સારા વકીલની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી અને તેમની કાનૂની લડતમાં યોગ્ય સહયોગ કેમ આપવામાં આવ્યો નહોતો.

મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, હવે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે, પરંતુ કેસ ચાલી રહ્યો હતો ત્યારે તેમની તરફ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમણે વધુમાં દાવો કર્યો કે ચૈતર વસાવા રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ અને નેતાઓ સાથે સંપર્કમાં રહેતા હતા તથા તેમના વિકાસકાર્યો અંગે સરકાર સાથે સંવાદ કરતા હતા. તેમણે જણાવ્યું કે થોડા સમય પહેલાં એક જાહેર મંચ પર તેમની ચૈતર વસાવા સાથે મુલાકાત પણ થઈ હતી અને તે સમયે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે, હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રાજકીય સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે અને ચૈતર વસાવાના મુદ્દાને રાજકીય રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે હવે દિલ્હી અને ગુજરાતના વકીલો કેસ લડવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ કેસની સુનાવણી દરમિયાન આ સહયોગ કેમ આપવામાં આવ્યો નહોતો તે સવાલ યથાવત છે. સાંસદે વધુમાં દાવો કર્યો કે ચૈતર વસાવા એક સરળ અને ભોળા સ્વભાવના વ્યક્તિ છે અને કેટલાક લોકો તેમને રાજકીય રીતે મોહરા તરીકે ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા ‘AAP’ની તૈયારી, હાઇકોર્ટમાં લડાશે કાનૂની જંગ

Follow Us
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
g clip-path="url(#clip0_868_265)">