AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલયે મળી બેઠક, લોકસભા ચૂંટણીના પરિણામો પર મંથન- Video

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે બેઠક મળી છે. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને મંથન કરવામાં આવશે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારના પરિણામોની અપેક્ષા કોંગ્રેસ રાખી રહી હતી. એ પ્રકારનું ધાર્યુ પરિણામ નથી આવ્યુ. જેના પર બેઠકમાં મંથન કરવામાં આવશે.

Narendra Rathod
| Edited By: | Updated on: Jun 17, 2024 | 1:50 PM
Share

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની બેઠક મળી. જેમા પોલિટીકલ અફેર્સ કમિટીના તમામ વરિષ્ઠ નેતા સામેલ છે. તેમની સાથે લોકસભા ચૂંટણીના પરિણામો પર સમીક્ષા કરવામાં આવી રહી છે. પ્રભારી વાસનિકના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં સંગઠનને વધુ મજબુત કરવા રાજનીતિક જવાબદારીઓ નક્કી કરવામાં આવશે. જે રાજ્યોમાં લોકસભાની ચૂંટણીના પરિણામો સંતોષજનક નથી રહ્યા એ તમામ રાજ્યોના પાર્ટી અગ્રણીઓ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગે અને રાહુલ ગાંધી ચર્ચા કરશે.

બેઠકમાં લોકસભાના પરીણામો પર સમીક્ષા

ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી કોંગ્રેસ માત્ર એક બેઠક જીતવામાં સફળ રહી છે. જ્યારે આ વખતેનો માહોલ જોતા કોંગ્રેસ ગુજરાતમાં 4 થી 5 બેઠકો જીતવાની આશા રાખી રહી હતી. પરંતુ પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. ત્યારે જે બેઠકો પર કોંગ્રેસ જીતને લઈને આશ્વસ્ત હતી તેમા તેની ક્યાં કસર રહી, તેના પર આજની બેઠકમાં મંથન કરવામાં આવશે. કોંગ્રેસ સંગઠનને કઈ રીતે મજબુત કરવુ અને વધુને વધુ લોકોને કોંગ્રેસ સાથે જોડવા અંગે ચર્ચા થશે. આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં થનારી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે, તેમજ ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.

“EVM અને ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રશ્નો જારી”

EVM ની વિશ્વસનિયતા પર ઉઠી રહેલા સવાલ અંગે વાસનિકે જણાવ્યુ કે EVM અને ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રશ્નો જારી રહેશે. EVM સામે જે સવાલ ઉઠી રહ્યા છે તેના પર સ્પષ્ટતા થવી જોઈએ. ચૂંટણીમાં જવાબદારી વગરના લોકોએ બંધારણ પ્રત્યે ગમેતેમ નિવેદન કર્યા. આવા લોકોને ચૂંટણી પંચે રોકવા જોઈ પરંતુ તેમ ન થયુ. વાસનિકે પીએમ મોદી તરફ ઈશારો કરતા જણાવ્યુ કે બંધારણને માથા પર લગાવી નમન કરવાથી કોઈ બંધારણ પ્રત્યે સમર્પિત છે એવુ સાબિત નથી થતુ. પરંતુ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે સમર્પણ હોય તો બંધારણ પ્રત્યે તેમનુ સમર્થન છે તેવુ માની શકાય. વાસનિકે વધુમાં જણાવ્યુ કે જે લોકો બંધારણના તત્વોને માનતા જ નથી, તેમની રાજનીતિ એ પ્રકારની વિચારસરણી જ નથી રાખતી તેઓ આજે બંધારણની વાતો કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ‘મહારાજ’ ફિલ્મ સામે વૈષ્ણવ સંપ્રદાયનો ઉગ્ર વિરોધ, ભગવાન શ્રીકૃષ્ણની છબીને ખોટી રીતે ચીતરવાનો આરોપ- Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">