Vande Bharat Express: અમદાવાદથી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ દોડશે, ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાંથી પસાર થશે, જાણો

Vande Bharat Express: અમદાવાદને વધુ એક વંદે ભારત હાઈ સ્પિડ રેલવેનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ 7, જુલાઈએ કરશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને વંદે ભારત ટ્રેનનો લાભ મળશે.

Vande Bharat Express: અમદાવાદથી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ દોડશે, ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાંથી પસાર થશે, જાણો
Ahmedabad to Jodhpur Vande Bharat Train will start from July 7
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 04, 2023 | 3:30 PM

અમદાવાદ વાસીઓને માટે આનંદના સમાચાર છે. વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ ગુજરાતને મળી છે. નવી ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડનારી છે. અમદાવાદ-જોધપુર વંદેભારત ટ્રેન આગામી 7, જુલાઈથી શરુ થનારી છે. વડાપ્રધાન મોદી વર્ચ્યુલી લોકાર્પણ કરનાર છે. ભારતના અનેક હિસ્સાઓમાં વંદે ભારત ટ્રેનની શરુઆત કરવામાં આવી છે. આવી જ રીતે વધુ એક ટ્રેનની શરુઆત થવા જઈ રહી છે. જેને લઈ અમદાવાદ થી જોધપુર અવર જવર કરતા મુસાફરોને મોટી રાહત સર્જાશે.

હાલમાં જ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ મધ્ય પ્રદેશને વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. આ પહેલા બિહાર અને ઝારખંડને પણ હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની ભેટ મળી હતી. આ દરમિયાન ગુજરાતને વધુ એક ટ્રેનનો લાભ મળ્યો છે. જેનો લાભ ઉત્તર ગુજરાતને પણ મળશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને વંદે ભારત ટ્રેનનો લાભ મળશે.

અમદાવાદ-જોધપુર વચ્ચે દોડશે નવી વંદે ભારત

7 જુલાઈએ અમદાવાદને વધુ એક નવી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની જાહેરાત થઈ છે કે 7 જુલાઈ એ અમદાવાદ સાબરમતી થી જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે. જે સપ્તાહમાં 6 દિવસ ચાલશે. જે ટ્રેન સાબરમતી જોધપુર વચ્ચે મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના અને પાલી સ્ટેશન એમ પાંચ સ્ટેશન પર ઉભી રહેશે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વર્ચ્યુઅલી લોકાર્પણ કરાવશે. જે ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચાલશે. જ્યારે રવિવારે મેઇન્ટનન્સના કારણે ટ્રેન બંધ રહેશે. સાબરમતી થી જોધપુર વચ્ચે 446 કિમિનું અંતર અન્ય ટ્રેન ને કાપવામાં 8 કલાકમાં લાગે છે જ્યારે વંદે ભારત ટ્રેન 6 કલાકમાં અંતર કાપશે. જે ટ્રેનનો શિડયુલ પણ તૈયાર કરી દેવાયો છે.

ગોરખપુરથી કરાવશે લોકાર્પણ

મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ ગોરખપુર અને લખનૌ, તેમજ અમદાવાદ થી જોધપુર સહિત ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. લોકાર્પણનો મુખ્ય કાર્યક્રમ ગોરખપુરમાં થનારો છે. જ્યાંથી વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમ દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.

કેટલીક ટ્રેન પર પડશે અસર

અમદાવાદ જોધપુર વચ્ચે પહેલી વંદે ભારત ટ્રેન શરૂ થશે. વંદે ભારત ટ્રેન શરૂ થવાને લઈને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ જતી કેટલીક ટ્રેનના સમયમાં 5 થી 15 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બિકાનેર, હિંસોર, ગંગાનગરની કેટલીક ટ્રેન નો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ  ACB: ક્રિકેટરે બોર્ડના અધ્યક્ષ સામે જ ભ્રષ્ટાચારીના કરી દીધા આક્ષેપ, ખેલાડીએ ટીમથી લઈ લીધો બ્રેક

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">