અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધ્યા, નવા 1835 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં કરવામાં આવતા કોરોનાના ટેસ્ટ ડબલ કરી દેવામાં આવ્યા છે. જેમાં બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 14,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધ્યા, નવા 1835 કેસ નોંધાયા
Ahmedabad Corona Update (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 8:26 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમા  ગુજરાતના કોરોનાના  4213   કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે  1835 કેસ અમદાવાદ(Ahmedabad)  શહેરમાં નોંધાયા છે. જો કે ગુરુવારે કોરોનાના લીધે શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. તેમજ ઓમીક્રોનનો(Omicron) પણ એક પણ કેસ નોંધાયો નથી.અમદાવાદ શહેરમાં 4 જાન્યુઆરીએ 1,290 કેસ અને 05 જાન્યુઆરીએ  1835  કેસ નોંધાતા  આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના 14,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

અમદાવાદ(Ahmedabad) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના(Corona)  કેસોના પગલે તંત્રની ચિંતા વધી છે. જેના પગલે મ્યુનિસપિલ કમિશ્નર લોચન શહેરાએ(Lochan Sehra)  કોરોના અંગે તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે જાણકારી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે શહેરમાં વધતાં કોરોનાના કેસના પગલે શહેરમાં ટેસ્ટિંગ(Testing)  અને ટ્રેકિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ શહેરમાં કરવામાં આવતા કોરોનાના ટેસ્ટ ડબલ કરી દેવામાં આવ્યા છે. જેમાં બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 14,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોના પોઝિટવ લોકોનું સમયાંતરે ફરી ચેકિંગ કરવામાં આવે છે.

મ્યુનિસપિલ કમિશ્નર લોચન શહેરાએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમજ તેના અમલ માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. તેમજ કોરોના પોઝિટવ લોકોનું સમયાંતરે ફરી ચેકિંગ કરવામાં આવે છે. તેમજ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર

કોરોનાના કેસ વધતા અમદાવાદ મહાનગરપાલિકાની હોસ્પિટલ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત 20 હજાર લિટર ઓક્સિજનની બે ટેન્ક SVP હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો અનામત રાખ્યો

LG હોસ્પિટલમાં 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે.LG હોસ્પિટલમાં 6 હજાર લિટર લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે.શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે..અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પણ સંગ્રહિત રાખ્યો છે, આ ઉપરાંત 3 લાખ રેપિડ ટેસ્ટ કીટ અને RT-PCR ટેસ્ટિંગ માટે 12 હજાર કીટ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :  મહેસાણામાં એસિડ એટેકનો ભોગ બનેલ યુવતીએ પોણા છ વર્ષે જોઈ દુનિયા, 27 ઓપરેશનો બાદ ફરી આંખ ખૂલી

આ પણ વાંચો :  Ahmedabad : પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">