અમદાવાદમાં પથ્થરામારાની ઘટના બાદ કોંગ્રેસ કાર્યકરનું છલકાયુ દર્દ, વીડિયો વાયરલ કરી પ્રદેશ નેતાગીરી સામે લગાવ્યા ગંભીર આરોપ – જુઓ Video

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ 5 કાર્યકરો જેલમાં બંધ છે જ્યારે અન્ય 21 કાર્યકરો નાસતા ફરે છે. આ મામલે મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કરી પ્રદેશ નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે 'સંગઠન'ની વાતો કરતી કોંગ્રેસ વારંવાર કાર્યકરોની અવગણના કરે છે. જે ચલાવી લેવામાં નહીં આવે. 

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 09, 2024 | 7:20 PM

અમ઼દાવાદમાં રાજીવ ગાંધી ભવન પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે 5 કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી, આ 5 કાર્યકર્તાઓ હાલ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે જ્યારે અન્ય 21 કાર્યકર્તાઓ નાસતા ફરે છે. 2 જૂલાઈએ બનેલી આ ઘટના બાદ આ કાર્યકર્તાઓની પ્રદેશ નેતાગીરી દ્વારા કોઈ દરકાર ન લેવાતી હોવાનુ ફરિયાદ ઉઠી. મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કરી આકરા શબ્દોમાં તેમની પીડા વ્યક્ત કરી છે અને પ્રદેશ નેતાગીરીની આકરી ઝાટકણી કાઢી છે.

મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કર્યો

આક્રોષ સાથે રાહુ રાજપૂત જણાવી રહ્યા છે કે પ્રદેશ નેતાગીરીના એક ફોન પર હાજર થઈ જનારા કાર્યકર્તાઓને આજે કોઈ પૂછી પણ નથી રહ્યુ. 2 જૂલાઈએ થયેલી મારામારીની ઘટના બાદ 21 કાર્યકર્તાઓ આજે પણ નાસતા ફરે છે પરંતુ કોંગ્રેસના આગેવાનોને તેમની કંઈ પડી નથી. ઘટનાને એક સપ્તાહ વિતવા આવ્યુ પરંતુ એકપણ કાર્યકરને ફોન કરીને કોઈએ પૂછવાની પણ દરકાર લીધી નથી. રાહુલ રાજપૂતેપ્રદેશ નેતાગીરી કે શહેર પ્રમુખે નાસતા ફરતા કાર્યકરોને ફોન ના કર્યો હોવાનો બળાપો કાઢ્યો છે.

મેહુલ રાજપૂતે કહ્યુ કે એક કાર્યકર્તા તરીકે મારા પર અમદાવાદ કોંગ્રેસ શહેર સમિતિ કે કોંગ્રેસ કાર્યાલય તરફથી એક ફોન નેતાનો કે પ્રમુખનો ફોન નથી આવ્યો. કોઈએ નાસતા ફરતા 21 કાર્યકર્તાઓની નોંધ સુદ્ધા નથી લીધી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ભાજપમાં ગયેલાઓના ફોન આવ્યા પણ અત્યારના નેતાઓના નહિ: કાર્યકર

મેહુલ રાજપૂતે જણાવ્યુ કે કોંગ્રેસ છોડી જનારા ધર્મેન્દ્ર પટેલે માણસાઈના નાતે ફોન કર્યો જ્યારે પ્રદેશ નેતાગીરી તે વિવેક પણ ચૂકી ગઈ છે. માત્ર એક મેસેજ કે એક ફોન આવતા જ કાર્યકરો કોઈપણ કાર્યક્રમ, ધરણા, આંદોલનની તમામ કામગીરી પોતાના શિરે લઈ લેતા હોય છે, એ કાર્યકરોનું દર્દ પ્રદેશ નેતાગીરીને કેમ આજે દેખાતુ નથી! કાર્યકરોના હાલચાલ જાણવાની, તેમના પરિવારના ખબર અંતર જાણવાની પણ પ્રદેશ નેતાગીરીની ફરજ હોય છે, પરંતુ તેમને કાર્યકરોની કંઈ પડી નથી.

કોંગ્રેસ કાર્યકર્તાના આરોપ પર મનિષ દોશીનું આશ્વાસન

જો કે આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમણે જણાવ્યુ છે કે કોઈપણ કાર્યકરને ગમે તે મુશ્કેલી હોય પ્રદેશ કોંગ્રેસ સમિતિ હંમેશા કાર્યકર્તાઓના મદદ કરવા તૈયાર છે. કાર્યકર્તાઓને સમસ્યા હોય તો શહેર પ્રમુખ અને પ્રદેશના નેતાઓનો સંપર્ક કરી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">