AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચમાં જળસંકટના ભણકારા, પાણીકાપ ઝીંકી સમસ્યા સામે લાંબો સમય લડવા પાલિકાનો પ્રયાસ

પાલિકાએ પાણીકાપની જાહેરાત કરી છે.આજે ૦૫/૦૧/૨૦૨૩ થી કેનાલ રિપેરીંગ પુર્ણ થયા સુધી ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં બે વારના સ્થાને એકજ સમય પાણી આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન શહેરીજનોને પાણી કરકસરપુર્વક વાપરવા તેમજ પાણીનો સંગ્રહ કરવા અપીલ પણ કરાઈ છે.

ભરૂચમાં જળસંકટના ભણકારા, પાણીકાપ ઝીંકી સમસ્યા સામે લાંબો સમય લડવા પાલિકાનો પ્રયાસ
water crises in bharuch
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 7:20 AM
Share

ભર ઉનાળે પાણીનો કકળાટ સામાન્ય બાબત છે પણ ભરૂચમાં ભર શિયાળે પાણીનો કકળાટ શરૂ થયો છે. ભરૂચ શહેરમાં પાણીની સમસ્યામોં તંત્ર સામે પડકાર ઉભો થયો છે. આગામી 10 દિવસમાં સમસ્યા હલ ન થાય તો ભરૂચમાં જળસંકટ મોટી સમસ્યા તરીકે સામે આવે તો નવાઈ નહિ. ભરૂચ શહેરને મળતો પાણી પુરવઠો અટકી જવાના કારણે હવે પાલિકા રિઝર્વ સ્ટોક ઉપર નિર્ભર છે. સમસ્યા સામે લાંબો સમય લડવા માટે પાણીકાપ ઝીકવામાં આવ્યો છે.આ ઉપરાંત ભરૂચવાસીઓને ભરૂચ નગરપાલિકા દ્વારા શક્ય તેટલો પાણીનો વ્યય અટકાવવા અપીલ કરી છે.

\

નગરને પાણી પૂરું પાડતી  કેનાલમાં ગાબડું પડ્યું

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વર્ષ 2023ના પ્રથમ દિવસેજ ભરૂચ નગરને પાણી પૂરું પાડતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં કવિઠા નજીક ગાબડું પડ્યું હતું. નહેરમાં ભંગાણથી આસપાસના ગામના 300 એકર વિસ્તારમાં નહેરના પાણી ફરી વળ્યાં હતા.નહેરના પાણીએ ઘઉં, કપાસ, શેરડી, તુવેર, મગ, મઠ, દિવેલા, મઠના વાવેતર ખેતર પાણીમાં ગરકાવ કરી નાખ્યા છે. ખેતરો પાણીમાં ગરક થઇ જતા ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ મહેન્દ્ર કરમરીયાએ આગેવાનો સાથે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ચિતાર મેળવ્યો હતો. નહેર વિભાગના કર્મચારીઓ પણ સર્વે અને સમારકામ હાથ ધરવા સ્થળ ઉપર દોડી ગયા હતા. ખેડૂત સમાજ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને નુકસાની અંગે રજુઆત કરી આવેદન આપવા માંગ કરી રહ્યું છે.બીજી તરફ આ નહેરનું ભંગાણ ભરૂચના નગરજનોને ભર શિયાળે તરસ્યા બનાવે તેવી નોબત ઉભી થઈ છે. અમલેશ્વર કેનાલમાંથી ભરૂચના માતરિયા તળાવમાં નર્મદાના નીર આવે છે.

પાણીકાપ ઝીકાયો

આ પાણી અયોધ્યાના ફિલ્ટરેશન પ્લાન્ટ મારફતે ફિલ્ટર કરી પાઇપલાઇન નેટવર્ક, સમ્પ, ટાંકીઓ થકી શહેરની પોણા બે લાખ પ્રજાને બે વાર પીવા અને વપરાશ માટે પુરવઠો અપાય છે.નહેરમાં ગાબડાંને લઈ માતરિયા તળાવમાં પાણી પુરવઠો મળતો બંધ થયો છે. માતરિયા તળાવમાં હવે ભરૂચને 9 થી 10 દિવસ અચાલે તેટલું જ પાણી છે. શહેરને રોજ 40 MLD પાણી અપાય છે. માતરિયામાં હાલ સ્ટોરેજ 300 થી 350 MLD જેટલું સ્ટોરેજ છે. જો થોડા દિવસમાં નહેરનું ગાબડું રીપેર ન થયું તો શહેરને જળસંકટનો સામનો કરવો પડશે. પાલિકાએ પાણીકાપની જાહેરાત કરી છે.આજે ૦૫/૦૧/૨૦૨૩ થી કેનાલ રિપેરીંગ પુર્ણ થયા સુધી ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં બે વારના સ્થાને એકજ સમય પાણી આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન શહેરીજનોને પાણી કરકસરપુર્વક વાપરવા તેમજ પાણીનો સંગ્રહ કરવા અપીલ પણ કરાઈ છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">