AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની આ જમીન સાણંદના હજારો લોકો માટે બની છે ખજાનો, જાણો દિવસ-રાત ખોદકામ કરી લોકો શું કાઢી રહ્યા છે

અમદાવાદના ન્યુ રાણીપમાં એક એવો વિસ્તાર આવેલો છે કે જ્યાં દરરોજ હજારોની ભીડ એકઠી થઈ રહી છે. સૌ કોઈ હાથમાં કોદાળી અને પાવડા સાથે જોવા મળી રહ્યા છે. સૌ કોઈના હાથમાં મોટા થેલા કે કોથળા દેખાય છે.

અમદાવાદની આ જમીન સાણંદના હજારો લોકો માટે બની છે ખજાનો, જાણો દિવસ-રાત ખોદકામ કરી લોકો શું કાઢી રહ્યા છે
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 9:33 AM
Share

અમદાવાદ (Ahmedabad)ના ન્યુ રાણીપ (New Ranip)માં છેલ્લા 40 દિવસથી લોકો હજારોની સંખ્યામાં આવે છે અને ખોદકામ (Excavation) કરે છે. આ ખોદકામ દિવસ રાત ચાલી રહ્યું છે. લોકો થેલા ભરી ભરીને જાણે કઈ કિંમતી વસ્તુઓ લઈને જઈ રહ્યા છે. આવી ઘટના સામે આવતા TV9ની ટીમે આ અંગે તપાસ હાથ ધરી હતી. જો કે જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી.

અમદાવાદના ન્યુ રાણીપમાં એક એવો વિસ્તાર આવેલો છે કે જ્યાં દરરોજ હજારોની ભીડ એકઠી થઈ રહી છે. સૌ કોઈ હાથમાં કોદાળી અને પાવડા સાથે જોવા મળી રહ્યા છે. સૌ કોઈના હાથમાં મોટા થેલા કે કોથળા દેખાય છે અને સૌ કોઈ કોથળો ભરી ભરીને પરત ફરતા દેખાય છે. જેને જોઈને સૌ કોઈને જાણવાની ઉત્સુકતા થાય છે કે આખરે અહીં જમીનમાં લોકો શું શોધી રહ્યા છે. આ સમગ્ર હકીકત જાણવા માટે TV9ની ટીમ ન્યુ રાણીપના એ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે કોઈ પણ જોઈને ચોંકી જાય. લોકો ઘરના કામકાજ મુકીને બાળકો સહિત આ જમીનમાં ખોદકામ કરી રહ્યા હોવાનું જોવા મળ્યુ.

અમદાવાદની આ જમીન હજારો લોકોને પૈસાની લ્હાણી કરાવનારી સાબિત થઈ છે. અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં જે રેલવે પ્લોટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સોંપી દેવામાં આવ્યો છે. ત્યાં ખુબ જ મોટી માત્રામાં લોખંડ કે ધાતુ મળી આવતા હજારોની સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે. કોથળામાં લોખંડ ભરી જઈને લોકો બહાર ભંગારમાં વેચીને હજારો કમાઈ રહ્યા છે. આજ કારણ છે કે અહીં લોકો ઝઘડતા પણ જોવા મળે છે.

મોટી સંખ્યામાં અહીં લોકો ખોદકામ માટે આવતા હોવાનું જોઈને રિક્ષા ચાલકોએ અહીંથી ભાડા બમણાં કરી દીધા છે. અહીં લોકો માટે નાસ્તા-પાણીની દુકાનો રાતોરાત ઉભી થઈ ગઈ છે. પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરવાનો આક્ષેપ લાગી રહ્યો છે. આ ભીડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં આવનારા મજૂરોને જોતા સ્થાનિક લોકોની ઊંઘ બગડી રહી છે. 40 દિવસથી ખોદકામ કરતા આ લોકો સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે, પરંતુ પોલીસ પણ કોઈ કડક કાર્યવાહી કરી રહી નથી.

પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાના કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. પોલીસ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની રાહ જોઈ રહી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. બીજી તરફ સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો અહીં કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે?

આ પણ વાંચો- PSIની પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ ઝડપાયુ, 2 આરોપીઓ પોલીસ સકંજામાં, આ રીતે પડાવતા હતા પૈસા

આ પણ વાંચો- આજે PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા, 312 પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત ગોઠવાયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">