AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના ઓગણજમાં વરસાદી પાણી ભરાતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર કરાયો રદ, જુઓ Video

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદ આજે ઓગણજમાં યોજાનાર બાબાનો દરબાર રદ કરવામાં આવ્યો છે.

| Updated on: May 29, 2023 | 11:33 AM
Share

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદ આજે ઓગણજમાં યોજાનાર બાબાનો દરબાર રદ કરવામાં આવ્યો છે.ઓગણજમાં વરસાદી પાણી ભરાતા કાર્યક્રમ રદ કરાયો છે. દરબાર માટેની વ્યવસ્થા ના થઈ શકતા નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાણક્યપુરીના જૂના સ્થળે પણ પાણી ભરાયા છે.

આ પણ વાંચો : Ahmedabad: ઝુંડાલમાં બાબા બાગેશ્વરના દરબારને નડ્યુ વરસાદનું વિઘ્ન, તોફાની પવનમાં દરબારનો મંડપ તૂટ્યો, કરા પડતા ભાવિકો આમ તેમ દોડ્યા

ઝુંડાલમાં બાબા બાગેશ્વરના દરબારને નડ્યુ હતુ વરસાદનું વિઘ્ન

તો બીજીતરફ ગાંધીનગરમાં ઝુંડાલ સ્થિત ગઈ કાલે બાબાના દિવ્ય દરબારનું આયોજન હતુ. જો કે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનને કારણે બાબાના દરબારનો મંડપ તૂટી પડ્યો હતો. કરા સાથે ધોધમાર વરસાદ વરસતા ભાવિકો ખુરશીનો સહારો લેતા જોવા મળ્યા હતા. ટપોટપ કરા પડતા ભાવિકો ખુરશી માથા પર લઈ આમતેમ દોડતા દૃશ્યમાન થયા હતા.

ભારે પવનને કારણે ઝુંડાલમાં બાબાના દરબારનો મંડપ તૂટ્યો

બાબાના દરબારને પણ વરસાદનું વિઘ્ન નડતા દરબાર મુલતવી રાખવો પડ્યો હતો. દરબારમાં આવેલા ભાવિકોને પણ હાલાકી પડી હતી. કરા સાથે વરસાદ પડતા ભાવિકો દરબાર છોડી જવા લાગ્યા હતા. આ તરફ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

શહેરમા ભારે વરસાદને કારણે સાબરમતી નદી ગાંડીતુર બની હોય તેવા દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતો. તો વરસાદને જોતા સાબરમતી નદીમાંથી 4500 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી હતી. વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. 27 અને 28 નંબરના દરબાજા બે ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">