AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSEB Board Exam 2023 : મંગળવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે, જાણી લો પરીક્ષાર્થીઓ માટે બોર્ડની ગાઈડલાઇન

GSEB Board Exam 2023 :  ગુજરાતમાં 14 માર્ચ અને મંગળવારના રોજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેની માટે બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે . જેમાં પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પણ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં GSEB બોર્ડ દ્વારા  પરીક્ષા 2023 માટે વિદ્યાર્થીઓ માટેની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

GSEB Board Exam 2023 : મંગળવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે, જાણી લો પરીક્ષાર્થીઓ માટે બોર્ડની ગાઈડલાઇન
Gujarat Board Guideline 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 8:50 PM
Share

GSEB Board Exam 2023 :  ગુજરાતમાં 14 માર્ચ અને મંગળવારના રોજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેની માટે બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે . જેમાં પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પણ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં GSEB બોર્ડ દ્વારા  પરીક્ષા 2023 માટે વિદ્યાર્થીઓ માટેની મહત્વપૂર્ણ ગાઈડ લાઇન  જાહેર કરવામાં આવી છે. જેમાં પરીક્ષાર્થીઓએ માન્ય ID પ્રૂફ સાથે હોલ ટિકિટ સાથે રાખવાની રહેશે. નહિંતર, તેઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. GSEB વર્ગ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે લેવામાં આવશે જ્યારે GSEB વર્ગ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી છે.

GSEB બોર્ડ પરીક્ષા 2023 માટે વિદ્યાર્થીઓ માટેની ગાઇડલાઇન

જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ HSC/SSC પરીક્ષા 2023 માં બેસવા જઈ રહ્યા છે તેઓએ પરીક્ષા માટેની માર્ગદર્શિકા તપાસવી આવશ્યક છે. તેમણે પરીક્ષા દરમ્યાન પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.

  • જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 1 કલાક પૂર્વે પરીક્ષા હોલમાં પહોંચવું આવશ્યક છે.
  •  વિદ્યાર્થીઓએ GSEB ક્લાસ 10, 12 એડમિટ કાર્ડ 2023 સાથે માન્ય આઈડી પ્રૂફ- આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ અને લાયસન્સ    પરીક્ષા હોલમાં સાથે રાખવું આવશ્યક છે.
  •  વિદ્યાર્થીઓએ પ્રથમ 15 મિનિટમાં (પ્રશ્નપત્ર વાંચવા માટે અલગથી ફાળવેલ)માં પ્રશ્નપત્રને સારી રીતે વાંચવું આવશ્યક છે.
  •  જવાબવહીમાં સ્પેલિંગ કે ભૂલો તપાસો અને તેને સબમિટ કરતા પહેલા સામગ્રીની યોગ્ય રીતે સમીક્ષા કરો. પરીક્ષાનો સમય પૂરો ન થાય અને નિરીક્ષકને શીટ સબમિટ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈને પણ પરીક્ષા હોલ છોડવાની મંજૂરી   આપવામાં આવશે નહીં.
  •  વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં કોઈપણ કાપલી અથવા ઈલેક્ટ્રોનિક ઉપકરણ (સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર વગેરે) લઈ જવા જોઈએ નહીં.
  •  જેઓ સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ જશે તેઓ પરીક્ષામાંથી ગેરલાયક ઠરશે.

આ ઉપરાંત બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇન પ્રમાણે  તમામ શાળાની આસપાસના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો ફરજીયાત પણે બંધ રાખવાના રહેશે તેમજ આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવશે.શાળા અને આસપાસના વિસ્તારમાં સીસી ટીવી કેમેરા મુકાશે.

પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળ-ધાણાથી કરવામાં આવશે

પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને આઇ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને તેના સિવાયના કોઇ વ્યક્તિ શાળામાં પ્રવેશ ન કરે તેની પણ તકેદારી શાળા સંચાલકો અને આચાર્યએ રાખવાની રહેશે. પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળ-ધાણાથી કરવામાં આવશે અને ગરમીના સમયમાં વર્ગ ખંડમાં જ વિદ્યાર્થીઓને પીવાનું પાણી આપવામાં આવશે.

આ પણ વાંચો : Gujarati Video: MS યુનિવર્સિટીના 300 વિદ્યાર્થીઓને મળી વચગાળાની રાહત, ડોક્યુમેન્ટ જમા ન કરાવનારા વિદ્યાર્થીઓની 27 માર્ચે લેવાશે પરીક્ષા

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">