અમદાવાદના 611માં સ્થાપના દિવસની ધામધૂમથી કરાઇ ઉજવણી, મુખ્યપ્રધાને ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી

અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે વહેલી સવારથી માણેકચોક ખાતે આવેલી માણેકનાથની સમાધી પર મેયર અને માણેકનાથજી ના તેરમા વંશજ ચંદનનાથ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવી.

અમદાવાદના 611માં સ્થાપના દિવસની ધામધૂમથી કરાઇ ઉજવણી, મુખ્યપ્રધાને ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી
Ahmedabad city (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 12:18 PM

ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટી (Heritage City) અમદાવાદ (Ahmedabad)નો આજે 611 મો જન્મદિવસ છે. ત્યારે અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓએ આ દિવસની ધામધૂમથી ઉજવણી કરી. તો બીજી તરફ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ તેમજ ગુજરાત કોંગ્રેસ સહિતનાઓએ ટ્વીટ કરીને અમદાવાદના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી.

600 વર્ષ કરતાં પણ વધુ જુનો ભવ્ય ઇતિહાસ ધરાવતા સાબરમતી નદીના બે કાંઠે વહેંચાયેલા અમદાવાદનો આજે જન્મદિવસ છે. કહેવાય છે કે અહમદશાહ બાદશાહ અમદાવાદનો પાયો નાખતા હતા, ત્યારે અનેક મુશ્કેલીઓ આવી હતી અને તેનું સમાધાન માણેક નાથ બાબાએ આપ્યું હતું અને ત્યારબાદ માણેકનાથની સાથે મળીને હાલના એલિસ બ્રિજ પાસે અમદાવાદની પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી. આજે તે માણેક બુરજ તરીકે ઓળખાય છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે વહેલી સવારથી માણેકચોક ખાતે આવેલી માણેકનાથની સમાધી પર મેયર અને માણેકનાથજી ના તેરમા વંશજ ચંદનનાથ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવી.

માણેકનાથજીની સમાધિ પર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તમામ મહાનુભાવો માણેક બુરજ ખાતે શહેરના પ્રથમ નાગરિક કિરીટ પરમારની સાથે સાથે અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ અમિત શાહ અને ચંદન નાથજી સાથે જે પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી ત્યાં પૂજા અર્ચના કરવામાં આવી.

મુખ્યપ્રધાનનું ટ્વીટ

અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરને સૌને શુભકામના પાઠવી છે. તેમણે લખ્યુ કે અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે.

સી.આર. પાટિલનું ટ્વીટ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે પણ અમદાવાદના જન્મદિવસની શુભેચ્છાઓ ટ્વીટ કરીને આપી. તેમણે લખ્યુ કે વિકાસનાં પથ પર સતત આગળ વધી રહેલું આ શહેર ગુજરાતનું સૌથી મહત્વનું શહેર છે.

ગુજરાત કોંગ્રેસનું ટ્વીટ

ગુજરાત કોંગ્રેસે ટ્વીટ કરીને ભારતના પ્રથમ વર્લ્ડ હેરીટેજ સીટીનું બહુમાન મેળવનાર અમદાવાદના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી.

આ પણ વાંચો-

અમદાવાદ : અમદાવાદનો 611મો જન્મદિવસ..ધૂળિયું શહેર કહેવાતુ લાજવાબ અમદાવાદ..કચકડે કંડારાયેલી અમદાવાદના પ્રખ્યાત સ્થળોની આ અવિસ્મરણીય તસવીરો

આ પણ વાંચો-

ભારતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો આજે સ્થાપના દિવસ, હજુ પણ અમદાવાદમાં જીવિત છે પોળનું કલ્ચર

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">