Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli: ધારીના જીરા ગામમાં ત્રણ વર્ષની બાળકીને દીપડો ખેંચી ગયો, બાળકીનું મોત

ધારી ગીર પૂર્વ ડીવીઝનના ડી.સી.એફ. રાજદીપ સિંહ ઝાલાએ દીપડો તાકીદે પાંજરે પૂરવા આદેશ આપ્યા બાદ વનવિભાગ (Forest Department) દ્વારા ગામમાં 4 જેટલા પાંજરા ગોઠવી દેવાયા છે. વનવિભાગની ટીમ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.

Amreli: ધારીના જીરા ગામમાં ત્રણ વર્ષની બાળકીને દીપડો ખેંચી ગયો, બાળકીનું મોત
દીપડાના હુમલામાં એક બાળકીનું મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 2:02 PM

અમરેલી (Amreli) જિલ્લામાં વન્યપ્રાણીઓ હવે હિંસક બની રહ્યા છે. જિલ્લામાં વન્યપ્રાણીના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. સૌથી વધુ દીપડાના (Leopard) કારણે લોકો ફફડી રહ્યા છે. રાત્રે બે વાગ્યાના આસપાસ ધારીના જીરા ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ગયો હતો અને 3 વર્ષીય બાળકી ચન્દ્રીકા ચારોલાને ઉઠાવી ગયો હતો. દીપડો બાળકીને દૂર દૂર સુધી ઢસડી લઈ ગયો હતો. જોકે બાળકીએ બૂમો પાડતા દીપડો બાળકીને ખેતી વાડી વિસ્તારમાં જ મૂકીને નાસી છૂટ્યો હતો. જો કે દીપડાએ બાળકી પર હુમલો (Attack) કરતા બાળકીનું મોત નીપજ્યુ હતુ. જે પછી ગ્રામજનોએ વનવિભાગને (Forest Department) જાણ કરતા વનવિભાગની ટીમ ગામમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ બાળકીના મૃતદેહને પી.એમ. માટે ધારી હોસ્પિટલ ખસેડાયો છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2025
Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ

દીપડાને પકડવા DCFએ આદેશ આપ્યા

ધારી ગીર પૂર્વ ડીવીઝનના ડી.સી.એફ. રાજદીપ સિંહ ઝાલાએ દીપડો તાકીદે પાંજરે પૂરવા આદેશ આપ્યા બાદ વનવિભાગ દ્વારા ગામમાં 4 જેટલા પાંજરા ગોઠવી દેવાયા છે. વનવિભાગની ટીમ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે અને બપોર બાદ વધુ પાંજરા ગોઠવી રાત્રિના દીપડાને ઓપરેશન હાથ ધરી પાંજરે પૂરવા માટેની તૈયારી શરુ કરી દેવાઇ છે.

સમગ્ર મામલે DCF રાજદીપ સિંહ ઝાલાએ ટીવી નાઇન ડિજિટલને જણાવ્યુ હતુ કે, ”આ ઘટના રાત્રે બે વાગ્યાની આસપાસ ઘટી હતી. હાલ 4 પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. વધુ પાંજરા બપોર બાદ ગોઠવાશે દીપડાને પાંજરે પૂરવા સૂચના આપી દેવાઇ છે. હાલ કાર્યવાહી ચાલુ છે.”

સતત હુમલાની ઘટનાના પગલે વનવિભાગ ચિંતિત

તાજેતરમાં જ સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં દીપડાએ એક મહિલાનો શિકાર કરતા તેનું મોત થયું હતું. ત્યારબાદ ધારીના ડાભાળી જીરા વચ્ચે સિમ વિસ્તારમાં દીપડાએ એક બાળકીને ઉઠાવી તેનો શિકાર કર્યો હતો. ત્યારબાદ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં સિંહણ દ્વારા 6 વ્યક્તિ ઉપર હુમલાની ઘટના બની હતી. છેલ્લે ખાંભાના નાનીધારી ગામમાં સિંહે એક ખેતમજૂર પર હુમલો કરતા તેનું મોત થયું હતું. આમ છેલ્લા એકથી સવા મહિના સુધીમાં સતત વન્યપ્રાણીના હુમલાની ઘટના વધી રહી છે.

(વીથ ઇનપુટ-જયદેવ કાઠી, રાજુલા, અમરેલી)

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">