Ahmedabad: રાજ્યમાં પ્રથમવાર સિવિલ હોસ્પિટલમાં બજાણિયા પરિવાર દ્વારા કરાયુ નાના આંતરડાનું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલી અંગદાન ઝુંબેશમાં પ્રથમવાર રાજ્યમાં નાના આંતરડાનું દાન મળ્યુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગરના બજાણિયા પરિવાર દ્વારા આ દાન કરવામાં આવ્યુ છે.

Ahmedabad: રાજ્યમાં પ્રથમવાર સિવિલ હોસ્પિટલમાં બજાણિયા પરિવાર દ્વારા કરાયુ નાના આંતરડાનું અંગદાન
ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર મળ્યુ નાના આંતરડાનું દાન
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 26, 2022 | 1:34 PM

રાજ્યમાં અંગદાનની ઝુંબેશ દિવસેને દિવસે વધુ જાગૃતિ લાવી રહી છે અને વધુ લોકો અંગદાન (Organ Donatio) કરવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. આ જ કડીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલને (Civil Hospital) પોતાની આ અંગદાનની ઝુંબેશ દરમિયાન પ્રથમવાર નાના આંતરડાનું દાન મળ્યુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ રાજુભાઈ બજાણિયાના 7 મીટર લાંબા નાના આંતરડા (Small Intestine)નું અને બંને કિડનીનું પરિવારની સંમતિથી દાન કરવામાં આવ્યુ છે. શરીરના સૌથી લાંબા અંગ ગણાતા નાના આંતરડાનું દાન ગુજરાતના દાન મળ્યુ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ આંતરડાને મુંબઈના ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 54 વર્ષના દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરવામાં આવ્યુ છે. સમગ્ર દેશમાં નાના આંતરડાના દાન દ્વારા પ્રત્યાર્પણના પણ માત્ર 14 કેસ નોંધાયા છે.

ગાંધીનગરના દહેગામમાં રહેતા 25 વર્ષિય રાજુભાઈ બજાણિયાને માર્ગ અકસ્માત નડતા તેમને માથાને ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે 22 જૂલાઈના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 વર્ષિય રાજુભાઈને સારવારના અંતે તબીબો દ્વારા 24મી જૂલાઈએ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ બજાણિયા પરિવારે બ્રેઈનડેડ રાજુભાઈના અંગોનું દાન કરવાનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમના અંગોના રિટ્રાઈવલના પ્રયત્નો હાથ ધર્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા 25 વર્ષિય રાજુભાઈ સ્વસ્થ હોવાથી તેમના મહત્તમ અંગોના દાન મળવાની શક્યતા હતી. પરંતુ અંગદાનના જરૂરી માપદંડોને બંધબેસતા રિટ્રાઈવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને ગુજરાતના અંગદાનના ઈતિહાસમાં પ્રથમવાર નાના આંતરડાનું દાન મળ્યુ હતુ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ્ન્ટ ડૉ. રાકેશ જોષીનું કહેવું છે કે, નાના આંતરડાનું દાન મેળવવું અત્યંત જટીલ પ્રક્રિયા છે. મોટાભાગે યુવાન બ્રેઇનડેડ દર્દીના અંગદાનમાં જ નાના આંતરડાનું દાન મેળવવું શક્ય બને છે. આ અગાઉ પણ 2 થી 3 દર્દીઓમાં નાના આંતરડાનું દાન મેળવવાની મહેનત હાથ ધરી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. રાજુભાઈ સ્વસ્થ હોવાથી તેમનું આંતરડુ તમામ માપદંડોમાં બંધબેસતુ હતું. વધુમાં જે દર્દીમાં આ આંતરડાનું પ્રત્યારોપણ કરવાનું હતુ તે દર્દીના આંતરડાની સાઈઝ સાથે રાજુભાઇના અંગદાનમાં મળેલા આંતરડાની સાઇઝ બંધબેસતા આખરે નાના આંતરડાનું દાન મેળવવામાં સફળતા મળી છે.

સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી વખત પોતાની કુશળતાનો પરચો બતાવીને અત્યંત જટીલ અને અશક્ય કહી શકાય તે પ્રકારની રીટ્રાઈવલ સર્જરી હાથ ધરીને અન્યને નવજીવન આપ્યું છે. સિવિલ હોસ્પિટલના ડૉ. નિલેશ કાછડીયા સમગ્ર વિગતો આપતા દર્શાવે છે કે 600થી 700 સે.મી.ની લંબાઈ ધરાવતા નાના આંતરડાને બ્રેઈનડેડ વ્યક્તિના શરીરમાંથી રીટ્રાઈવ કરવું અત્યંત પડકારજક હોય છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબોને સફળતા મળી છે. ખોરાકના ચયાપચનની ક્રિયાની શરૂઆત જ નાના આંતરડાથી થાય છે. જેના માધ્યમથી જરૂરી પોષક તત્વો લીવર સુધી પહોંચતા હોય છે. જેના પરથી સમજી શકાય કે નાના આંતરડાની તકલીફના પરીણામે ચયાપચન અને જમવાની પ્રક્રિયા વ્યક્તિ માટે મુશ્કેલ બની જાય છે.

નાના આંતરડાને પ્રત્યારોપણ કરવાની જરૂર ક્યારે પડે છે?

શરીરના તમામ અંગોમાંથી સૌથી લાંબુ અને મહત્વનું અંગ એટલે નાનું આંતરડુ. શરીરમાં 95 ટકા પોષક તત્વોને પચાવીને પાછા ખેંચવાનું કામ નાનું આંતરડું કરે છે. ઘણી વખત લોહીના ગઠ્ઠા પડી જવા એટલે કે થ્રોમ્બોસીસ થઈ જવાથી જેવા કારણોથી આંતરડાની સફેદ નસમાં બ્લોક થઇ જાય છે અથવા તો ઇજાના કારણે તૂટી જાય છે. ઘણી વખત આંતરડામાં વળ ચળી જાય અને આંતરડુ કાળુ પડી જાય. આ બધા કારણોસર આંતરડાની લંબાઈ 25 સે.મી.થી ઓછી થઇ જાય છે. તેવી પરિસ્થિતિમાં વ્યક્તિની ચયાપચન કરવું અત્યંત મુશકેલ બની રહે છે. આવી પરિસ્થિતિમાં નાના આંતરડાનું પ્રત્યારોપણ જ એક માત્ર વિકલ્પ રહે છે. અન્ય વિકલ્પમાં ધોરી નસથી દર્દીને ખોરાક આપવાની જરૂર ઉભી થાય છે. જે નિયમિતપણે અત્યંત મુશકેલ અને ખર્ચાળ છે.

નાના આંતરડાનું દાન ક્યારે મળી શકે?

અંગના ડોનર અને અંગ લેનાર વ્યક્તિના આંતરડાની સાઈઝ મેચ થતી હોય. આંતરડુ સ્વસ્થ હોય. વધારે સોજા કે ચરબી વાળુ ન હોય. આ તમામ પરિસ્થિતિ બંધબેસતા જ આંતરડાનું પ્રત્યારોપણ શક્ય બને છે. નાના આંતરડાની પ્રત્યારોપણની જરૂરિયાત ધરાવતા દર્દીને શક્ય એટલું જલ્દી આંતરડું મળે, ત્યારે જ તેનું જીવન બચાવવું શક્ય છે. જે કારણોસર જ સમગ્ર દેશમાં આ અત્યાર સુધીનો 14મો કિસ્સો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">