AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટી દુર્ઘટના ટળી, અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ રન વે પર અથડાયો

ઈન્ડિગોની ફ્લાઈટ લેન્ડિગ સમયે જમીન પર અથડાઈ હોવાની છેલ્લા પાંચ દિવસમાં આ બીજી ઘટના બની છે. તાજેતરમાં કોલકાતાથી દિલ્હી આવતી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પણ આવી જ ઘટના બની હતી. 11 જૂને દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ જ પ્રકારે ઈન્ડિગો પ્લેનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાયો હતો.

મોટી દુર્ઘટના ટળી, અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ રન વે પર અથડાયો
Indigo flight
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 11:28 PM
Share

અમદાવાદ એરપોર્ટ પર આજે ગુરુવારે મોટી દુર્ઘટના ટળી હતી. બેંગ્લોરથી અમદાવાદ આવી રહેલા ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ જમીન સાથે અથડાઈ ગયો હતો. જોકે, વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગોએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં આ બીજી ઘટના છે. તાજેતરમાં કોલકાતાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પણ આવી જ ઘટના બની હતી.

ઈન્ડિગોએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, બેંગ્લોરથી અમદાવાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595 અમદાવાદમાં ઉતરતી વખતે ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી. એરક્રાફ્ટને અમદાવાદ એરપોર્ટ પર જ ચકાસણી અને સમારકામ માટે ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું છે. આ બનાવની તપાસ ચાલી રહી છે.

દિલ્લીમાં પણ બની હતી આવી જ ઘટના

આ અગાઉ, દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર, આવી જ મોટી દુર્ઘટના ટળી હતી. ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે જમીન સાથે અથડાઈ ગયો હતો. આ માહિતી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. એ સમયે જણાવવામાં આવ્યું હતુ કે આ ઘટના ગત રવિવારે એ સમયે બની, જ્યારે પ્લેન કોલકાતાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે.

દિલ્લી એરપોર્ટ પર બનેલ આ ઘટના અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનનું કહેવું છે કે, ઈન્ડિગો A321-252NX એરક્રાફ્ટ VT-IMG એ કોલકાતાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને લેન્ડિંગ સમયે પાછળનો ભાગ રન વે પર જમીન સાથે અથડાઈ ગયો હતો. જણાવવામાં આવ્યું છે કે વિમાનના લેન્ડિંગ દરમિયાન ક્રૂને લાગ્યું કે લેન્ડિંગ દરમિયાન થોડી ગરબડ થઈ છે. આ અંગે ડીજીસીએએ જણાવ્યું કે લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટના પાછળનો ભાગ રનવેની સપાટીને સ્પર્શી ગયો અને ફ્લાઈટને નુકસાન થયું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">