AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક, એસટી કર્મી પર હુમલા બાદ વેપારીઓમાં વધ્યો ભય

Ahmedabad: ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. એસટી કર્મ પર હુમલા બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. અન્ય વેપારીઓમાં પણ અસામાજિક તત્વોના આતંકને કારણે ભયનો માહોલ ફેલાયો છે.

Harin Matravadia
| Edited By: | Updated on: May 10, 2023 | 11:37 PM
Share

અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. એસટી બસ સ્ટેન્ડ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયુ છે. તો અસામાજિત તત્વોના આતંક સામે પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ગીતા મંદિરમાં અસામાજિક તત્વો મુસાફરોને હેરાન કરે છે ઉપરાંત ત્યાંના વેપારીઓ પાસે દરરોજ હપ્તા માંગી મફતમાં માલ સમાન પણ લઈ જઈ રહ્યા છે. બે દિવસ પહેલા આવા તત્વોએ એસટીના સ્ટાફ પર અને વેપારી પર પણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો અને સીસીટીવી પણ સામે આવ્યા છે.

સમગ્ર ઘટનાક્રમ મુજબ બે દિવસ પહેલા બે દિવસ પહેલા ગીતા મંદિર બસ સ્ટેશનમાં ભાવેશ ઉર્ફે મંગા નામના વ્યક્તિએ આતંક માચવ્યો હતો જેમાં વેપારીને બસ સ્ટેન્ડનાં સ્ટાફ પર હુમલો કર્યો હતો. જોકે એસટી વિભાગ કે વેપારી તરફથી કોઈ પોલીસ ફરિયાદ નહિ થાય આવા તત્વો ઉપર પોલીસ કાર્યવાહી થઈ નથી. બસ સ્ટન્ડમા થયેલા હુમલાના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસને હુમલાની જાણ થઈ હતી ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી હતી.

બસ સ્ટેન્ડમાં આતંક મચાવનાર ભાવેશ ઉર્ફે મંગો અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ભાવેશ પર અત્યાર સુધી 9 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને 2 વખત પાસાની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. જોકે અવાર નવાર ભાવેશ ઉર્ફે મંગા દ્વારા વેપારીઓ પાસે ખંડણી માંગી તેને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે. સમગ્ર મામલે વેપારીઓએ અનેક વખત પોલીસને પણ રજુવતો કરી છે પણ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં નહિ ભરતાં હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad : ATS દ્વારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં લવાયો, જુઓ Video

અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં અનેક મોટી ઘટનાઓ સામે આવી છે જેમાં પોલીસ જાણેકે નિષ્ક્રિય બની ચૂકી હોય તેમ આરોપીઓને પકડી શકતી નથી. એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વો અનેક વખત આતંક મચાવે છે પણ પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. ત્યારે રવિવારે પણ હુમલાની ઘટનામાં આજે બે દિવસ બાદ ફરિયાદ નોંધાઈ રહી છે. જોકે બે દિવસ સુધી ઉચ્ચ અધિકારીઓને સમગ્ર ઘટનાની જાણ પણ નહિ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે કાગડાપીઠ પોલીસ આ અસામાજિક તત્વ ભાવેશ ઉર્ફે મંગા ને ક્યારે પકડે છે તે જોવું રહ્યું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">