ગુજરાતના મહાનગરોની પોલીસ જાગી ઉઠી ! બોટાદ લઠ્ઠાકાંડ બાદ દારુની ભઠ્ઠીઓ પર પોલીસની રેડ , ખુલ્લેઆમ દારુનું વેચાણ સામે આવ્યુ

બોટાદ લઠ્ઠાકાંડ (Botad Lathha kand) બાદ સરકાર પર દબાણ આવ્યુ એટલે પોલીસતંત્ર એક્ટિવ થયું. હવે આ પ્રકારની કોઈ ઘટના અન્ય જગ્યાએ ના બને તે માટે અલગ અલગ શહેરોમાં પોલીસ રેડ (Police Red) કરી રહી છે.

ગુજરાતના મહાનગરોની પોલીસ જાગી ઉઠી ! બોટાદ લઠ્ઠાકાંડ બાદ દારુની ભઠ્ઠીઓ પર પોલીસની રેડ , ખુલ્લેઆમ દારુનું વેચાણ સામે આવ્યુ
રાજ્યના મહાનગરોમાં દારુના અડ્ડા પર પોલીસની રેડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 4:23 PM

બરવાળાના ઝેરી દારૂકાંડની (Botad Latthakand) ઘટનાએ ગુજરાત (Gujarat) સહિત દેશના લોકોને હચમચાવી દીધા છે. શરૂઆતમાં 7 લોકોના મોતની ખબર આવી, બાદમાં 10 અને હવે 29થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. નવાઈની વાત તો એ છે કે આ ઘટના ગાંધીના ગુજરાતની છે કે જ્યાં પહેલેથી જ દારૂબંધી છે. દારૂબંધીના નામે મજાક હોય તેવી ઘટનાને લીધે સરકાર પર સવાલ થવા ખુબ વ્યાજબી છે. સરકાર પર દબાણ આવ્યુ એટલે પોલીસતંત્ર એક્ટિવ થયું. હવે આ પ્રકારની કોઈ ઘટના અન્ય જગ્યાએ ના બને તે માટે અલગ અલગ શહેરોમાં પોલીસ રેડ (Police Red) કરી રહી છે.

રાજકોટમાં દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ

રાજકોટના કુબલિયાપરામાં દેશી દારૂની અનેક ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જેના કારણે પોલીસ અને તંત્રની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કુબલિયાપરામાં ઠેર-ઠેર બેરોકટોકપણે દેશી દારૂ બની રહ્યો છે. TV9ની ટીમે કુબલિયાપરા પહોંચી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ કર્યો છે. TV9ના કેમેરામાં દારૂની ભઠ્ઠીઓ કેદ થઇ. TV9એ અહેવાલ પ્રસારિત કરતાં જ પોલીસની ટીમ કુબલિયાપરા પહોંચી અને દારૂની ભઠ્ઠીઓ મુદ્દે કાર્યવાહી શરૂ કરી. પરંતુ સવાલ એ છે કે અહીં કોની રહેમનજર હેઠળ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. શું રાજકોટમાં પણ ઝેરી દારૂકાંડ થવાની રાહ જોવાઇ રહી છે ?

વડોદરામાં અનગઢમાંથી દેશી દારુ વેચનારા પકડાયા

ઝેરી દારૂકાંડ બાદ વડોદરા પોલીસ જાગી છે. ઝેરી દારૂકાંડ જેવી ઘટના વડોદરામાં ન બને તે માટે શહેરના વિવિધ ઝોનમાં પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. ફતેગંજ, નંદેસરી, જવાહરનગર વિસ્તારમાં પોલીસે દરોડા પાડયા હતા. જયાં પોલીસે એકતાનગર, છાણી કેનાલ અને અનગઢમાંથી દેશી દારુ વેચનારા લોકોને પકડી પાડયા હતા અને તમામ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

અમદાવાદમાં દોષિતો સામે કાર્યવાહી

અમદાવાદ શહેરમાં પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેંકિગ હાથ ધરવામાં આવ્યુ હતુ. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારના કંટોડિયા વાસમાં પીસીબીએ દરોડા પાડ્યા હતા. અલગ અલગ જગ્યા પર સ્થાનિક પોલીસ અને એજન્સીએ દરોડા પાડ્યા. પોલીસ કમિશ્નર દ્વારા પણ તમામ દારૂના અડ્ડા પર તાબડતોડ કાર્યવાહી કરી દોષિત લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

સુરતમાં પણ અનેક ભઠ્ઠીઓ બંધ કરાવાઇ

સુરતના પણ અનેક વિસ્તારોમાં પોલીસ તંત્રએ કાર્યવાહી કરી અને તુરંત ભઠ્ઠીઓ બંધ કરાવી હતી. અમદાવાદ વડોદરા સુરત રાજકોટ તમામ જગ્યાએ પોલીસ હવે જાગી છે. પરંતુ સવાલ એ છે કે દારૂના દૂષણને કાયમી નાથવાની જવાબદારી સરકારની છે. ગુજરાતમાં દારૂબંદી હોવા છતાં જો આમ ખુલ્લેઆમ દારૂ બનતો હોય તો તે રાજ્યની સરકાર માટે શરમજનક બાબત છે. ખોટા વાયદાઓ નહી પરંતુ નક્કર પગલા સમયની માગ છે નહી તો ઘટનાઓ બનશે ત્યારે માત્ર પબ્લિક સેન્ટિમેન્ટના લીધે થોડા પગલા લેવાશે પછી કદાચ ફરી વાર ઘટના ઘટે તેની રાહ જોવાશે. જરૂરી છે કે તાબડતોડ પગલા લઈને સ્થિતિ સુધરે નહી તો વિકાસ માત્ર કાગળ પર રહી જશે. અને તે જમીની હકીકતથી અલગ હશે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">