ભાવનગર: ઘોઘાથી હજીરાની રોરો ફેરી મધદરિયામાં કાદવમાં ફસાઈ, 15 ફુટ જહાજ નમી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા- વીડિયો

ભાવનગર: ઘોઘાથી હજીરાની રોપેક્સ ફેરી મધદરિયામાં કાદવમાં ફસાઈ જતા મુસાફરોના જીવ અધ્ધર થયા છે. મધદરિયે જહાજ ફસાયુ છે. આ દરમિયાન 5-6 કલાક સુધી કોઈ મદદ ન મળતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. તંત્રના સબ સલામતના દાવા મુસાફરોનો રોષ ફુટી નીકળ્યો છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2023 | 10:16 PM

ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા જતી રોપેક્સ ફેરી ગઈકાલે મોડી સાંજે(24.11.23) દરિયામાં ફસાઈ ગઈ. રોપેક્સ ફેરી કાદવમાં ફસાઈ જતાં 500 મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા. કારણ કે આખું જહાજ 15 ફૂટ જેટલું નમી ગયું હતું. એકતરફ લોકો જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. બીજી તરફ રોપેક્સ ફેરીના અધિકારીઓ અને ઘોઘા પોલીસને ફોન પર ફોન કરવા છતાં કોઈ સરખા જવાબ નહોતા આપતા તેવો મુસાફરોનો આક્ષેપ છે.

મુસાફરોના જણાવ્યા પ્રમાણે સરકારી તંત્રની બેદરકારીના કારણે કલાકો સુધી મુસાફરો જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમતા રહ્યા. આખરે 5થી 6 કલાક પરેશાન થયા બાદ રોપેક્સ ફેરીને ઘોઘા ટર્મિનલ પર પરત લાવવામાં આવી. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. મુસાફરોનો આક્ષેપ છે કે તેઓ દરિયામાં ફસાઈ ગયા હોવા છતાં તેમને તાત્કાલિક મદદ ન મળી. આખરે મુસાફરોએ ભાવનગર કલેક્ટરને ફોન કરતાં પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ અધિકારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.

5-6 કલાક થયા પરેશાન.. ન મળી તાત્કાલિક મદદ..

મુસાફરો પ્રમાણે, રોપેક્સ ફેરી ગત સાંજે 4.30 કલાકે ઘોઘાથી હજીરા જવા નીકળી હતી. તેમાં 500 મુસાફરો અને 60થી વધુ નાના-મોટા વાહનો હતા. રોપેક્સ ફેરી 400થી 500 મીટર આગળ વધી હતી અને ત્યાં જ કાદવમાં ફસાઈ જતાં જહાજને રોકી દેવાયું હતુ. આ દરમિયાન જહાજ દરિયાની વચ્ચે 15 ફૂટ જેટલું નમી ગયું હતું. અનેક પ્રયત્નો બાદ પણ જહાજ આગળ ન વધતાં ટગની મદદ લેવાઈ હતી અને પાણીનું લેવલ ઊંચું આવવાની રાહ જોવી પડી હતી. મુસાફરો 5થી 6 કલાક પરેશાન થયા બાદ આખરે પાણીનું લેવલ ઊંચું આવતાં જહાજને ફરીથી ઘોઘા ટર્મિનલ પરત લવાયું હતું. ત્યારબાદ મુસાફરો ત્યાંથી ઘરે રવાના થયા હતા.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ પણ વાંચો: જુનાગઢમાં માત્ર 2 દિવસમાં 3.85 લાખ લોકોએ પુરી કરી લીલી પરિક્રમા, જુઓ પરિક્રમાના આકાશી દૃશ્યો- વીડિયો

લોકો મોત સામે ઝઝૂમતા રહ્યા, તંત્ર ગલ્લાં-તલ્લાં કરતું રહ્યું

મુસાફરોના જણાવ્યા પ્રમાણે, રો-રો ફેરીમાં અવાર-નવાર આવી ઘટનાઓ બનતી રહે છે. તેમ છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતી. હાલમાં આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતો હોવા છતાં જાણે ધક્કા મારીને ચલાવવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે. બીજીતરફ અધિકારીઓ સબ સલામતના દાવા કરી રહ્યા છે અને ઘટનામાં જે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવાના દાવા કરી રહ્યા છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">