ભરૂચ : વસાવા Vs વસાવાના જંગમાં ભાજપે મનસુખ વસાવાને સતત સાતમી વખત ટિકિટ આપી, રસાકસીના જંગમાં જીતનો વિક્રમ સર્જવામાં સફળ રહશે?
ભરૂચ લોકસભાની બેઠક હાલના દિવસોમાં ભારે ચર્ચામાં છે. ગત ટર્મના સંસાર મનસુખ વસાવાને સતત સાતમી ટર્મ માટે ભાજપાએ ચૂંટણી લડવાની તક આપી છે. લોકસભા બેઠકમાં પાંચ લાખ મતોથી જીતવાનો ભાજપ દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ભરૂચ લોકસભાની બેઠક હાલના દિવસોમાં ભારે ચર્ચામાં છે. ગત ટર્મનાસાંસદ મનસુખ વસાવાને સતત સાતમી ટર્મ માટે ભાજપાએ ચૂંટણી લડવાની તક આપી છે. લોકસભા બેઠકમાં પાંચ લાખ મતોથી જીતવાનો ભાજપ દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સામે બે મોટી પાર્ટીઓ ગઠબંધન સાથે ચૂંટણીમાં ઉતરી છે ત્યારે આ સ્થિતિમાં ભરૂચના રાજકીય જંગમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
વર્ષ 1989 થી બેઠક ભાજપના કબ્જામાં રહી છે
ભરૂચની બેઠક 1989થી ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે. 1989ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને 1 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. આ હાર બાદ અહેમદ પટેલે લોકસભાની ચૂંટણીનો સામનો કર્યો ન હતો. જોકે, તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે સંસદસભ્ય બન્યા હતા. સાડા ત્રણ દાયકા સુધી કોંગ્રેસે ભરૂચની બેઠક માટે અખતરાં કર્યા અને અનેક ઉમેદવારો ઉભા રાખી જીત મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. મનસુખ વસાવા છેલ્લી 6 ટર્મથી ભાજપમાંથીભરૂચના સાંસદ છે.
મનસુખ વસાવા 6 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે
ભરૂચ વિધાનસભા ત્રણ જિલ્લાના વિસ્તારને આવરી લે છે. ભરૂચની બેઠક માટે ભરૂચ, નર્મદા અને વડોદરાના મતદારો મતદાન કરી રહ્યા છે. જો વિધાનસભાની બેઠકની તર્જ પર જોવામાં આવે તો ભાજપનો હાથ ઉપર છે. લોકસભાના 7 વિધાનસભા મતોમાંથી 6 ભાજપ અને 1 આમ આદમી પાર્ટી પાસે છે.
- ભાજપઃ કરજણ, જંબુસર, વાગરા, ભરૂચ, ઝગડીયા, અંકલેશ્વર,
- આપ : દેડિયાપાડા
- કોંગ્રેસ : – –
બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે
ભરૂચ બેટજક આદિવાસી અનામત ન હોવા છતાં, સરકારી પક્ષ ચૂંટણીમાં આદિવાસી અથવા મુસ્લિમ ઉમેદવારોને પ્રાધાન્ય આપવાનો આગ્રહ રાખે છે કારણ કે અડધાથી વધુ મતદારો આ બે સમુદાયોના છે.
- અનુ. જન જાતિના 5.50 લાખ મતદારો છે.
- અનુ જાતિના 1.20 લાખ મતદારો છે
- મુસ્લિમો 2.98 લાખ મતદારો છે
કુલ 17 લાખ મતદારોમાંથી 10 લાખ 68 હજાર મતદારો ત્રણ જાતિના લોકો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે ઉમેદવાર આ ત્રણમાંથી એક છે.
લોકસભા ચૂંટણી 2019માં શું સ્થિતિ હતી?
2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ પાસેથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ બેઠક પર, વર્તમાન સાંસદ મનસુખ વસાવાને 637,795 એટલે કે 55.5% મત મળ્યા, જ્યારે કોંગ્રેસના શેરખાન પઠાણને લગભગ અડધા મત એટલે કે 303,581 એટલે કે 26.4% મત મળ્યા અને મનસુખ ખરેખર છઠ્ઠી વખત સાંસદ બન્યા હતા.
Input Credit : Vishal Pathak, Narmada