AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: તિસ્તા સેતલવાડની ગુજરાત હાઇકોર્ટના હુકમને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

તિસ્તા સેતલવાડની ગુજરાત હાઇકોર્ટના હુકમને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અગાઉ તિસ્તા સેતલવાડે ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. જે ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી.

Ahmedabad: તિસ્તા સેતલવાડની ગુજરાત હાઇકોર્ટના હુકમને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
Teesta Setalvad
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 7:45 AM
Share

Ahmedabad: વર્ષ 2002માં ગુજરાત રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગુજરાતને બદનામ કરવાના કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) આરોપી તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવીને તાત્કાલિક સરેન્ડર કરવાનો હુકમ કર્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ઓર્ડર પર સ્ટે લગાવ્યો હતો.

આ પણ વાંચો Vande Bharat Express: અમદાવાદથી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ દોડશે, ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાંથી પસાર થશે, જાણો

સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યા બાદ આજે આરોપી તિસ્તા સેતલવાડની ગુજરાત હાઇકોર્ટના હુકમને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અગાઉ તિસ્તા સેતલવાડે ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી જે મામલે ગુજરાત હાઇકોર્ટે દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સંભળાવ્યો હતો અને તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી હતી.

તિસ્તા સેતલવાડે કેસમાંથી મુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી

તિસ્તા સેતલવાડે વર્ષ 2002માં રમખાણો બાદ ગુજરાત અને તત્કાલીન CM નરેન્દ્ર મોદીને બદનામ કરવાના કેસ મામલે ગઈકાલે વધુ એક અરજી કરી હતી. તિસ્તા સેતલવાડે કેસમાંથી મુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે તિસ્તા સેતલવાડે અરજી કરતા સરકારે તેનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી છે કે તિસ્તા સેતલવાડ સામેના આરોપો ખૂબ જ ગંભીર હોવાથી તેમને કેસમાંથી મુક્ત ના કરવામાં આવે. આ કેસમાં સેશન્સ કોર્ટે વધુ સુનાવણી 6 જુલાઈના રોજ નિયત કરી છે.

શું હતો સમગ્ર કેસ ?

ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં સૌથી વધુ ગોધરા અને અમદાવાદમાં તેની વધુ અસર જોવા મળી હતી. આ તોફાનો બાદ ગુજરાત અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાના સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ ઉપર ગંભીર આરોપ લાગ્યા હતા. જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં સેતલવાડ સામે કેસ પણ નોંધાયો હતો. હાલ આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
g clip-path="url(#clip0_868_265)">