AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ, કાર્યકરોએ બળજબરીથી બંધ દુકાનો બંધ કરાવી

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે જનાધાર વધારવા ગુજરાત કોંગ્રેસે(Congress)બંધનો સહારો લીધો. આજે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસે બંધનું(Bandh)એલાન આપ્યું હતું.

ગુજરાત કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ, કાર્યકરોએ બળજબરીથી બંધ દુકાનો બંધ કરાવી
Gujarat Congress Bandh
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 10, 2022 | 5:06 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે જનાધાર વધારવા ગુજરાત કોંગ્રેસે(Congress)બંધનો સહારો લીધો. આજે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસે બંધનું(Bandh)એલાન આપ્યું હતું. જેમાં સવારે 8 થી 12 વાગ્યા સુધીના સાંકેતિક બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ નેતાઓ બંધને સફળ બનાવવા રસ્તા પર ઉતર્યા જો કે અનેક જગ્યાઓ પર બજારો રોજિંદા જોવા મળ્યા છે. મોંઘવારી, ધંધા-વેપાર અને આર્થિક વ્યવસ્થા સાહિતબ મુદ્દાઓને લઈ કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું.. સવારે 8 થી 12 ના બંધને સફળ બનાવવા માટે NSUI-યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સવારની કોલેજો બંધ કરાવી શરૂઆત કરી હતી.. અમદાવાદ પૂર્વમાં આવેલી કોલેજો અને યુનિવર્સીટી વિસ્તારમાં આવેલ કોલેજો બંધ કરવાની સાથે બંધ સફળ બનાવવા પ્રયાસો શરૂ થયા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર નરોડા, બાપુનગર, ઘી કાંટા વિસ્તારમાં સ્થાનિક અગ્રણીઓ અને ધારાસભ્યો સાથે રસ્તાઓ પર ઉતરી જનતાને બંધ માટે અપીલ અને બંધ પાળનારનો આભાર માનતા જોવા મળ્યાં હતા.

વેપારીઓએ થોડા મોડા બજાર ખોલવાનું પસંદ કર્યું હતું

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મોટાભાગની કોલેજો, બાપુનગર ચાર રસ્તા વિસ્તાર, ઘીકાંટા, દાણીલીમડા, જમાલપુર, સહિત અમદાવાદ પૂર્વના મોટાભાગના વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ જ્યાં જ્યાં બંધ કરાવવા માટેના પ્રયત્નો કર્યા ત્યાં તેની અસર જોવા મળી હતી.. કોંગ્રેસે સાંકેતિક બંધ આપ્યું હોવાથી સામાન્ય સંજોગોમાં જે બજારો 10 વાગ્યા બાદ ખુલતા હોય છે એના વેપારીઓએ થોડા મોડા બજાર ખોલવાનું પસંદ કર્યું હતું.. ઘી કાંટા વિસ્તારમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, હિંમતસિંહ પટેલઝ ગ્યાસુદ્દીન શેખ ની પોલીસે અટકાયત કરી તો સીજી રોડ પર કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

આ બંધ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે રાજ્યના નાના વેપારી અને ઉદ્યોગપતિઓએ કોંગ્રેસના બંધને સહકાર આપ્યો છે. મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે, લોકોની આવકમાં વધારો નથી થઇ રહ્યો ત્યારે બેરોજગારો, મોંઘવારીથી ત્રસ્ત લોકોને અવાજ લઇ કોંગ્રેસ નીકળ્યું છે ત્યારે તમામ લોકોએ સહકાર આપ્યો છે.ભાજપે વેપારીઓને બંધ ને સહકાર નહીં આપવા ચીમકી આપી હતી.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">