AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand : બોચાસણ ખાતે શુક્રવારે ગરીબ કલ્યાણ મેળો યોજાશે, લાભાર્થીઓને સીધા લાભ અપાશે

સમગ્ર રાજયમાં સતત ત્રણ દિવસ સુધી ગરીબ કલ્યાણ મેળાઓનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતેના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અન્ય જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

Anand : બોચાસણ ખાતે શુક્રવારે ગરીબ કલ્યાણ મેળો યોજાશે, લાભાર્થીઓને સીધા લાભ અપાશે
Gujarat Garib Kalyan Melo (File Image)
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 24, 2022 | 4:56 PM
Share

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel)  નેતૃત્વ હેઠળની સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ગરીબ કલ્યાણ મેળાના(Garib Kalyan Melo)  માધ્યમથી ગરીબી નિવારણ માટેનો ત્રિ-દિવસીય યજ્ઞ આરંભ્યો છે. જેમાં તા. 25/2/2022ના રોજ સવારના 9 કલાકે આણંદ(Anand)  જિલ્‍લામાં ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે.આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ અક્ષર વાડી ખાતે યોજાનાર આ ગરીબ કલ્‍યાણ મેળામાં રાજયના મહેસૂલ અને જિલ્‍લા પ્રભારી મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિત રહેશે. તથા આ મેળામાં સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને સીધા જ તેમના હાથમાં પ્રભારી મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે.

આ પ્રસંગે સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે. બોચસણ ખાતે યોજાનાર આ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાની તૈયારીઓ જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણી તથા જિલ્‍લા વિકાસ અધિકારી મિલિન્‍દ બાપનાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની અનેકવિધ લોક કલ્યાણની યોજનાઓનો સીધો લાભ જરૂરિયાતમંદોને આપવા માટે સમગ્ર રાજયમાં સતત ત્રણ દિવસ સુધી ગરીબ કલ્યાણ મેળાઓનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતેના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અન્ય જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

આ પણ વાંચો : Banaskantha: ભાજપમાં જતાં કોંગ્રેસના આગેવાનોની સ્થિતિ શેરીના કૂતરા જેવી બની જાય છે : શક્તિસિંહ

આ પણ વાંચો : Kheda: માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ખેડા પોલીસ સામે લાલઘુમ, “રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે છે” : ધારાસભ્ય

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">