AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું, રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો

બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની સિઝનમાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે, એમાં રાયડો, ઘઉં, જીરુ, સહિત બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે, પરંતુ હકીકત એ છે કે આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું છે.ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારમાં 58,902 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું

Banaskantha: બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું, રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો
Banaskantha Deesa Potato
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 11:50 PM
Share

બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની સિઝનમાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે, એમાં રાયડો, ઘઉં, જીરુ, સહિત બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે, પરંતુ હકીકત એ છે કે આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું છે.ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારમાં 58,902 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું.જેની સરખામણીમાં આ વખતે 53,547 હેક્ટર વિસ્તારમાં જ બટાકાનું વાવેતર થયુ છે.. જેમાં ખાસ કરીને બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં પણ ગત વર્ષની સરખામણીએ 1342 હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર ઘટ્યું છે.

બટાકા સિવાય રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો

શરૂઆતમાં બટાકાના બિયારણના ઉંચા ભાવો અને ખાતરની અછત ઉપરથી વધતી જતી મોંઘવારી વચ્ચે બટાટાના ભાવમાં સતત ચઢાવ ઉતાર જોવા મળ્યો અને બસ આ જ કારણોસર ખેડૂતો બટાકા કરતા અન્ય પાકો તરફ વળ્યા છે.એટલે જ આ વખતે બટાકા સિવાય રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો છે.

ઘટીને 53,548 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયુ

આ તો થઈ ખેડૂતોની વાત પરંતુ ડીસા બટાકા સંશોધન વિભાગના આંકડાઓ કહે છે કે બનાસકાંઠામાં 2017-18માં 78,132 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતુ..ત્યારબાદ તે ઘટીને 2018-19માં 68134 હેક્ટરમાં 2019-20માં તે ઘટીને 62349 હેક્ટર થયું..ત્યારબાદ 2020-21માં 58903 હેકટર, 2021-22માં 58902 હેક્ટર અને ચાલુ વર્ષે 2022-23 તે ઘટીને 53,548 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયુ છે.

બનાસકાંઠા જિલ્લામાં બટાટાના વાવેતરમાં 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો

આમ જોઈએ તો છેલ્લા 6 વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાં બટાટાના વાવેતરમાં 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો થયો છે. બટાકાની ખેતી મોંઘી થઈ છે અને તેની સામે બટાકાના ભાવ પણ પૂરતા મળતા નથી.આ સિવાય પણ ખેતી વૈજ્ઞાનિકો બટાકાની ખેતી ઓછી થવાના કેટલાક કારણો આપે છે.

આમ ઘણા બધા કારણો છે જે ખેડૂતોને બટાકાની ખેતી કરતાં રોકી રહ્યા છે અથવા કહો કે બીજા પાકોની ખેતી તરફ વાળી રહ્યા છે..ત્યારે બટાકાના જો યોગ્ય ભાવની ખાતરી મળે તો આ ખેડૂતો પણ પાછા બટાકા તરફ વળી શકે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">