આજની ઇ-હરાજી : અમરેલીના સાવરકુંડલામાં ઓછી કિંમતમાં ખરીદી શકાશે પ્લોટ, જાણો શું છે વિગત
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત
અમરેલી: ગુજરાતના અમરેલીના સાવરકુંડલામાં બંધન બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. સાવરકુંડલામાં આવેલી સ્થાવર મિલકત એટલે કે પ્લોટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.
આ પણ વાંચો-આજની ઇ-હરાજી : અમદાવાદના મણિનગરમાં ઓછી કિંમતમાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત
તેની રિઝર્વ કિંમત 9,97,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 99,700 રુપિયા છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 8 ડિસેમ્બર 2023, શુક્રવારે સાંજે 5 કલાકની છે. તો ઇ-હરાજીની તારીખ 12 ડિસેમ્બર 2023, મંગળવારે બપોરે 12.00 કલાકની રાખવામાં આવી છે.