Ahmedabad રેલવે સ્ટેશનથી ઉપડતી ત્રણ ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે
અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશ્યલ, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે.
અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશ્યલ, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે. જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલ્વે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય હોવાને કારણે, અમદાવાદથી ઉપડતી આ ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે:-
આ ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
- ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ તારીખ 11 નવેમ્બર 2022ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે.
- ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા એક્સપ્રેસ તારીખ 11, 13 અને 16 નવેમ્બર 2022ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે.
- ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ તારીખ 10, 12, 14, 15 અને 17 નવેમ્બર 2022 ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે
- ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ તારીખ 14 નવેમ્બર 2022ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડીને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.
- ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 12, 14 અને 16 નવેમ્બર 2022 ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડીને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.
- ટ્રેન નંબર 19168 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 10, 11, 13, 15 અને 17 નવેમ્બર 2022 ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડી ને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.
- ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો
www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલ્વે મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થાન પર આગમન સમયે COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.