અમદાવાદમાં અર્ધનગ્ન ગળે ટૂંપો દીધેલી હાલતમાં મળી આવ્યો હતો વૃદ્ધાનો મૃતદેહ, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદના નરોડા વિસ્તારમાં થોડા દિવસો પહેલા થયેલી વૃદ્ધાની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વૃદ્ધાની  હત્યા કેસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. જોકે હત્યા પાછળનું કારણ જાણી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

અમદાવાદમાં અર્ધનગ્ન ગળે ટૂંપો દીધેલી હાલતમાં મળી આવ્યો હતો વૃદ્ધાનો મૃતદેહ, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 10, 2024 | 5:22 PM

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર નરોડામાં ગત 27મી ફેબ્રુઆરીના રોજ અવાવરું જગ્યા પરથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. નરોડા જીઆઈડીસી વિસ્તાર માથી ગળે ટૂંપો દીધેલી અને અર્ધનગ્ન હાલતમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલી હત્યા કરનારા આરોપીનો ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં ચોકાવનારી બાબત સામે આવી છે. વૃદ્ધાની હત્યા તેના જમાઈ દ્વારા જ કરવામાં આવી હતી. હત્યાના આરોપી અજય રાણાની પત્નીને વડસાસુએ તેની જાણ બહાર જ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા હતા. જેની અદાવત રાખીને વડસાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

મહત્વનું છે કે વર્ષ 2017માં આરોપી અજય એક યુવતી સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો, જેને પરિવારજનોને સ્વીકારી લીધો હતો, જોકે બંનેના અધિકૃત રીતે લગ્ન થયા ન હતા એટલે કે લગ્નના કોઈ પુરાવા પણ ન હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વડસાસુએ પૌત્રીની ચિંતા થતા તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી નાખ્યા

આરોપી અને તેની પત્નીના લગ્નના કારણે એક બાળકને પણ જન્મ થયો હતો. થોડા સમય બાદ આરોપી અજયની એક ગુનામાં ધરપકડ પકડ થઈ હતી. જેથી તેની વડસાસુએ પૌત્રીની ચિંતા થતા તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી નાખ્યા, બાળક પણ તેની પત્ની લઈ ગઈ હતી. જેનો ખાર રાખીને આરોપી જમાઈએ તેનો વડસાસુની હત્યા નીપજાવી હતી.

હત્યા કરી લાશ ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી

જેલમાંથી બહાર આવ્યા બાદ 27મી ફેબ્રુઆરીએ આરોપી અજય બપોરના સમયે નરોડા જીઆઇડીસી પાણીની ટાંકી પાછળ ખુલી જગ્યામાં કુદરતી હાજતે જઈ રહ્યો હતો, એ દરમિયાન તેની વડસાસુ લાકડાનો ભારો લઈને જઈ રહ્યા હતા. પરિસ્થિતિનો લાભ લઈને અજય તેની વડસાસુની હત્યા કરી નાખી ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી.

હત્યા કર્યા બાદ આરોપી પાલનપુર ભાગી ગયો

જેલમાંથી બહાર આવ્યા બાદ પત્નીના લગ્ન જાણ બહાર અન્ય સાથે કરાવી દેવાની વાત તેના પતિને ખબર પડી જેના કારણે આરોપી અજય બદલો લેવાની ફિરાકમાં હતો. જેલમાંથી છૂટ્યા બાદ આરોપી અજય તેની સાસુ સાથે રહેતો હતો. હત્યા કર્યા બાદ આરોપી અજય પાલનપુર ભાગી ગયો હતો. જોકે થોડા દિવસ પહેલા કામ ધંધા માટે ફરીથી અમદાવાદમાં આવતા બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી અજયની ધરપકડ કરી લીધી છે.

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">