AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSM100: શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોનું સમર્પણ જોવા મળ્યું : કિંજલ દવે

જાણીતા લોકગાયિકા કિંજલ દવેએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન તેમણે મહોત્સવ સ્થળે આવેલી વિવિધ ધાર્મિક કૃતિઓ નિહાળી હતી

PSM100: શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોનું સમર્પણ જોવા મળ્યું : કિંજલ દવે
Kinjal dave visit psm100
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2022 | 2:19 PM
Share

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ગુજરાતના જાણીતા લોકગાયિકા કિંજલ દવેએ પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે નગરના વિવિધ પ્રદર્શન તેમજ કલાકૃતિઓ નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે નગરમાં આવીને અલૌલિક શાંતિનો અનુભવ તો થાય છે સાથે સાથે આ નગરની રચના જોઈને અહીના હરિભકતોનો સમર્પણનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. આ નગરની રચના અને સંચાલન એવી રીતે થાય છે જાણે કે અહીં કોઈ ટોપ મેનેજમેન્ટ કંપની દ્વારા સંચાલન કરવામાં આવતું હોય જોકે, અહીં સમગ્ર સંચાલનનું માર્ગદર્શન અનુભવી સંતો અને હરિભક્તો દ્વારા કરવામાં આવે છે. તેમજ શતાબ્દી મહોત્સવમાં ભગવાન સ્વામિનારાયણ અને પૂજય પ્રમુખ સ્વામી મહારાજના સિંદ્ધાતો તેમજ આદર્શોનું દર્શન પણ થાય છે.

 શતાબ્દી મહોત્સવમાં કરવામાં આવી હતી આદિવસી ગૌરવ દિનની ઉજવણી

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ગુરૂવારે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નેશનલ કમિશન ઓફ શિડયુલ્ડ ટ્રાઇબસના ચેરમેન હર્ષ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ અવસરે જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામ વનવાસી સમાજની સાથે જઈને અધર્મ સામે લડ્યા હતા. વનવાસી સમાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં શીખવ્યું છે.

આદિવાસી ગૌરવ દિનનું આયોજન અમારા માટે ગૌરવની વાત: હર્ષ ચૌહાણ

આદિવાસી ગૌરવ દિનની ઉજવણીમાં પધારેલા  નેશનલ કમિશન ઓફ શિડયુલ્ડ ટ્રાઇબસના ચેરમેન હર્ષ ચૌહાણે જણાવ્યું હતું કે અમારા માટે સૌભાગ્યની વાત છે કે અમારા વનવાસી સમાજ માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, કારણકે બ્રિટિશ શાસનના સમય થી અમારા સમાજની સતત ઉપેક્ષા કરવામાં આવી છે .ભગવાન શ્રીરામ વનવાસી સમાજની સાથે જઈને અધર્મ સામે લડ્યા હતા. વનવાસી સમાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં શીખવ્યું છે કારણકે પ્રમુખસ્વામી મહારાજે અમારા સમાજને ખૂબ જ પ્રેમ અને વાત્સલ્ય આપ્યું હતું અને જો આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલા પથ પર ચાલીશું તો આપણો દેશ વિકસિત દેશ બનશે કારણકે 12 કરોડ વનવાસીઓ આ દેશના નાગરિક છે અને તેમનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">