World TB Day 2022 : ટીબી સાથે જોડાયેલી આ 4 ગેરમાન્યતા, જે દરેકને જાણવી જરૂરી છે

વિશ્વ ક્ષય દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોમાં ટીબી વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેને રોકવા માટેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાનો છે. અહીં જાણો ટીબી સાથે જોડાયેલી 4 ગેરમાન્યતાઓ.

World TB Day 2022 : ટીબી સાથે જોડાયેલી આ 4 ગેરમાન્યતા, જે દરેકને જાણવી જરૂરી છે
World TB Day 2022 (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 12:40 PM

ટીબી (TB) માઇકોબેક્ટેરિયમ ટ્યુબરકુલોસિસ (Mycobacterium tuberculosis) નામક બેક્ટીરિયાથી થતી બિમારી છે. આમ તો શરીરમાં ખાસી શરદી હોવાના કારણ અનેક હોય છે પરંતુ ટીબીનીવાત કરીએ તો આ બિમારી ફેફસાને સંક્રમિત કરે છે. ફેફસાના ટીબીથી સંક્રમિત વ્યક્તિને ઉધરસ અને છીંક દરમિયાન નાક અને મોંઢામાંથા લોહી પડવા જેવી સમસ્યા થાય છે. આ બિમારી ઘાતક એટલા માટે છે કે તે શરીરના જે હિસ્સામાં સંક્રમિત થાય છે તે ભાગને સંપુર્ણ ખરાબ કરી નાખે છે. આ માટે ટીબીનો યોગ્ય અને સમયસર ઉપચાર ખુબ જરૂરી બને છે.ડબ્લુએચઓ (WHO)ની માનીએ તો ટીબી હજુ પણ દુનિયાની સૌથી મોટી સંક્રમક કિલર બિમારી છે. રોજ લગભગ 4100 જેટલા લોકો ટીબીના કારણે પોતાની જાન ગુમાવે છે અને 28,000 લોકો આ બિમારીની ચપેટમાં આવે છે.

આ રોગ વિશે લોકોને જાગૃત કરવા અને આ વૈશ્વિક બિમારીને રોકવાના પ્રયાસોને વેગ આપવા માટે દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ડો. રોબર્ટ કોચે 24 માર્ચ 1982ના રોજ ટીબીના બેક્ટેરિયાની શોધ કરી હતી, આ કારણથી દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. તેની થીમ પણ દર વર્ષે બદલાય છે. વર્ષ 2022 માં વિશ્વ ક્ષય રોગ દિવસની થીમ ‘‘इनवेस्ट टू एंड टीबी सेव लाइव्स’ (Invest to End TB Save Lives)’ છે. આજે વિશ્વ ટીબી દિવસ પર જાણીએ આ જીવલેણ રોગ અને તેના વિશેની ભ્રામિક માન્યતા

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

મિથ-1

લોકો માને છે કે ટીબી રોગ માત્ર ફેફસાંને અસર કરે છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. વિશ્વમાં લગભગ 70 ટકા ફેફસાના ટીબીના દર્દીઓ સામે આવે છે, પરંતુ આ રોગ લોહી દ્વારા તમારા અન્ય અંગોને પણ અસર કરી શકે છે. જ્યારે તે ફેફસાંને અસર કરે છે ત્યારે તેને પલ્મોનરી ટીબી કહેવામાં આવે છે અને જ્યારે તે અન્ય અવયવોને અસર કરે છે ત્યારે તેને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહેવામાં આવે છે.

મિથ-2

બીજી માન્યતા એ છે કે ટીબી હંમેશા ચેપી હોય છે. ના, દરેક ટીબી ચેપી નથી. માત્ર પલ્મોનરી ટીબી ચેપી છે. તેના બેક્ટેરિયા ચેપગ્રસ્ત દર્દીની ખાંસી કે છીંક ખાવાથી હવા મારફતે બીજાના શરીરમાં પ્રવેશ કરે છે. પરંતુ એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી, જે શરીરના અન્ય ભાગોને અસર કરે છે, તે ચેપી નથી.

મિથ-3

ઘણીવાર લોકો માને છે કે ટીબી મૃત્યુ તરફ દોરી જાય છે, પરંતુ એવું નથી. ટીબીની સફળ સારવાર આજના સમયમાં અસ્તિત્વમાં છે. ફક્ત આ રોગને સમયસર ઓળખની જરૂર છે. એકવાર રોગની પુષ્ટિ થઈ જાય, નિષ્ણાતો રોગના ઉપચાર માટે છ થી નવ મહિનાનો સમય લે છે. ગંભીર કિસ્સાઓમાં, આ સારવાર 18 થી 24 મહિના સુધી ચાલી શકે છે. જો તેની સમયસર સારવાર કરવામાં આવે તો આ રોગ સંપૂર્ણ રીતે મટી શકે છે.

મિથ-4

લોકો માત્ર લાંબા સમયની ઉધરસને જ તેનું મુખ્ય લક્ષણ માને છે, પરંતુ એવું નથી. તેનું પ્રારંભિક લક્ષણ લાંબા સમય સુધી ઉધરસ આવે છે. આ સિવાય ઉધરસમાં કફ કે લોહી આવવું, ભૂખ ન લાગવી, વજન ઘટવું, છાતીમાં દુખાવો, હળવો તાવ, રાત્રે પરસેવો આવવો પણ તેના લક્ષણો છે. બીજી તરફ, જો એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી હોય, તો અસરગ્રસ્ત વિસ્તારને લગતી ગંભીર પીડા, સોજો અથવા અન્ય સમસ્યાઓ હોઈ શકે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો :Sonia Gandhiએ 26 માર્ચે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા

આ પણ વાંચો :WhatsApp Updates: હવે દરેક મેસેજનો ટાઈપ કરી નહીં આપવો પડે જવાબ, આવ્યું ઈમોજી રિએક્શન, જાણો કોણ કરી શકશે ઉપયોગ

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">