Ahmedabad: સોનીની ચાલીમાં લાકડાના ગોડાઉનમાં આગ, 11 ફાયર બ્રિગેડની ગાડીએ આગ પર કાબુ મેળવ્યો

Ahmedabad : સોનીની ચાલી વિસ્તારમાં આવેલ નરનારાયણ એસ્ટેટ (Naranarayana Estate)માં આગની લાગવાની ઘટના સામે આવી હતી. લાકડાના પીઠા બનાવતા ગોડાઉનમાં અગમ્ય કારણસર આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ  ફાયર બ્રિગેડ ( (Fire Brigade) ની 11 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 14, 2021 | 4:50 PM

Ahmedabad : સોનીની ચાલી વિસ્તારમાં આવેલ નરનારાયણ એસ્ટેટ (Naranarayana Estate)માં આગની લાગવાની ઘટના સામે આવી હતી. લાકડાના પીઠા બનાવતા ગોડાઉનમાં અગમ્ય કારણસર આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ  ફાયર બ્રિગેડ (Fire Brigade) ની 11 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલ સોનીની ચાલી વિસ્તારમાં નરનારાયણ એસ્ટેટમાં આગ લાગી હતી , આગ લાગતા જ ફાયર બ્રિગેડ ( (Fire Brigade) ની 11 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી ફાયર જવાનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ કરી હતી. આગ આસપાસના ગોડાઉનમાં પ્રસરે નહિ તે માટે ફાયરના જવાનોએ ચારે તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો.

ગોડાઉનમાં મોટી સંખ્યામાં લાકડાઓનો જથ્થો પડ્યો હોવાના કારણે આગ બુઝાવવામાં ફાયરના જવાનોને મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડ ( (Fire Brigade) ના જવાનોએ આગ આસપાસના વિસ્તારમાં ન પ્રસરે તેની પણ કાળજી લીધી હતી.

અમદાવાદ ફાયરબ્રિગેડના ઓફિસર (Fire Brigade Officer) ઓ.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, હજુ સુધી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ ક્યા કારણોસર લાગી છે તે દિશામાં હાલમાં કામગીરી કરવામાં આવી છે તેમજ આગ પર કાબુ મેળવવામા આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ અમદાવાદ (Ahmedabad)ના બોધા પોલીસ ચોકી પાસે નેશનલ ઓટો મોબાઈલ કંપની (National Auto Mobile Company)માં પણ ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ (Fire Brigade)ની 31 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad: બોઘા પોલીસ ચોકી પાસે નેશનલ ઓટો મોબાઈલ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 31 ગાડી ઘટના સ્થળે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">