AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આનંદનગર રોડ પર વોલ્વો કારનો સર્જાયો અકસ્માત, પોલીસે કાર ચાલક વિરુદ્ધ નોંધ્યો ગુનો

અમદાવાદ ખાતે વોલ્વો કારે બેફામ રીતે ગાડી હંકારતા એક્ટિવાને ટક્કર મારી હતી. ઘટના બનતા પોલીસ સ્થળ પર તો પહોચી પરંતુ કોઈ પણ હાજર વ્યક્તિ ફરિયાદ આપવા તૈયાર નહતી અંતે ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલક ફરિયાદ આપવા તૈયાર થયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 10:55 PM
Share

અમદાવાદ આનંદ નગર રોડ પર અકસ્માતની ઘટના બની છે. વોલ્વો કારનો અકસ્માત સર્જાતા ઈજા થઈ હોવાની ઘટના પણ સામે આવી હતી. વોલ્વો કાર ચાલક બેફામ રીતે આવી એક્ટિવા સાથે ટક્કર માટી હતી, જે દરમ્યાન આ ઘટના બની હતી. અકસ્માતને લઈ પોલીસે વોલ્વો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કોઈ પણ હાજર વ્યક્તિ ફરિયાદ આપવા તૈયાર નહીં

બેફામ રીતે વાહન ચલાવતા વાહન ચાલકોને લઈ પોલીસ તેમના વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. જેની વચ્ચે અમદાવાદના આનંદ નગર ખાતે ફરી આવી ઘટના બની છે. વોલ્વો કારે બેફામ રીતે ગાડી હંકારી લાવી એક્ટિવાને ટક્કર મારી હતી. ઘટના બનતા પોલીસ સ્થળ પર તો પહોંચી પરંતુ કોઈ પણ હાજર વ્યક્તિ ફરિયાદ આપવા તૈયાર નહતી અંતે ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલક ફરિયાદ આપવા તૈયાર થયો હતો.

સારવાર લીધા વિના કાર ચાલક ફરાર

મહત્વનું છે કે સ્થળ પર એક્ટિવા ચાલક સહિત અન્ય બે લોકોને પણ ઈજા પહોંચી હતી. વોલ્વો કાર ચાલક દારૂના નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં કાર ચાલકને પણ ઇજા પહોચી હતી. ધડાકાભેર કાર અથડાતાં કાર ચાલકને પહોચેલી ગંભીર ઇજાને લઈ તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે ત્યથી સારવાર લીધા વિના કાર ચાલક ફરાર થયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી કાર ચાલકનની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : વસ્ત્રાપુરમાં આવેલા રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે થયેલી મારામારીમાં રસોઈયાનું થયુ મોત, બંને કર્મચારીઓ બિહારનો હોવાનો ખૂલાસો

શનિવારે રાજ્યમાં બે અકસ્મતાની ઘટના બની હતી જેમાં 9 લોકોનું મૃત્યુ થયી હતું. આ મૃતકોના પરિજનોને મોરારી બાપુએ 11 હજારની સહાય અર્પણ કરી છે. રામકથાકાર મોરારી બાપુ દેશમાં કે વિદેશમાં ઘટતી કુદરતી આપદા જેવી કે ભૂકંપ, પૂર જેવી ઘટનામાં પીડિતોને મદદરૂપ થવા માટે નાની મોટી સહાય અચૂક મોકલે છે. જ્યારે રાજ્યમાં શનિવારે (06.05.23) ઘટેલી બે ગોજારા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે.

સુરત અને બારડોલી વચ્ચે કાર અને ડમ્પર વચ્ચે ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. ત્યારે આ મૃતકોના પરિજનો પ્રત્યે મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના પરિવારને 11 હજાર લેખે કુલ મળીને 66 હજારની સહાય અર્પણ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">