AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand : બોચાસણ ખાતે શુક્રવારે ગરીબ કલ્યાણ મેળો યોજાશે, લાભાર્થીઓને સીધા લાભ અપાશે

સમગ્ર રાજયમાં સતત ત્રણ દિવસ સુધી ગરીબ કલ્યાણ મેળાઓનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતેના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અન્ય જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

Anand : બોચાસણ ખાતે શુક્રવારે ગરીબ કલ્યાણ મેળો યોજાશે, લાભાર્થીઓને સીધા લાભ અપાશે
Gujarat Garib Kalyan Melo (File Image)
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 24, 2022 | 4:56 PM
Share

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel)  નેતૃત્વ હેઠળની સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ગરીબ કલ્યાણ મેળાના(Garib Kalyan Melo)  માધ્યમથી ગરીબી નિવારણ માટેનો ત્રિ-દિવસીય યજ્ઞ આરંભ્યો છે. જેમાં તા. 25/2/2022ના રોજ સવારના 9 કલાકે આણંદ(Anand)  જિલ્‍લામાં ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે.આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ અક્ષર વાડી ખાતે યોજાનાર આ ગરીબ કલ્‍યાણ મેળામાં રાજયના મહેસૂલ અને જિલ્‍લા પ્રભારી મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિત રહેશે. તથા આ મેળામાં સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને સીધા જ તેમના હાથમાં પ્રભારી મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે.

આ પ્રસંગે સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે. બોચસણ ખાતે યોજાનાર આ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાની તૈયારીઓ જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણી તથા જિલ્‍લા વિકાસ અધિકારી મિલિન્‍દ બાપનાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની અનેકવિધ લોક કલ્યાણની યોજનાઓનો સીધો લાભ જરૂરિયાતમંદોને આપવા માટે સમગ્ર રાજયમાં સતત ત્રણ દિવસ સુધી ગરીબ કલ્યાણ મેળાઓનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતેના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અન્ય જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

આ પણ વાંચો : Banaskantha: ભાજપમાં જતાં કોંગ્રેસના આગેવાનોની સ્થિતિ શેરીના કૂતરા જેવી બની જાય છે : શક્તિસિંહ

આ પણ વાંચો : Kheda: માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ખેડા પોલીસ સામે લાલઘુમ, “રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે છે” : ધારાસભ્ય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">