AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World TB Day 2022 : ટીબી સાથે જોડાયેલી આ 4 ગેરમાન્યતા, જે દરેકને જાણવી જરૂરી છે

વિશ્વ ક્ષય દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોમાં ટીબી વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેને રોકવા માટેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાનો છે. અહીં જાણો ટીબી સાથે જોડાયેલી 4 ગેરમાન્યતાઓ.

World TB Day 2022 : ટીબી સાથે જોડાયેલી આ 4 ગેરમાન્યતા, જે દરેકને જાણવી જરૂરી છે
World TB Day 2022 (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 12:40 PM
Share

ટીબી (TB) માઇકોબેક્ટેરિયમ ટ્યુબરકુલોસિસ (Mycobacterium tuberculosis) નામક બેક્ટીરિયાથી થતી બિમારી છે. આમ તો શરીરમાં ખાસી શરદી હોવાના કારણ અનેક હોય છે પરંતુ ટીબીનીવાત કરીએ તો આ બિમારી ફેફસાને સંક્રમિત કરે છે. ફેફસાના ટીબીથી સંક્રમિત વ્યક્તિને ઉધરસ અને છીંક દરમિયાન નાક અને મોંઢામાંથા લોહી પડવા જેવી સમસ્યા થાય છે. આ બિમારી ઘાતક એટલા માટે છે કે તે શરીરના જે હિસ્સામાં સંક્રમિત થાય છે તે ભાગને સંપુર્ણ ખરાબ કરી નાખે છે. આ માટે ટીબીનો યોગ્ય અને સમયસર ઉપચાર ખુબ જરૂરી બને છે.ડબ્લુએચઓ (WHO)ની માનીએ તો ટીબી હજુ પણ દુનિયાની સૌથી મોટી સંક્રમક કિલર બિમારી છે. રોજ લગભગ 4100 જેટલા લોકો ટીબીના કારણે પોતાની જાન ગુમાવે છે અને 28,000 લોકો આ બિમારીની ચપેટમાં આવે છે.

આ રોગ વિશે લોકોને જાગૃત કરવા અને આ વૈશ્વિક બિમારીને રોકવાના પ્રયાસોને વેગ આપવા માટે દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ડો. રોબર્ટ કોચે 24 માર્ચ 1982ના રોજ ટીબીના બેક્ટેરિયાની શોધ કરી હતી, આ કારણથી દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. તેની થીમ પણ દર વર્ષે બદલાય છે. વર્ષ 2022 માં વિશ્વ ક્ષય રોગ દિવસની થીમ ‘‘इनवेस्ट टू एंड टीबी सेव लाइव्स’ (Invest to End TB Save Lives)’ છે. આજે વિશ્વ ટીબી દિવસ પર જાણીએ આ જીવલેણ રોગ અને તેના વિશેની ભ્રામિક માન્યતા

મિથ-1

લોકો માને છે કે ટીબી રોગ માત્ર ફેફસાંને અસર કરે છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. વિશ્વમાં લગભગ 70 ટકા ફેફસાના ટીબીના દર્દીઓ સામે આવે છે, પરંતુ આ રોગ લોહી દ્વારા તમારા અન્ય અંગોને પણ અસર કરી શકે છે. જ્યારે તે ફેફસાંને અસર કરે છે ત્યારે તેને પલ્મોનરી ટીબી કહેવામાં આવે છે અને જ્યારે તે અન્ય અવયવોને અસર કરે છે ત્યારે તેને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહેવામાં આવે છે.

મિથ-2

બીજી માન્યતા એ છે કે ટીબી હંમેશા ચેપી હોય છે. ના, દરેક ટીબી ચેપી નથી. માત્ર પલ્મોનરી ટીબી ચેપી છે. તેના બેક્ટેરિયા ચેપગ્રસ્ત દર્દીની ખાંસી કે છીંક ખાવાથી હવા મારફતે બીજાના શરીરમાં પ્રવેશ કરે છે. પરંતુ એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી, જે શરીરના અન્ય ભાગોને અસર કરે છે, તે ચેપી નથી.

મિથ-3

ઘણીવાર લોકો માને છે કે ટીબી મૃત્યુ તરફ દોરી જાય છે, પરંતુ એવું નથી. ટીબીની સફળ સારવાર આજના સમયમાં અસ્તિત્વમાં છે. ફક્ત આ રોગને સમયસર ઓળખની જરૂર છે. એકવાર રોગની પુષ્ટિ થઈ જાય, નિષ્ણાતો રોગના ઉપચાર માટે છ થી નવ મહિનાનો સમય લે છે. ગંભીર કિસ્સાઓમાં, આ સારવાર 18 થી 24 મહિના સુધી ચાલી શકે છે. જો તેની સમયસર સારવાર કરવામાં આવે તો આ રોગ સંપૂર્ણ રીતે મટી શકે છે.

મિથ-4

લોકો માત્ર લાંબા સમયની ઉધરસને જ તેનું મુખ્ય લક્ષણ માને છે, પરંતુ એવું નથી. તેનું પ્રારંભિક લક્ષણ લાંબા સમય સુધી ઉધરસ આવે છે. આ સિવાય ઉધરસમાં કફ કે લોહી આવવું, ભૂખ ન લાગવી, વજન ઘટવું, છાતીમાં દુખાવો, હળવો તાવ, રાત્રે પરસેવો આવવો પણ તેના લક્ષણો છે. બીજી તરફ, જો એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી હોય, તો અસરગ્રસ્ત વિસ્તારને લગતી ગંભીર પીડા, સોજો અથવા અન્ય સમસ્યાઓ હોઈ શકે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો :Sonia Gandhiએ 26 માર્ચે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા

આ પણ વાંચો :WhatsApp Updates: હવે દરેક મેસેજનો ટાઈપ કરી નહીં આપવો પડે જવાબ, આવ્યું ઈમોજી રિએક્શન, જાણો કોણ કરી શકશે ઉપયોગ

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">