AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : હવે ક્યારેય નહીં થાય ‘અમદાવાદ’નું નામ ‘કર્ણાવતી’ ! મુદ્દો ઉઠાવનાર ભાજપે જ અમદાવાદ નામ સ્વીકારી લીધું

મુદ્દો ઉઠાવનાર ભાજપે (BJP) જ અમદાવાદ નામ સ્વીકારી લીધું છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ તેમજ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે અમદાવાદનું નામ બદલી કર્ણાવતી ન કરવા અંગે સ્પષ્ટતા કરી છે.

Gujarati Video : હવે ક્યારેય નહીં થાય 'અમદાવાદ'નું નામ 'કર્ણાવતી' ! મુદ્દો ઉઠાવનાર ભાજપે જ અમદાવાદ નામ સ્વીકારી લીધું
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 11:31 AM
Share

Ahmedabad : અમદાવાદ શહેરનું નામ બદલીને તેને કર્ણાવતી (Karnavati) કરવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલે છે. દરેક ચૂંટણીમાં પણ આ મુદ્દો ઉઠતો રહે છે, પરંતુ હવે આ મુદ્દો ઉઠાવનાર ભાજપે (BJP) જ અમદાવાદ નામ સ્વીકારી લીધું છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ તેમજ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે (Hasmukh Patel) અમદાવાદનું નામ બદલી કર્ણાવતી ન કરવા અંગે સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો- Breaking News : સુરતમાં રત્નકલાકાર પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું અવસાન

સાંસદ હસમુખ પટેલે કરી આ સ્પષ્ટતા

ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું કે જ્યારે હેરિટેજ સિટી માટે પ્રક્રિયા હાથ ધરાઇ ત્યારે ડોઝિયરમાં અમદાવાદ નામ હતું. આથી જો હવે કર્ણાવતી નામ કરાય તો હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવવો પડે. તો સાંસદ હસમુખ પટેલે જણાવ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગ ભાજપની જ હતી, પરંતુ હવે 600 વર્ષ જૂના અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ પ્રવાસીઓમાં વધારો થાય અને લોકોને રોજગારી મળે એના માટે આપણે અમદાવાદ તરીકે હવે સ્વીકારી લીધું છે.

આ પણ વાંચો- Gujarat Video : જૂનાગઢમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, 4 આરોપીની ધરપકડ અને 10 ફરાર

હેરિટેજનો દરજ્જો ગુમાવવો પડી શકે

અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે. જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટી માટે ડોઝિયર બનાવવામાં આવ્યું, તેમાં અમદાવાદ શહેર તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્યાંય પણ કર્ણાવતીનું નામ લખવામાં આવ્યું નથી, જેથી ડોઝિયર પ્રમાણે અમદાવાદ શહેર હવે વર્લ્ડ હેરિટેજ સિટી છે, જેથી આ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદને ગુમાવવો પડી શકે છે.

અગાઉ રાજ્ય સરકારે વિધાનસભામાં પણ કબૂલ્યું હતું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સરકારે સ્વીકાર કર્યો કે અમદાવાદનું નામ બદલવા માટે સરકારે કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">