AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSEB Board Exam 2023 : મંગળવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે, જાણી લો પરીક્ષાર્થીઓ માટે બોર્ડની ગાઈડલાઇન

GSEB Board Exam 2023 :  ગુજરાતમાં 14 માર્ચ અને મંગળવારના રોજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેની માટે બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે . જેમાં પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પણ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં GSEB બોર્ડ દ્વારા  પરીક્ષા 2023 માટે વિદ્યાર્થીઓ માટેની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

GSEB Board Exam 2023 : મંગળવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે, જાણી લો પરીક્ષાર્થીઓ માટે બોર્ડની ગાઈડલાઇન
Gujarat Board Guideline 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 8:50 PM
Share

GSEB Board Exam 2023 :  ગુજરાતમાં 14 માર્ચ અને મંગળવારના રોજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેની માટે બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે . જેમાં પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પણ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં GSEB બોર્ડ દ્વારા  પરીક્ષા 2023 માટે વિદ્યાર્થીઓ માટેની મહત્વપૂર્ણ ગાઈડ લાઇન  જાહેર કરવામાં આવી છે. જેમાં પરીક્ષાર્થીઓએ માન્ય ID પ્રૂફ સાથે હોલ ટિકિટ સાથે રાખવાની રહેશે. નહિંતર, તેઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. GSEB વર્ગ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે લેવામાં આવશે જ્યારે GSEB વર્ગ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી છે.

GSEB બોર્ડ પરીક્ષા 2023 માટે વિદ્યાર્થીઓ માટેની ગાઇડલાઇન

જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ HSC/SSC પરીક્ષા 2023 માં બેસવા જઈ રહ્યા છે તેઓએ પરીક્ષા માટેની માર્ગદર્શિકા તપાસવી આવશ્યક છે. તેમણે પરીક્ષા દરમ્યાન પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.

  • જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 1 કલાક પૂર્વે પરીક્ષા હોલમાં પહોંચવું આવશ્યક છે.
  •  વિદ્યાર્થીઓએ GSEB ક્લાસ 10, 12 એડમિટ કાર્ડ 2023 સાથે માન્ય આઈડી પ્રૂફ- આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ અને લાયસન્સ    પરીક્ષા હોલમાં સાથે રાખવું આવશ્યક છે.
  •  વિદ્યાર્થીઓએ પ્રથમ 15 મિનિટમાં (પ્રશ્નપત્ર વાંચવા માટે અલગથી ફાળવેલ)માં પ્રશ્નપત્રને સારી રીતે વાંચવું આવશ્યક છે.
  •  જવાબવહીમાં સ્પેલિંગ કે ભૂલો તપાસો અને તેને સબમિટ કરતા પહેલા સામગ્રીની યોગ્ય રીતે સમીક્ષા કરો. પરીક્ષાનો સમય પૂરો ન થાય અને નિરીક્ષકને શીટ સબમિટ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈને પણ પરીક્ષા હોલ છોડવાની મંજૂરી   આપવામાં આવશે નહીં.
  •  વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં કોઈપણ કાપલી અથવા ઈલેક્ટ્રોનિક ઉપકરણ (સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર વગેરે) લઈ જવા જોઈએ નહીં.
  •  જેઓ સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ જશે તેઓ પરીક્ષામાંથી ગેરલાયક ઠરશે.

આ ઉપરાંત બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇન પ્રમાણે  તમામ શાળાની આસપાસના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો ફરજીયાત પણે બંધ રાખવાના રહેશે તેમજ આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવશે.શાળા અને આસપાસના વિસ્તારમાં સીસી ટીવી કેમેરા મુકાશે.

પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળ-ધાણાથી કરવામાં આવશે

પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને આઇ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને તેના સિવાયના કોઇ વ્યક્તિ શાળામાં પ્રવેશ ન કરે તેની પણ તકેદારી શાળા સંચાલકો અને આચાર્યએ રાખવાની રહેશે. પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળ-ધાણાથી કરવામાં આવશે અને ગરમીના સમયમાં વર્ગ ખંડમાં જ વિદ્યાર્થીઓને પીવાનું પાણી આપવામાં આવશે.

આ પણ વાંચો : Gujarati Video: MS યુનિવર્સિટીના 300 વિદ્યાર્થીઓને મળી વચગાળાની રાહત, ડોક્યુમેન્ટ જમા ન કરાવનારા વિદ્યાર્થીઓની 27 માર્ચે લેવાશે પરીક્ષા

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">