અમદાવાદમાં ફાયર સેફ્ટી ન ધરાવતી સ્કૂલોને સીલ કરાતા શાળા સંચાલક મહામંડળે 15 દિવસનો સમય આપવા કરી માગ- Video

રાજ્યમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્રની કામગીરીથી શાળા સંચાલકો નારાજ થયા છે. રાજ્યમાં 200 થી વધુ શાળાઓને સીલ કરવામાં આવતા શાળા સંચાલક મહામંડળે તંત્રની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો છે.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jun 07, 2024 | 7:28 PM

રાજ્યમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્રની કામગીરીથી શાળા સંચાલકો નારાજ થયા છે. રાજ્યમાં 200 થી વધુ શાળાઓને સીલ કરવામાં આવતા શાળા સંચાલક મહામંડળે વિરોધ નોંધાવ્યો છે.

સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા અને 28 થી વધુ જિંદગીનો ભોગ લેનારી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફ્ટીને લઈને કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાના મતમાં સરકાર નથી. આથી જ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. એકાએક સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા શાળા સંચાલકો ઉંઘમાંથી બેઠા થયા છે અને થોડો સમય આપવાની માગ કરી રહ્યા છે.

હાલ શાળામાં નવુ સત્ર શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે એ સમયે જ શાળાઓ સીલ કરી દેવાતા શાળા સંચાલક મહામંડળે થોડો સમય આપવાની માગ કરી છે. શાળા સંચાલક મહામંડળના ભાસ્કર પટેલે જણાવ્યુ કે ફાયર નિયામકે તેમને મળેલા પરિપત્રનું અર્થઘટન કરવુ જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યુ કે શાળાઓને એક તક આપવી જોઈએ. સીધેસીધી શાળાઓ સીલ ન કરવી જોઈએ. પહેલા નોટિસ આપો અને 15 દિવસનો સમય આપો.આ બાદ જો શાળા દ્વારા ફાયર સેફ્ટીના સાધનો વસાવવામાં ન આવે તો સીલ કરવાની કામગીરી કરવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આપને જણાવી દઈએ કે અમદાવાદમાં 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી શાળાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જ્યારે માત્ર સુરત પાલિકા દ્વારા જ રેકોર્ડ બ્રેક 250 શાળાઓ સીલ કરવામાં આવી છે. વડોદરા શહેરના ચાર ઝોનમાં ચાલતી 25 પ્રિ સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. રહેણાંક વિસ્તારોમાં કમર્શિયલ વપરાશને લીધે સ્કૂલોને સીલ કરાઈ છે. તો ફાયર સેફ્ટી અને BU પરવાનગી વગર ચાલતી શાળાઓ પર પણ તવાઈ બોલાવાઈ છે. બીજી તરફ રાજકોટમાં પણ 100 જેટલી શાળાઓને સીલ મારી દેવાતા શાળા સંચાલોકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં RMC ખાતે શાળા સંચાલક મંડળ વિરોધ નોંધાવવા ઉમટ્યું હતું. સંચાલકોનું કહેવું છે કે તેમણે 2021ના નિયમો મુજબ ફાયર સેફ્ટીના સાધનો લગાવેલા જ છે. પરંતુ તેમને વર્ષ 2023ના ફાયર સેફ્ટીના નવા નિયમોની તંત્ર દ્વારા જાણ જ કરવામાં નથી આવી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">