Ankleshwar : આલ્કેમ લેબોરેટરીઝમાં આગની ઘટનાથી દોડધામ મચી, 5 ફાયરફાઈટરો આગ ઉપર કાબુ મેળવ્યો

દોડધામ વચ્ચે કંપનીના કર્મચારીઓ અને કામદારોને પ્લાન્ટની બહાર ખસેડી સ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરાયા હતા. કંપનીમાં ફાયરબ્રિગેડ , એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓની દોડધામ સ્પષ્ટ નજરે પડી રહી છે.

Ankleshwar :  આલ્કેમ લેબોરેટરીઝમાં આગની ઘટનાથી દોડધામ મચી, 5 ફાયરફાઈટરો આગ ઉપર કાબુ મેળવ્યો
A fire incident at Alchem Laboratories caused a rush
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2022 | 1:23 PM

જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપની આલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડના અંકલેશ્વર પ્લાન્ટમાં આગ લાગી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. બપોરે 12 વાગ્યાના અરસામાં કંપનીના પ્લાન્ટમાંથી કાળા ધુમાડા નીકળતા નજરે પડ્યા બાદ આખો વિસ્તાર સાયરનોના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. દોડધામ વચ્ચે કંપનીના કર્મચારીઓ અને કામદારોને પ્લાન્ટની બહાર ખસેડી સ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરાયા હતા. કંપનીમાં ફાયરબ્રિગેડ , એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓની દોડધામ સ્પષ્ટ નજરે પડી રહી છે. હજુ સુધી આગ અંગે કોઈ સત્તાવાર નિવેદન કંપની કે કોઈ સરકારી એજન્સી દ્વારા જાહેર કરવામાં ન આવતા ઘટનાની ગંભીરતા અને નુકસાનનો અસલ અંદાજ સામે આવ્યો નથી.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

5 ફાયરફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો

ઘટના બાદ કંપનીએ પણ નિવેદન જાહેર કર્યું છે. કંપનીના અધિકારી રાજસિંહ શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટના બપોરના અરસામાં બની હતી જેમાં કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. કંપનીના તમામ કર્મચારીઓ અને કામદારોને સુરક્ષિત ઘટનાસ્થળથી દૂર ખસેડીલેવમાં આવ્યા છે. કાચ તૂટવાથી એક કર્મચારીને પગમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેને સારવાર આપવામાં આવી છે. આગની ઘટના બાદ સ્થાનિક ફાયર ફાઈટર મદદે બોલાવાયા હતા. 5 ફાયરફાઈટરોની મદદથી આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે.

ઘટનાની તપાસ સોંપાઈ

આગની ઘટનામાં લાખ્ખો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આગ ક્યાં કારણોસર લાગી તેની પ્રારંભિક તપાસમાં કોઈ માહિતી બહાર આવી શકી નથી. ઘટના ક્યાં કારણોસર બની તેની હકીકત બહાર  લાવવા કંપની તરફથી તપાસના આદેશ કરાયા છે. કંપની ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ , જીપીસીબી અને અંકલેશ્વર પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. ઘટનામાં કોઈ જાનહાની ન નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. બનાવમાં એક કર્મચારીને પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. ઘટનાની જાણવાજોગ નોંધ હેઠળ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે સમયાંતરે ઔદ્યોગિક એકમોમાં અકસ્માતની ઘટનાઓ સ્થાનિકો અને કર્મચારીઓ માટે ચિંતાનું કારણ બની રહી છે.

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">