AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું, રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો

બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની સિઝનમાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે, એમાં રાયડો, ઘઉં, જીરુ, સહિત બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે, પરંતુ હકીકત એ છે કે આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું છે.ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારમાં 58,902 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું

Banaskantha: બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું, રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો
Banaskantha Deesa Potato
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 11:50 PM
Share

બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની સિઝનમાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે, એમાં રાયડો, ઘઉં, જીરુ, સહિત બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે, પરંતુ હકીકત એ છે કે આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું છે.ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારમાં 58,902 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું.જેની સરખામણીમાં આ વખતે 53,547 હેક્ટર વિસ્તારમાં જ બટાકાનું વાવેતર થયુ છે.. જેમાં ખાસ કરીને બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં પણ ગત વર્ષની સરખામણીએ 1342 હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર ઘટ્યું છે.

બટાકા સિવાય રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો

શરૂઆતમાં બટાકાના બિયારણના ઉંચા ભાવો અને ખાતરની અછત ઉપરથી વધતી જતી મોંઘવારી વચ્ચે બટાટાના ભાવમાં સતત ચઢાવ ઉતાર જોવા મળ્યો અને બસ આ જ કારણોસર ખેડૂતો બટાકા કરતા અન્ય પાકો તરફ વળ્યા છે.એટલે જ આ વખતે બટાકા સિવાય રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો છે.

ઘટીને 53,548 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયુ

આ તો થઈ ખેડૂતોની વાત પરંતુ ડીસા બટાકા સંશોધન વિભાગના આંકડાઓ કહે છે કે બનાસકાંઠામાં 2017-18માં 78,132 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતુ..ત્યારબાદ તે ઘટીને 2018-19માં 68134 હેક્ટરમાં 2019-20માં તે ઘટીને 62349 હેક્ટર થયું..ત્યારબાદ 2020-21માં 58903 હેકટર, 2021-22માં 58902 હેક્ટર અને ચાલુ વર્ષે 2022-23 તે ઘટીને 53,548 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયુ છે.

બનાસકાંઠા જિલ્લામાં બટાટાના વાવેતરમાં 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો

આમ જોઈએ તો છેલ્લા 6 વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાં બટાટાના વાવેતરમાં 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો થયો છે. બટાકાની ખેતી મોંઘી થઈ છે અને તેની સામે બટાકાના ભાવ પણ પૂરતા મળતા નથી.આ સિવાય પણ ખેતી વૈજ્ઞાનિકો બટાકાની ખેતી ઓછી થવાના કેટલાક કારણો આપે છે.

આમ ઘણા બધા કારણો છે જે ખેડૂતોને બટાકાની ખેતી કરતાં રોકી રહ્યા છે અથવા કહો કે બીજા પાકોની ખેતી તરફ વાળી રહ્યા છે..ત્યારે બટાકાના જો યોગ્ય ભાવની ખાતરી મળે તો આ ખેડૂતો પણ પાછા બટાકા તરફ વળી શકે.

Follow Us
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
g clip-path="url(#clip0_868_265)">