AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં LRD પરિક્ષાર્થીઓ માટે એસટી વિભાગે કર્યું વિશેષ આયોજન, વધારાની બસો દોડાવાશે

એસટી નિગમના(GSRTC) સચિવ કે ડી દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે 10 એપ્રિલે 9 સેન્ટરો પર મોટી સંખ્યામાં ઉમેદવારો લોકરક્ષક દળની પરીક્ષા આપવાના છે. જેને લઈને એસટી નિગમના અધિકારીઓ દ્વારા દરેક વિભાગને સૂચના આપવામાં આવી છે કે દરેક ડેપો મેનેજરને હેડ ક્વાર્ટરમાં હાજર રહેવું અને દરેક બસ સ્ટેશન પર લોક રક્ષક દળની પરીક્ષાના ઉમેદવાર આવે તો તેના માટે સીડીયલ બસ છે તેની વ્યવસ્થા પર નજર રાખે.

Gujarat માં LRD પરિક્ષાર્થીઓ માટે એસટી વિભાગે કર્યું વિશેષ આયોજન, વધારાની બસો દોડાવાશે
GSRTC Bus (File Image)
Darshal Raval
| Edited By: | Updated on: Apr 09, 2022 | 5:15 PM
Share

ગુજરાતમાં(Gujarat)  10 એપ્રિલના લોકરક્ષક દળની(Lok Rakshak Dal)  પરીક્ષા યોજવવાની છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ગાંધીનગરમાં પરીક્ષા કેન્દ્ર છે. ત્યારે પરીક્ષાર્થીઓ માટે એસટી નિગમ(ST Bus)  દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજનના ભાગ રૂપે પરીક્ષાર્થી ઓને જવા અને આવવા માટે બસ મળી રહે તે માટે વધારાની બસ દોડાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક ડિવિઝનને સુચના પણ આપી દેવામાં આવી છે કે બસ સ્ટેશન પરથી પેસેન્જરને લેતી વખતે પરીક્ષાર્થીને પ્રાયોરિટી આપવામાં આવે. તેમજ માર્ગમાં પરીક્ષા કેન્દ્ર આવતા હોય તો પરીક્ષાર્થી કહે તો બસ રોકી ઉતારી દેવા પણ સૂચના આપવામાં આવી છે.

પરીક્ષાર્થીઓને  બસમાં બેસવા માટે પ્રથમ પસંદગી આપવા માટે જાણ કરવામાં આવી

એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે 10 એપ્રિલે 9 સેન્ટરો પર મોટી સંખ્યામાં ઉમેદવારો લોકરક્ષક દળની પરીક્ષા આપવાના છે. જેને લઈને એસટી નિગમના અધિકારીઓ દ્વારા દરેક વિભાગને સૂચના આપવામાં આવી છે કે દરેક ડેપો મેનેજરને હેડ ક્વાર્ટરમાં હાજર રહેવું અને દરેક બસ સ્ટેશન પર લોક રક્ષક દળની પરીક્ષાના ઉમેદવાર આવે તો તેના માટે સીડીયલ બસ છે તેની વ્યવસ્થા પર નજર રાખે. તેમજ આખી બસના પરીક્ષાર્થી થાય તો એક્સ્ટ્રા બસનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે. તો પરીક્ષાર્થીઓને  બસમાં બેસવા માટે પ્રથમ પસંદગી આપવા માટે જાણ કરવામાં આવી છે.

વધુમાં એ પણ જણાવ્યું હતું કે કોઈ પણ પરિક્ષાર્થી સીટીમાં પરીક્ષા કેન્દ્રના નજીક ઉતરવા માંગતો હોય તો ફરજ પરના સ્ટાફે તેને ઉતારવાનો રહેશે.જે ભાડુ નિયત કરવામાં આવ્યું તે લેવાનું રહેશે. પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે તે માટે એસટી નિગમે પૂરતી મદદ કરવામાં આવે તેવી તમામ વિભાગીય નિયામકને સૂચના આપવામાં આવી છે. જેથી કોઈ પણ પરિક્ષાર્થી પરીક્ષા આપવાથી વંચિત ન રહી જાય. તેમજ કોઇપણ તકલીફ વિના પરીક્ષાર્થી એલઆરડીની પરીક્ષા આપી શકે.

આ પણ વાંચો :  Ahmedabad: સોલા સિવિલમાં સિનિયર ડૉકટર સહિત વર્ગ-૩ના કર્મચારી પણ હડતાળ પર, કામકાજથી અળગા રહીને નોંધાવ્યો વિરોધ

આ પણ વાંચો :  ડર્ટી પોલિટીક્સઃ રાદડિયા સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે સરકાર હરીફ જૂથને પ્રોત્સાહન પણ આપી રહી છે અને કાર્યવાહી પણ નથી કરતી!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">