AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?

સામાન્ય રીતે મહેસૂલી આવક તો સરકારને આપવાની હોય છે, પરંતુ મહેસાણાના 3 ગામોમાં પરંપરા કઇક અલગ છે. મહેસાણાના બેચર, ડેડાણા અને ડોડીવાળા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી મહેસુલી આવક સરકારને આપવામાં આવતી નથી.

Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?
Bahuchraji Temple (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 3:28 PM
Share

સામાન્ય રીતે મહેસૂલી આવક (Revenue income) તો સરકારને આપવાની હોય છે, પરંતુ મહેસાણાના 3 ગામોમાં પરંપરા કઇક અલગ છે. મહેસાણાના બેચર, ડેડાણા અને ડોડીવાળા (Becher, Dedana and Dodiwala Village)ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી મહેસુલી આવક સરકારને આપવામાં આવતી નથી. આ ત્રણેય ગામના મહેસુલની રકમ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ત્રણ ગામની 42 હજાર રૂપિયાની આવક માના ચરણોમાં ધરાવવામાં આવી.

મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમા મા બહુચરને ધરાવાતી મહેસૂલી આવકની અનોખી પરંપરા છે. મહેસાણાના બેચર, ડેડાણા અને ડોડીવાળા ગામમાં ગાયકવાડ રજવાડાના સમયથી મહેસુલની રકમ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં આપવાની પરંપરા ચાલતી આવે છે. આ રકમ વર્ષોથી બહુચરમાના પૂજા-પાઠ માટે માતાજીના ચરણોમાં ધરાવાય છે.

પરંતુ મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમા મા બહુચરને ધરાવાતી મહેસૂલી આવકની અનોખી પરંપરાથી આજે આપને અવગત કરાવીએ. જેમાં બહુચરાજી તાલુકાના 3 ગામોની મહેસૂલી આવક માં બહુચરના ચરણે ધરાવાય છે. જેમાં બહુચરાજીના બેચર, ડેડાણા અને ડોડીવાળાને ગાયકવાડે ઈનામી ગામ જાહેર કર્યા હતા. જે ત્રણ ગામોની મહેસૂલી આવક સદીઓથી દીવા બત્તી માટે માતાજીના ચરણોમાં ધરાવાય છે.

વર્ષો પહેલા શક્તિપીઠ બહુચરાજી મંદિરના પુનઃ નિર્માણ બાદ ધ્વજા રોહણ કરનાર ગાયકવાડ રજવાડા પરિવાર તરફથી મહેસાણાના બેચર, ડેડાણા અને ડોડીવાળા ગામને ઇનામી ગામ જાહેર કરવામાં આવ્યા હતા. તે સમય મુજબ ઇનામી ગામ એટલે આ ગામોની મહેસુલી આવક માના ચરણોમાં ધરાવવાનો લાભ અપાતો હતો. આ પરંપરા હજુ પણ ચાલતી આવી છે. આ વર્ષે ત્રણ ગામની મહેસૂલી આવકનો રૂ. 42 હજારનો ચેક માતાજી ના ચરણોમાં ધરાવાયો હતો.

યાત્રાધામ બહુચરાજીમાં રોજ લાખો અને કરોડોની આવક થતી હોય છે. પરંતુ તેની સામે રૂ. 42 હજારની રકમ ભલે સામાન્ય લાગતી હોય, પરંતુ આ ત્રણેય ગામના લોકોની શ્રદ્ધા અને અતૂટ આસ્થા આ સાથે જોડાયેલા છે.

મહત્વનું છે કે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ પાસે મોટી રકમ અનામત છે. ઉપરાંત સોના ચાંદીના વાસણો, ઘરેણાં પણ છે. 300 કરોડથી વધુ કિંમતનો ગાયકવાડી સમયનો અમૂલ્ય હાર પણ છે. તેમ છતા 42 હજાર રૂપિયાની રકમ અમૂલ્ય છે. રાજા રજવાડાઓ સમયમાં વિવિધ મંદિરોમાં પૂજા સામગ્રી કે નિભાવ ખર્ચ માટે સાલિયના કે જાગીર આપવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. જે પ્રમાણે આ ગામોને પણ તે સમયે પૂજા સામગ્રીનો ખર્ચ આપવા જાહેર કરાયા હતા.

આ પણ વાંચો-

અરે રે ! વલસાડમાં નવ પરણિત યુગલને જેલમાં જ વિતાવવી પડી સુહાગરાત, જાણો શું છે કારણ

આ પણ વાંચો-

Ahmedabad : 15થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ વેગવંતુ બનાવવા AMCનું ‘રસી લો, સ્કૂલ બેગ લઇ જાઓ’ અભિયાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">