AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની તડામાર તૈયારીઓ, શુક્રવારથી દ્વારકામાં ચિંતન શિબિર, રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા

ગુજરાત કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો દ્વારકા ચિંતન શિબિરની ચર્ચામાં ભાગ લઈ આગામી વિધાનસભાની ચુંટણી 2022 માટેનો રોડમેપ તૈયાર કરશે. દ્વારકા ચિંતન શિબિરમાં રાષ્ટ્રીય નેતૃત્વ અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Gujarat માં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની તડામાર તૈયારીઓ, શુક્રવારથી દ્વારકામાં ચિંતન શિબિર, રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા
Gujarat Congress Chintan Shibir Held In Dwarka (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 5:47 PM
Share

ગુજરાતમાં(Gujarat)  વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે(Congress)કમર કસી છે. તેમજ તેના ભાગરૂપે શુક્રવારથી દ્વારકામાં કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિર(Chintan Shibir)  યોજાવવા જઇ રહી છે.કોંગ્રેસે સંગઠનને મજબૂત બનાવવા પ્રયાસો શરૂ કર્યા છે.જેના ભાગરૂપે આગામી 25 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ સુધી દ્વારકા ખાતે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે.આ શિબિરમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવી રહ્યા હોવાથી કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.તૈયારીઓને આખરી ઓપ આપવા માટે પ્રદેશ નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ભીખુ વારોતરિયા સહિતના નેતાઓએ દ્વારકામાં ધામા નાખ્યા છે અને તૈયારીઓને લઈ દ્વારકામાં આહીર સમાજની વાડીમાં મિટિંગનું આયોજન કરાયું હતું.

ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા

જેમાં કાર્યકર્તાઓ અને અગ્રણીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી હતી.મળતી માહિતી પ્રમાણે આ ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.ખાસ કરીને વિધાનસભા ચૂંટણીને લઈને વિસ્તારપૂર્વક ચર્ચા કરાશે. જેમાં મહિલા અત્યાચાર, ભ્રષ્ટાચાર મુદ્દાઓ પર ચર્ચા, વ્યૂહરચના ઘડાશે. તેમજ શિક્ષણ, બેરોજગારી મુદ્દાઓ પર ચર્ચા, વ્યૂહરચના ઘડાશે

રાહુલ ગાંધી દ્વારકા ચિંતન શિબિરમાં  સૌ કાર્યકર-પદાધિકારીઓને માર્ગદર્શિત કરશે

કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો દ્વારકા ચિંતન શિબિરની ચર્ચામાં ભાગ લઈ આગામી વિધાનસભાની ચુંટણી 2022 માટેનો રોડમેપ તૈયાર કરશે. દ્વારકા ચિંતન શિબિરમાં રાષ્ટ્રીય નેતૃત્વ અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પ્રદેશ-જીલ્લા-તાલુકામાંથી ૫૦૦થી વધુ નેતા- આગેવાનો ભાગ લેશે.કોંગ્રસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી દ્વારકા ચિંતન શિબિરમાં ગુજરાત કોંગ્રેસના સૌ કાર્યકર-પદાધિકારીઓને માર્ગદર્શિત કરશે.

ગુજરાતની  છ કરોડ જનતા માટે દ્વારકા ડેકલેરેશન રજુ કરશે

કોંગ્રેસ પક્ષના તમામ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓ, કોર કમીટીના સભ્યો, કોર્ડિનેસન કમીટીના સભ્યો દ્વારકા ચિંતન શિબિર માં ભાગ લઈ વિધાનસભાની ચુંટણીમાં 125 + બેઠક જીતવા રોડ મેપ બનાવશે.ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ, જનતાને સ્પર્શતા મુદ્દાઓ, ભાજપની નિષ્ફળતા સાથે ચાર્ટર ડીમાન્ડ રજુ કરાશે.ત્રણ દિવસીય ચિંતન શિબિર બાદ 27 મી તારીખે ગુજરાત વિધાનસભા 2022 ની ચુંટણીને ગુજરાતની  છ કરોડ જનતા માટે દ્વારકા ડેકલેરેશન રજુ કરશે.

આ પણ વાંચો : Anand : બોચાસણ ખાતે શુક્રવારે ગરીબ કલ્યાણ મેળો યોજાશે, લાભાર્થીઓને સીધા લાભ અપાશે

આ પણ વાંચો : Kutch: જો આવું થયુ તો બાગાયત ક્ષેત્રે સર્જાશે ક્રાંતિ ખારેકમાં FPO માટે માર્ગદર્શન અપાયુ, જાણો શુ છે ફાયદા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">