AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rail Coach Restaurants : અમદાવાદ મંડળ ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ લોન્ચ કરવા માટે તૈયાર, જાણો તેની વિશેષતા

હાલમાં મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં 'રેલ કોચ રેસ્ટોરન્ટ્સ' સ્થાપિત કરવાની તૈયારી ચાલી રહી છે. જેનો સીધો લાભ મુસાફરોને થશે.

Rail Coach Restaurants : અમદાવાદ મંડળ 'રેલ કોચ રેસ્ટોરન્ટ' લોન્ચ કરવા માટે તૈયાર, જાણો તેની વિશેષતા
Sachin Kolte
| Edited By: | Updated on: Jan 29, 2025 | 7:00 PM
Share

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ મુસાફરોની સુવિધાઓને વધુ આધુનિક અને આરામદાયક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં ‘રેલ કોચ રેસ્ટોરન્ટ્સ’ સ્થાપિત કરવાની તૈયારી ચાલી રહી છે. આ રેસ્ટોરન્ટ્સ ખાસ રૂપે બિનઉપયોગી ટ્રેન કોચને આધુનિક અને સ્ટાઇલિશ વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરીને બનાવવામાં આવશે.

વિશિષ્ટ સુવિધાઓ

આ અનોખા રેલ કોચ રેસ્ટોરન્ટ્સ ઇન્ડોર અને આઉટડોર ડાઇનિંગ વિકલ્પો સાથે હાજર રહેશે. આ ઉપરાંત:

  • વૈભવી અને એર-કન્ડિશન્ડ ભોજન અનુભૂતિ
  • આધુનિક ડિઝાઇન સાથે સંશોધિત કોચ
  • એટેચ કિચન અને મલ્ટી-ક્યુઝિન મેનૂ
  • મુસાફરો માટે આરામદાયક અને આનંદમય પર્યાવરણ
  • બાળકો માટે વિશિષ્ટ મનોરંજક ઝોન

અવિરત સેવા અને સરળતા

રેલ કોચ રેસ્ટોરન્ટ્સ 24×7 કાર્યરત રહેશે, જે મુસાફરો અને સ્થાનિક રહેવાસીઓ માટે સાતત્યપૂર્ણ સેવા પૂરી પાડશે. ટેકઅવે કાઉન્ટર દ્વારા ઝડપી ઓર્ડર અને પીક-અપ સુવિધા ઉપલબ્ધ હશે, જેથી મુસાફરો સરળતાથી ભોજન લઈ શકે.

આર્થિક લાભ અને ભવિષ્યની યોજનાઓ

આ રેસ્ટોરન્ટ્સ માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા છે, જેનાથી નોન-ફેર રેવન્યુ (NFR)માં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. અમદાવાદ મંડળના વાણિજય પ્રબંધક શ્રી અન્નુ ત્યાગીના જણાવ્યા મુજબ, આ પહેલ પ્રવાસીઓ માટે આરામદાયક અને અનોખી ડાઇનિંગ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.

નવો પ્રગતિશીલ અભિગમ

બિનઉપયોગી કોચને આધુનિક અને કાર્યક્ષમ રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરીને, અમદાવાદ મંડળ મુસાફરો માટે લકઝરી અને ઉપયોગિતા સાથે નવીનતા જોડવાનું નવું ધોરણ સ્થાપિત કરી રહ્યું છે. આવનારા સમયમાં વધુ રેલ કોચ રેસ્ટોરન્ટ્સ શરૂ કરવાની યોજના છે, જે મુસાફરો માટે વધુ આરામદાયક અને આનંદમય ભોજન અનુભવ નિશ્ચિત કરશે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">