ભરૂચના CCTV નેટવર્કે 45 લાખની લૂંટના તરકટનો પર્દાફાશ કર્યો, વાંચો ગણતરીના સમયમાં લૂંટની ઘટનાનો ભેદ કઈ રીતે ઉકેલાયો

Bharuch : ભરૂચ - અંકલેશ્વર રોડ ઉપર સોમવારે રાતે આંગડિયા પેઢીના સંચાલક પાસેથી ચપ્પુની નોક ઉપર રૂપિયા 45લાખ ભરેલી બેગની લૂંટના મામલામાં નાટકીય વળાંક સામે આવ્યો છે. બે બાઈક ઉપર આવેલા 4  લૂંટારુઓએ ભરત પટેલ નામના આંગડિયા સંચાલકની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવી હોવાની ફરિયાદ કરી હતી.

ભરૂચના CCTV નેટવર્કે 45 લાખની લૂંટના તરકટનો પર્દાફાશ કર્યો, વાંચો ગણતરીના સમયમાં લૂંટની ઘટનાનો ભેદ કઈ રીતે ઉકેલાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 6:00 AM

Bharuch : ભરૂચ – અંકલેશ્વર રોડ ઉપર સોમવારે રાતે આંગડિયા પેઢીના સંચાલક પાસેથી ચપ્પુની નોક ઉપર રૂપિયા 45લાખ ભરેલી બેગની લૂંટના મામલામાં નાટકીય વળાંક સામે આવ્યો છે. બે બાઈક ઉપર આવેલા 4  લૂંટારુઓએ ભરત પટેલ નામના આંગડિયા સંચાલકની આંખમાં મરચાની ભૂકી નાંખી ચપ્પુની અણીએ રૂપિયા ભરેલી બેગની લૂંટ ચાલવી ફરાર થઇ ગયા હોવાની ભરત પટેલે  પોલીસને ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું હતું. આ મામલાની તપાસ દરમ્યાન ભરત પટેલની આંખમાં મરચું ગયું ન હોવા સાથે આખા રૂટના સીસીટીવીમાં વર્ણન અનુસારના લૂંટારુ નજરે ન પડતા શંકાની સોયા ફરિયાદી ઉપર વળી હતી જેની ઉલટ તપાસમાં ભાંડો ફૂટ્યો હતો.

દેવું ઉતારવા લૂંટનું તરકટ રચ્યું

ગુનાના આરોપીએ ગાર્ડન સીટીમાં મકાન ખરીદેલ છે જે મકાનની લોન ચુકવવાની બાકી હોય તેમજ આ કામના આરોપીએ તેમના ઓળખીતા મિત્રના સ્ક્રેપના ધંધામાં ૪૦ લાખનું રોકાણ કરેલ હોય જે રોકાણ કરેલ પૈસા ધંધામાં ડુબી જતા ભારત પટેલ છેલ્લા ત્રણેક મહીનાથી ખુબ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો હતો. પૈસાની તકલીફ દૂર કરવા લૂંટનું કાવતરું ઘડી દોડધામ કરી મૂકી હતી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રૂપિયા 45 લાખની લૂંટ થી હોવાની પોલીસને જાણ કરી હતી

સોમવાર તા.29/05/2023 ના રોજ ભરતભાઇ મણીલાલ પટેલ ભરૂચ ખાતેઆવેલ તેમની મહેન્દ્રભાઇ સોમાભાઇ પટેલ આંગડીયા પેઢીમાંથી રોકડા રૂપિયા 45 લાખ થેલામાં ભરી એક્ટીવામાં મૂકી  છાપરા ગામના પાટીયા નજીક બે બાઇક પર ચાર માણસો આવી એક્ટીવા રોકી આંખમાં મરચાની ભૂકી નાખી ચપ્પુ બતાવી તેની પાસેનો રોકડા 45 લાખ લુટીને ફરાર થઇ ગયા હોવાની પોલીસને જાણ કરાઈ હતી. ઘટના બાબતે અંકલેશ્વર શહેર “બી” ડીવીઝન પો.સ્ટે ખાતે ઇ.પી.કો. કલમ-૩૯૪, ૩૯૭, ૧૧૪ જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો રજીસ્ટર કરી પોલીસે તપાસ શરૂ કરી હતી.

CCTV ના નેટવર્કે ગુનાનો ભેદ ઉકેલ્યો

ભરૂચ એલ.સી.બી પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ તથા અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયા માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ તથા સ્થાનિક પો.સ્ટે.ની અલગ અલગ ટીમો દ્વારા ફરીયાદીએ જણાવેલ રૂટના તમામ સી.સી.ટીવી ફુટેજોને બારીકાઇથી તપાસ કરતા ફરીયાદીએ જણાવેલ વર્ણન અનુસારના ઇસમો એકપણ સી.સી.ટીવી ફુટેજમાં જણાઇ આવેલ નહીં તેમજ ફરીયાદીએ પોતાની આંખમાં મરચાની ભૂકી નાખી પૈસા લુંટી ગયેલા હોવાનું ફરીયાદમાં જણાવેલ જે બાબતે તપાસ કરી ફરીયાદીની મેડીકલ તપાસ કરાવતા ફરીયાદીની આંખમાં મરચાની ભુકી નાખવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. આમ ફરીયાદી ઉપર પ્રબળ શંકા જતા ભરૂચ એલ.સી.બી. તથા અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ધ્વારા ભરત પટેલની ઉંડાણપૂર્વકની પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ તથા તેણે પોતે ગુનો કરેલ ની કબૂલાત કરી હતી.

ઝાડીઓમાં પૈસા સંતાડયા હતા

ભરતે નજીકની જમીનમાં ખાડો કરી પૈસા દાટી દીધેલ તથા પોતાની પાસે રહેલ મોબાઇલ રસ્તાની નજીક પાણી ભરેલ ખાડીમાં નાખી દઈ આંગડીયા પેઢીની ઓફીસ દ્વારા પૈસા સાથે રાખવામાં આવતું જી.પી.એસ. ટ્રેકર પણ ઝાડીમાં ફેંકી દીધું હતું. આજે સવારે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથધરી ખાડીમાં ૨૫ થી ૩૦ માણસો દ્વારા શોધખોળ કરતાં જી.પી.એસ. ટ્રેકર તથા આરોપીનો મોબાઇલ મળી આવેલ છે જેથી આરોપીને પકડી આગળની કાયદેસર કાર્યવાહી અંકલેશ્વર શહેર બી” પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી હતી.

ભરૂચ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">