AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?

સામાન્ય રીતે મહેસૂલી આવક તો સરકારને આપવાની હોય છે, પરંતુ મહેસાણાના 3 ગામોમાં પરંપરા કઇક અલગ છે. મહેસાણાના બેચર, ડેડાણા અને ડોડીવાળા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી મહેસુલી આવક સરકારને આપવામાં આવતી નથી.

Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?
Bahuchraji Temple (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 3:28 PM
Share

સામાન્ય રીતે મહેસૂલી આવક (Revenue income) તો સરકારને આપવાની હોય છે, પરંતુ મહેસાણાના 3 ગામોમાં પરંપરા કઇક અલગ છે. મહેસાણાના બેચર, ડેડાણા અને ડોડીવાળા (Becher, Dedana and Dodiwala Village)ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી મહેસુલી આવક સરકારને આપવામાં આવતી નથી. આ ત્રણેય ગામના મહેસુલની રકમ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ત્રણ ગામની 42 હજાર રૂપિયાની આવક માના ચરણોમાં ધરાવવામાં આવી.

મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમા મા બહુચરને ધરાવાતી મહેસૂલી આવકની અનોખી પરંપરા છે. મહેસાણાના બેચર, ડેડાણા અને ડોડીવાળા ગામમાં ગાયકવાડ રજવાડાના સમયથી મહેસુલની રકમ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં આપવાની પરંપરા ચાલતી આવે છે. આ રકમ વર્ષોથી બહુચરમાના પૂજા-પાઠ માટે માતાજીના ચરણોમાં ધરાવાય છે.

પરંતુ મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમા મા બહુચરને ધરાવાતી મહેસૂલી આવકની અનોખી પરંપરાથી આજે આપને અવગત કરાવીએ. જેમાં બહુચરાજી તાલુકાના 3 ગામોની મહેસૂલી આવક માં બહુચરના ચરણે ધરાવાય છે. જેમાં બહુચરાજીના બેચર, ડેડાણા અને ડોડીવાળાને ગાયકવાડે ઈનામી ગામ જાહેર કર્યા હતા. જે ત્રણ ગામોની મહેસૂલી આવક સદીઓથી દીવા બત્તી માટે માતાજીના ચરણોમાં ધરાવાય છે.

વર્ષો પહેલા શક્તિપીઠ બહુચરાજી મંદિરના પુનઃ નિર્માણ બાદ ધ્વજા રોહણ કરનાર ગાયકવાડ રજવાડા પરિવાર તરફથી મહેસાણાના બેચર, ડેડાણા અને ડોડીવાળા ગામને ઇનામી ગામ જાહેર કરવામાં આવ્યા હતા. તે સમય મુજબ ઇનામી ગામ એટલે આ ગામોની મહેસુલી આવક માના ચરણોમાં ધરાવવાનો લાભ અપાતો હતો. આ પરંપરા હજુ પણ ચાલતી આવી છે. આ વર્ષે ત્રણ ગામની મહેસૂલી આવકનો રૂ. 42 હજારનો ચેક માતાજી ના ચરણોમાં ધરાવાયો હતો.

યાત્રાધામ બહુચરાજીમાં રોજ લાખો અને કરોડોની આવક થતી હોય છે. પરંતુ તેની સામે રૂ. 42 હજારની રકમ ભલે સામાન્ય લાગતી હોય, પરંતુ આ ત્રણેય ગામના લોકોની શ્રદ્ધા અને અતૂટ આસ્થા આ સાથે જોડાયેલા છે.

મહત્વનું છે કે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ પાસે મોટી રકમ અનામત છે. ઉપરાંત સોના ચાંદીના વાસણો, ઘરેણાં પણ છે. 300 કરોડથી વધુ કિંમતનો ગાયકવાડી સમયનો અમૂલ્ય હાર પણ છે. તેમ છતા 42 હજાર રૂપિયાની રકમ અમૂલ્ય છે. રાજા રજવાડાઓ સમયમાં વિવિધ મંદિરોમાં પૂજા સામગ્રી કે નિભાવ ખર્ચ માટે સાલિયના કે જાગીર આપવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. જે પ્રમાણે આ ગામોને પણ તે સમયે પૂજા સામગ્રીનો ખર્ચ આપવા જાહેર કરાયા હતા.

આ પણ વાંચો-

અરે રે ! વલસાડમાં નવ પરણિત યુગલને જેલમાં જ વિતાવવી પડી સુહાગરાત, જાણો શું છે કારણ

આ પણ વાંચો-

Ahmedabad : 15થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ વેગવંતુ બનાવવા AMCનું ‘રસી લો, સ્કૂલ બેગ લઇ જાઓ’ અભિયાન

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">