AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં પથ્થરામારાની ઘટના બાદ કોંગ્રેસ કાર્યકરનું છલકાયુ દર્દ, વીડિયો વાયરલ કરી પ્રદેશ નેતાગીરી સામે લગાવ્યા ગંભીર આરોપ – જુઓ Video

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ 5 કાર્યકરો જેલમાં બંધ છે જ્યારે અન્ય 21 કાર્યકરો નાસતા ફરે છે. આ મામલે મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કરી પ્રદેશ નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે 'સંગઠન'ની વાતો કરતી કોંગ્રેસ વારંવાર કાર્યકરોની અવગણના કરે છે. જે ચલાવી લેવામાં નહીં આવે. 

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 09, 2024 | 7:20 PM

અમ઼દાવાદમાં રાજીવ ગાંધી ભવન પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે 5 કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી, આ 5 કાર્યકર્તાઓ હાલ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે જ્યારે અન્ય 21 કાર્યકર્તાઓ નાસતા ફરે છે. 2 જૂલાઈએ બનેલી આ ઘટના બાદ આ કાર્યકર્તાઓની પ્રદેશ નેતાગીરી દ્વારા કોઈ દરકાર ન લેવાતી હોવાનુ ફરિયાદ ઉઠી. મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કરી આકરા શબ્દોમાં તેમની પીડા વ્યક્ત કરી છે અને પ્રદેશ નેતાગીરીની આકરી ઝાટકણી કાઢી છે.

મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કર્યો

આક્રોષ સાથે રાહુ રાજપૂત જણાવી રહ્યા છે કે પ્રદેશ નેતાગીરીના એક ફોન પર હાજર થઈ જનારા કાર્યકર્તાઓને આજે કોઈ પૂછી પણ નથી રહ્યુ. 2 જૂલાઈએ થયેલી મારામારીની ઘટના બાદ 21 કાર્યકર્તાઓ આજે પણ નાસતા ફરે છે પરંતુ કોંગ્રેસના આગેવાનોને તેમની કંઈ પડી નથી. ઘટનાને એક સપ્તાહ વિતવા આવ્યુ પરંતુ એકપણ કાર્યકરને ફોન કરીને કોઈએ પૂછવાની પણ દરકાર લીધી નથી. રાહુલ રાજપૂતેપ્રદેશ નેતાગીરી કે શહેર પ્રમુખે નાસતા ફરતા કાર્યકરોને ફોન ના કર્યો હોવાનો બળાપો કાઢ્યો છે.

મેહુલ રાજપૂતે કહ્યુ કે એક કાર્યકર્તા તરીકે મારા પર અમદાવાદ કોંગ્રેસ શહેર સમિતિ કે કોંગ્રેસ કાર્યાલય તરફથી એક ફોન નેતાનો કે પ્રમુખનો ફોન નથી આવ્યો. કોઈએ નાસતા ફરતા 21 કાર્યકર્તાઓની નોંધ સુદ્ધા નથી લીધી.

Viral Video : 'એકે હજારા' રીંછે વાઘને ભગાડયો, વીડિયો જોઈ ચોંકી જશો
પંચાયતના સચિવ રિયલ લાઈફમાં કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
ગુરુ પૂર્ણિમાના દિવસે આટલી વસ્તુઓ ઘરે લાવો એટલે તમારું જીવન ધન્ય-ધન્ય
ચોમાસામાં બગડી શકે છે ખાદ્યતેલ, આ 7 ભૂલો મોંઘી સાબિત થશે
આ ખરાબ આદતો બદલી દો, નહીંતર તમારા ફોનને ખરાબ થવામાં વધુ સમય નહીં લાગે
Shravan Somvar : શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તારીખ અને પૂજાવિધિનો સમય

ભાજપમાં ગયેલાઓના ફોન આવ્યા પણ અત્યારના નેતાઓના નહિ: કાર્યકર

મેહુલ રાજપૂતે જણાવ્યુ કે કોંગ્રેસ છોડી જનારા ધર્મેન્દ્ર પટેલે માણસાઈના નાતે ફોન કર્યો જ્યારે પ્રદેશ નેતાગીરી તે વિવેક પણ ચૂકી ગઈ છે. માત્ર એક મેસેજ કે એક ફોન આવતા જ કાર્યકરો કોઈપણ કાર્યક્રમ, ધરણા, આંદોલનની તમામ કામગીરી પોતાના શિરે લઈ લેતા હોય છે, એ કાર્યકરોનું દર્દ પ્રદેશ નેતાગીરીને કેમ આજે દેખાતુ નથી! કાર્યકરોના હાલચાલ જાણવાની, તેમના પરિવારના ખબર અંતર જાણવાની પણ પ્રદેશ નેતાગીરીની ફરજ હોય છે, પરંતુ તેમને કાર્યકરોની કંઈ પડી નથી.

કોંગ્રેસ કાર્યકર્તાના આરોપ પર મનિષ દોશીનું આશ્વાસન

જો કે આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમણે જણાવ્યુ છે કે કોઈપણ કાર્યકરને ગમે તે મુશ્કેલી હોય પ્રદેશ કોંગ્રેસ સમિતિ હંમેશા કાર્યકર્તાઓના મદદ કરવા તૈયાર છે. કાર્યકર્તાઓને સમસ્યા હોય તો શહેર પ્રમુખ અને પ્રદેશના નેતાઓનો સંપર્ક કરી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
g clip-path="url(#clip0_868_265)">