સાચા ભક્ત, નરેન્દ્ર મોદી 70ના દાયકામાં સંઘ પ્રચારક તરીકે અમદાવાદ જગન્નાથ મંદિર પરિસરમાં રહેતા હતા

1985માં કોંગ્રેસ સરકારે યાત્રાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ મોદીએ તેનો સલામત માર્ગ સુનિશ્ચિત કર્યો, તેને ગુજરાતમાં એક ઐતિહાસિક ઘટના બનાવી દીધી હતી. આજે આ યાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે,

સાચા ભક્ત, નરેન્દ્ર મોદી 70ના દાયકામાં સંઘ પ્રચારક તરીકે અમદાવાદ જગન્નાથ મંદિર પરિસરમાં રહેતા હતા
શું તમે જાણો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથની રથયાત્રાનું ક્નેકશનImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 3:38 PM

Rath yatra 2022 : બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી ભક્તોની ઉપસ્થિતિમાં નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રા (Rath yatra)નું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad)નાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, આ ઉપરાંત વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે. તો ભાવનગરમાં પણ ભગવાનની રથયાત્રા નિકળે છે.

નરેન્દ્ર મોદીનું રથયાત્રા સાથે ખાસ ક્નેક્શન

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પરંતુ શું તમે જાણો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રથયાત્રા સાથે ખાસ ક્નેક્શન છે,સાચા ભક્ત નરેન્દ્ર મોદી 70ના દાયકામાં સંઘ પ્રચારક તરીકે અમદાવાદ જગન્નાથ મંદિર પરિસરમાં રહેતા હતા. 1985માં કોંગ્રેસ સરકારે યાત્રાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ મોદીએ તેનો સલામત માર્ગ સુનિશ્ચિત કર્યો, તેને ગુજરાતમાં એક ઐતિહાસિક ઘટના બનાવી હતી. આજે આ યાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે, જેને લઈ લોકો આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે મોઢે વખાણ કરે છે આ વર્ષે પણ પીએમ મોદીના હસ્તે જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. અલગ અલગ ચાર ટોકરીમાં ડ્રાયફ્રૂટ, સુકા મેવાનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે. આ પ્રસાદને ભાજપ નેતાઓ મંદિરે લઇને પહોંચ્યા હતા. દર વર્ષે જગન્નાથ યાત્રાની પૂર્વ સંધ્યાએ પીએમ મોદી દ્વારા પ્રસાદ મોકલવામાં આવે છે.

રથયાત્રામાં સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે. તેમણે વર્ષ 2002 થી વર્ષ 2013 સુધી 12 વર્ષ સુધી રથયાત્રાની પહિંદ વિધિ કરી છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા,અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિન્દ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે પણ 5 વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ મુખ્યપ્રધાન પદે ત્રણ વખત રથયાત્રામાં પહિંદવિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે સીએમ તરીકે વિજય રૂપાણીએ પણ 5 વખત રથયાત્રાની પહિંદ વિધિ કરી છે. તેમજ આ વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર રથયાત્રાની પહિંદ કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">