હવે પોલીસ નાયકની ભૂમિકા ભજવશે, જાણો ભરૂચ પોલીસની અનોખી પહેલ વિશે

ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સહીત 5 સ્થળોએ સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે. આ બોક્સમાં લોકો નિર્ભય બની ફરિયાદ , રજૂઆત અને સૂચનો મૂકી શકે છે. પોલીસ એક ચોક્કસ સમયગાળા બાદ આ બોક્સ ખોલી મળેલા પત્રનો જવાબ કાર્યવાહી અથવા જરૂરી માર્ગથી આપવા પ્રયત્ન કરશે.

હવે પોલીસ નાયકની ભૂમિકા ભજવશે, જાણો ભરૂચ પોલીસની અનોખી પહેલ વિશે
જાહેર સ્થળોએ સજેશન બોક્સ મુકાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 4:03 PM

ભરૂચ(Bharuch) પોલીસ(Police) નાયકની ભૂમિકા ભજવવા જઈ રહી છે. બોલીવુડ ફિલ્મ અભિનેતા અનિલ કપૂર(Anil Kapoor)ની ફિલ્મ નાયક(Nayak Movie)ખુબ પ્રચલિત થઇ હતી. આ ફિલ્મમાં મુખ્ય પ્રધાન(Chief Minister) દ્વારા પ્રજા સાથે સીધો સંપર્ક કેળવવા જાહેર સ્થળોએ સજેશન બોક્સ(Suggestion Box) મુકવામાં આવ્યા હતા, આ બોક્સમાં ફરિયાદ , રજૂઆત અને સૂચનોને આવકારવામાં આવ્યા હતા અને તેનું ત્વરિત નિરાકરણ લાવી લોક સુખાકારી વધારવામાં આવી હતી. ભરૂચ પોલીસ(Bharuch Police) પણ હવે નાયક બનવા જઈ રહી છે જેણે શહેરના અલગ – અલગ સ્થળોએ સજેશન બોક્સ મુકાવ્યા છે. આ બોક્સમાં વ્યક્તિ ઓળખ સાથે અથવા ઓળખ છુપાવીને પોલીસને હકીકતથી વાકેફ રાખી શકે છે સાથે શહેરની સમસ્યાઓ હલ કરવામાં ભાગીદાર બની શકે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

દરેક કામ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેશે નહિ

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ લીધા બાદ IPS અધિકારી ડો. લીના પાટીલે(Dr. Leena Patil – SP Bharuch) પ્રથમ રાઉન્ડમાં કડક અધિકારી તરીકેની છાપ ઉભી કર્યા બાદ હવે એક કડક સ્વભાવના અધિકારીમાં રહેલા માનવતાવાદી વ્યક્તિત્વના દર્શન કરાવી રહ્યા છે. સામાન્ય લોકો પોલીસની દૂર રહેવામાંજ ભલાઈ સમજતા હોય છે. આ કારણોસર ઘણીવાર આસપાસના વિસ્તારમાં અસામાજિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં લોકો આંખો ફેરવી લેતા હોય છે. પોલીસ સુધી હકીકત પહોંચાડી આમ આદમીએ પોલીસ સ્ટેશન જવું પણ ન પડે તેવી ભરૂચ પોલીસે વ્યવસ્થા તૈયાર કરી છે.

લોકો નિર્ભય બની ફરિયાદ , રજૂઆત અને સૂચન આપી શકશે

ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સહીત 5 સ્થળોએ સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે. આ બોક્સમાં લોકો નિર્ભય બની ફરિયાદ , રજૂઆત અને સૂચનો મૂકી શકે છે. પોલીસ એક ચોક્કસ સમયગાળા બાદ આ બોક્સ ખોલી મળેલા પત્રનો જવાબ કાર્યવાહી અથવા જરૂરી માર્ગથી આપવા પ્રયત્ન કરશે. ભરૂચ એસપી ડો લીના પાટીલે જણાવ્યું હતું કે આ પ્રયોગથી લોકો નિર્ભય બની પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ અને રજૂઆત રજૂ કરી સાહસે. ગુનાઓ ઉપર નિયંત્રણ સાથે આ સૂચનો જન સુખાકારી માટે મદદરૂપ સાબિત થશે.

વિદ્યાર્થીનીઓને રોમિયોના ત્રાસથી છુટકારો મળશે

પ્રજાજનો પણ પોલીસની પહેલને આવકારી રહ્યા છે. વિદ્યાર્થીની પાયલ મોદીએ જણાવ્યું હતું કે કોલેજમાં વિદ્યાર્થીનીઓ છેડતી અને રોડ રોમિયોની હેરાનગતિના કિસ્સા બનતા હોય છે. વિદ્યાર્થીનીઓ આવા તત્વો સામે સીધી ફરિયાદ કે તકરાર કરતા દર અનુભવે છે. આ પ્રકારના બોક્સ અસામાજિક તત્વો સામે અસરકારક પુરવાર થશે.

અસામાજિક તત્વો ઉપર નિયંત્રણ આવશે

ભરૂચના રહીશ નવેન્દુભાઇએ જણાવ્યું હતું કે ઘણીવાર ટ્રાફિકની સહિતની સમસ્યાઓ ના હલ માટે શહેરીજનો પાસે ક્રિએટિવ આઈડિયા હોય છે પણ રજૂઆત ક્યાં કરવી? કેવી રીતે કરવી? કોને કરવી? અને અધિકારી નારાજ તો નહિ થાયને? જેવા પ્રશ્નો મનમાં ઉઠવાથી આ વિચાર તંત્ર સુધી પહોંચતા નથી અને સમસ્યા ઠેરની ઠેર રહે છે જે સામે સજેશન બોક્સ સારો માર્ગ જણાઈ રહ્યું છે.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">