AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક, એસટી કર્મી પર હુમલા બાદ વેપારીઓમાં વધ્યો ભય

Ahmedabad: ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. એસટી કર્મ પર હુમલા બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. અન્ય વેપારીઓમાં પણ અસામાજિક તત્વોના આતંકને કારણે ભયનો માહોલ ફેલાયો છે.

Harin Matravadia
| Edited By: | Updated on: May 10, 2023 | 11:37 PM
Share

અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. એસટી બસ સ્ટેન્ડ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયુ છે. તો અસામાજિત તત્વોના આતંક સામે પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ગીતા મંદિરમાં અસામાજિક તત્વો મુસાફરોને હેરાન કરે છે ઉપરાંત ત્યાંના વેપારીઓ પાસે દરરોજ હપ્તા માંગી મફતમાં માલ સમાન પણ લઈ જઈ રહ્યા છે. બે દિવસ પહેલા આવા તત્વોએ એસટીના સ્ટાફ પર અને વેપારી પર પણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો અને સીસીટીવી પણ સામે આવ્યા છે.

સમગ્ર ઘટનાક્રમ મુજબ બે દિવસ પહેલા બે દિવસ પહેલા ગીતા મંદિર બસ સ્ટેશનમાં ભાવેશ ઉર્ફે મંગા નામના વ્યક્તિએ આતંક માચવ્યો હતો જેમાં વેપારીને બસ સ્ટેન્ડનાં સ્ટાફ પર હુમલો કર્યો હતો. જોકે એસટી વિભાગ કે વેપારી તરફથી કોઈ પોલીસ ફરિયાદ નહિ થાય આવા તત્વો ઉપર પોલીસ કાર્યવાહી થઈ નથી. બસ સ્ટન્ડમા થયેલા હુમલાના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસને હુમલાની જાણ થઈ હતી ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી હતી.

બસ સ્ટેન્ડમાં આતંક મચાવનાર ભાવેશ ઉર્ફે મંગો અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ભાવેશ પર અત્યાર સુધી 9 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને 2 વખત પાસાની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. જોકે અવાર નવાર ભાવેશ ઉર્ફે મંગા દ્વારા વેપારીઓ પાસે ખંડણી માંગી તેને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે. સમગ્ર મામલે વેપારીઓએ અનેક વખત પોલીસને પણ રજુવતો કરી છે પણ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં નહિ ભરતાં હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad : ATS દ્વારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં લવાયો, જુઓ Video

અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં અનેક મોટી ઘટનાઓ સામે આવી છે જેમાં પોલીસ જાણેકે નિષ્ક્રિય બની ચૂકી હોય તેમ આરોપીઓને પકડી શકતી નથી. એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વો અનેક વખત આતંક મચાવે છે પણ પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. ત્યારે રવિવારે પણ હુમલાની ઘટનામાં આજે બે દિવસ બાદ ફરિયાદ નોંધાઈ રહી છે. જોકે બે દિવસ સુધી ઉચ્ચ અધિકારીઓને સમગ્ર ઘટનાની જાણ પણ નહિ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે કાગડાપીઠ પોલીસ આ અસામાજિક તત્વ ભાવેશ ઉર્ફે મંગા ને ક્યારે પકડે છે તે જોવું રહ્યું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">