અમદાવાદમાં ફાયર સેફ્ટી ન ધરાવતી સ્કૂલોને સીલ કરાતા શાળા સંચાલક મહામંડળે 15 દિવસનો સમય આપવા કરી માગ- Video

રાજ્યમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્રની કામગીરીથી શાળા સંચાલકો નારાજ થયા છે. રાજ્યમાં 200 થી વધુ શાળાઓને સીલ કરવામાં આવતા શાળા સંચાલક મહામંડળે તંત્રની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો છે.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jun 07, 2024 | 7:28 PM

રાજ્યમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્રની કામગીરીથી શાળા સંચાલકો નારાજ થયા છે. રાજ્યમાં 200 થી વધુ શાળાઓને સીલ કરવામાં આવતા શાળા સંચાલક મહામંડળે વિરોધ નોંધાવ્યો છે.

સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા અને 28 થી વધુ જિંદગીનો ભોગ લેનારી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફ્ટીને લઈને કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાના મતમાં સરકાર નથી. આથી જ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. એકાએક સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા શાળા સંચાલકો ઉંઘમાંથી બેઠા થયા છે અને થોડો સમય આપવાની માગ કરી રહ્યા છે.

હાલ શાળામાં નવુ સત્ર શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે એ સમયે જ શાળાઓ સીલ કરી દેવાતા શાળા સંચાલક મહામંડળે થોડો સમય આપવાની માગ કરી છે. શાળા સંચાલક મહામંડળના ભાસ્કર પટેલે જણાવ્યુ કે ફાયર નિયામકે તેમને મળેલા પરિપત્રનું અર્થઘટન કરવુ જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યુ કે શાળાઓને એક તક આપવી જોઈએ. સીધેસીધી શાળાઓ સીલ ન કરવી જોઈએ. પહેલા નોટિસ આપો અને 15 દિવસનો સમય આપો.આ બાદ જો શાળા દ્વારા ફાયર સેફ્ટીના સાધનો વસાવવામાં ન આવે તો સીલ કરવાની કામગીરી કરવી જોઈએ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આપને જણાવી દઈએ કે અમદાવાદમાં 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી શાળાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જ્યારે માત્ર સુરત પાલિકા દ્વારા જ રેકોર્ડ બ્રેક 250 શાળાઓ સીલ કરવામાં આવી છે. વડોદરા શહેરના ચાર ઝોનમાં ચાલતી 25 પ્રિ સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. રહેણાંક વિસ્તારોમાં કમર્શિયલ વપરાશને લીધે સ્કૂલોને સીલ કરાઈ છે. તો ફાયર સેફ્ટી અને BU પરવાનગી વગર ચાલતી શાળાઓ પર પણ તવાઈ બોલાવાઈ છે. બીજી તરફ રાજકોટમાં પણ 100 જેટલી શાળાઓને સીલ મારી દેવાતા શાળા સંચાલોકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં RMC ખાતે શાળા સંચાલક મંડળ વિરોધ નોંધાવવા ઉમટ્યું હતું. સંચાલકોનું કહેવું છે કે તેમણે 2021ના નિયમો મુજબ ફાયર સેફ્ટીના સાધનો લગાવેલા જ છે. પરંતુ તેમને વર્ષ 2023ના ફાયર સેફ્ટીના નવા નિયમોની તંત્ર દ્વારા જાણ જ કરવામાં નથી આવી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">