હરિયાળું અમદાવાદઃ શહેરમાં ટૂંક સમયમાં 24 જંગલો અને બગીચા બનાવાશે!

બગીચાઓ અને શહેરી જંગલોનો વિકાસ સાયન્સ સિટીની જેમ જ કરવામાં આવશે, અહીં મેડિટેશન ઝોન, ખુલ્લી વ્યાયામશાળાઓ, બાળકોના રમત-ગમતના વિસ્તારો, યોગ કેન્દ્રો અને વોકિંગ માટેના વિસ્તારો હશે

હરિયાળું અમદાવાદઃ શહેરમાં ટૂંક સમયમાં 24 જંગલો અને બગીચા બનાવાશે!
Green Ahmedabad 24 forests and gardens to be created in the city soon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 2:14 PM

અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) એ શહેરને હરિયાળું બનાવાનું આયોજન કર્યું છે જેમાં શહેરમાં 24 જેગલો (forest) અને બગીચા (gardens) બનાવવામાં આવશે. ગરમી માટે જાણિતા અમદાવાદમાં એક વર્ષ પછી કોંક્રીટના જંગલની મધ્યમાં લીલીછમ હરિયાળી આપણને સખત ગરમીમાંથી રાહત અપાવશે. મહાનગરપાલિકાએ 2022-23 (એપ્રિલ માર્ચ)માં સમગ્ર શહેરમાં 14 નવા બગીચાઓ અને 10 નવા શહેરી જંગલોની યોજના બનાવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે તમામ સાત ઝોનમાં 24 નવા શહેરી જંગલો અને બગીચાઓ બનાવવાનું આયોજન કર્યું છે. 10માંથી ત્રણ જંગલો ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા, શીલજ અને સિંધુ ભવન રોડ પર બનાવાશે. શીલજ, બોપલ અને છારોડીમાં ચાર નવા બગીચાઓ બનાવાશે.

વાયુ પ્રદૂષણ ઘટાડવા ઉપરાંત આ પહેલ શહેરને વધુ સુંદરતા પણ આપશે. અધિકારીએ કહ્યું કે આમાંના મોટાભાગના બગીચાઓ અને શહેરી જંગલોનો વિકાસ સાયન્સ સિટીની જેમ જ કરવામાં આવશે. અહીં મેડિટેશન ઝોન, ખુલ્લી વ્યાયામશાળાઓ, બાળકોના રમત-ગમતના વિસ્તારો, યોગ કેન્દ્રો અને વોકિંગ માટેના વિસ્તારો હશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

કોર્પોરેશન મિયાવાકી (Miyawaki) ટેકનિકનો ઉપયોગ કરીને ગાઢ જંગલ માટે વાવેતર કરશે. આ ટેકનિકમાં છોડની વિવિધ મૂળ પ્રજાતિઓ એકબીજાની નજીક વાવવામાં આવે છે જેથી કેનોપી ફક્ત ઉપરથી જ સૂર્યપ્રકાશ મેળવે છે અને બાજુની તરફને બદલે ઉપરની તરફ વધે છે. પરિણામે, વાવેતર સામાન્ય કરતાં 30 ગણું ગીચ બને છે, 10 ગણું ઝડપથી વધે છે અને ત્રણ વર્ષ પછી જાળવણી-મુક્ત બને છે.

કોર્પોરેશને તેના તાજેતરના પ્લાન્ટેશન પ્રોજેક્ટ્સમાં મિયાવાકી ટેકનિક અપનાવી છે જેના સારા પરિણામો મળ્યા છે. હાલમાં શહેરમાં 80 બગીચા અને ઉદ્યાનો છે.

આ પણ વાંચોઃ સુરત : ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનીલે ગુનો કબૂલવાનો ઇનકાર કર્યો, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

આ પણ વાંચોઃ કોંગ્રેસે લગાવેલા 500 કરોડ રુપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે વિજય રૂપાણીની સ્પષ્ટતા, ટ્વિટ કરી કહ્યુ ”મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર”

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">