AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ બાકરોલ ગામ નજીક સાબરમતી નદીમાં 25 લોકો ફસાયા, બોટ વડે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી, જુઓ Video

ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે ઘણા ડેમ છલકાયા છે. ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવાથી અમદાવાદની સાબરમતી નદી બંને કાંઠે વહે છે. બાકરોલ ગામ પાસે 20-25 શ્રમિકો નદીમાં ફસાયા

Breaking News : અમદાવાદ બાકરોલ ગામ નજીક સાબરમતી નદીમાં 25 લોકો ફસાયા, બોટ વડે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી, જુઓ Video
Sachin Kolte
| Edited By: | Updated on: Aug 25, 2025 | 2:46 PM
Share

ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદને કારણે અનેક ડેમો છલકાયા છે. ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. નદીમાં પાણીનું સ્તર વધતા રિવરફ્રન્ટના નીચાણવાળા વિસ્તારો અને વોક-વે પર પાણી ફરી વળ્યું છે.

બાકરોલ ગામ નજીક શ્રમિકો ફસાયા

માહિતી મુજબ, સાબરમતી નદીમાં ડેમનું પાણી છોડાતા પાણીનો પ્રવાહ વધુ તેજ બન્યો હતો. અમદાવાદના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામ પાસે નદી પર બની રહેલા ઓવરબ્રિજના કામમાં લાગેલા 20થી 25 જેટલા શ્રમિકો નદીના વધતા પાણીમાં ફસાઈ ગયા હતા.

ઘટના અંગે જાણ થતા અમદાવાદ ફાયર વિભાગની ટીમ ચાર-પાંચ વાહનો અને ત્રણ બોટ સાથે તાત્કાલિક પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન ચલાવી શ્રમિકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ અસર

સુભાષ બ્રિજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડાયા બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો કેટલોક સામાન પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હોવાની માહિતી મળી છે.

અમદાવાદમાં સતત ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી છોડવાને કારણે આજે સવારે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. એનએચએસઆરસીએલ દ્વારા અમદાવાદમાં સાબરમતી નદી પર 36 મીટર ઊંચો પુલ બનાવવામાં આવી રહ્યો છે, જેના તમામ ફાઉન્ડેશન અને પિયરનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં પુલનો ડેક બેલેન્સ કેન્ટીલીવર ટેકનિકથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ બાંધકામ હેઠળના પુલ પર પૂરની કોઈ અસર નથી. એનએચએસઆરસીએલના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સતત સાઇટ પર પરિસ્થિતિની દેખરેખ રાખી રહ્યા છે અને શહેર પ્રશાસન સાથે સમન્વય બનાવી રહ્યા છે. સાઇટ પર બનાવેલા અસ્થાયી ઢાંચા અને વ્યવસ્થાઓની સુરક્ષા માટે તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Tv9 ની ટીમે જ્યારે મજૂરો સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે આ લોકો સવાર થી ફસાયેલા હતા. જોકે પાણી એક એક વધી જતાં તેઑને આ ઘટના પહેલા ખબર ન પડી. રેલવેનું કામ આ ફસાયેલા મજૂરો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અચાનક પાણીના સ્તરમાં જ્યાં કામ કરે છે તે જ જગ્યા પર રહે છે. કારીગરોનું કહેવું છે કે બોટ વડે તંત્ર રેકસ્યું કરવા માટે આવ્યા.

મહત્વનું છે જે આ વિસ્તારમાં બાવળ વધુ હોવા સાથે પાણીના ફોર્સને કારણે રેસ્ક્યૂ માટે જે બોટ જઈ રહી છે. તે ગમે ત્યારે પલટી ખાઈ જાય તેવી શક્યતા છે.

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અમદાવાદના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">